કાયદાકીય સેવાઓથી લઈને બેન્કિંગ પ્રોફેશનલ્સ સુધી... સર્વેમાં જાણો AIના ઉપયોગ અંગે શું વિચાર છે? 9 May 2024, 5:57 am

કાયદાકીય સેવાઓથી લઈને બેન્કિંગ પ્રોફેશનલ્સ સુધી... સર્વેમાં જાણો AIના ઉપયોગ અંગે શું વિચાર છે?

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું, 1034 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો 9 May 2024, 4:28 am

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું, 1034 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો

'અમે તો પહેલાં જ કહી દીધું હતું...' કોવિશીલ્ડ વેક્સિન વિવાદમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટે હાથ અધ્ધર કર્યા? 9 May 2024, 4:06 am


Serum Institute Clarification On Covishield Vaccine : બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ કોરોના વેક્સિન કોવિશીલ્ડની આડ અસરોને ધ્યાનમાં રાખીને વેક્સિન પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત આ વેક્સિનનું ઉત્પાદન પણ બંધ કરી દેવામાં આવ્યું છે. દરમિયાન સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)નું એક મોટું નિવેદન પણ સામે આવ્યું છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટે ભારતમાં કોવિશિલ્ડ વેક્સિનનું ઉત્પાદન કર્યું હતું અને તેને બજારમાં ઉપલબ્ધ કરાવ્યું હતું.

સીરમ ઈન્સ્ટિ્ટયુટે હાથ અધ્ધર કર્યા? 

સીરમ ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યું હતું કે અમે 2021માં વેક્સિન સપ્લાયની શરૂઆતમાં પેકેજિંગ ઇન્સર્ટમાં થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસિટોપેનિયા સિન્ડ્રોમ (TTS) સહિત વેક્સિનની તમામ આડઅસરો વિશે ખુલાસો કર્યો હતો, પરંતુ એસ્ટ્રાઝેનેકા દ્વારા એમ સ્વીકારાયા બાદ કે કોવિશીલ્ડ વેક્સિન લીધા બાદ શરીરમાં લોહીના ગઠ્ઠાં જામવા લાગે છે તેનાથી દુનિયાભરમાં હડકંપ મચી ગયું છે. 

વેક્સજેવરિયાના ફોર્મ્યૂલા પર બનાવાઈ છે કોવિશીલ્ડ

સીરમ ઇન્સ્ટિટ્યૂટએ કહ્યું કે ડિસેમ્બર 2021માં વેક્સિનની માંગમાં ઘટાડો થયો હતો તેથી કંપનીએ તેનું ઉત્પાદન અને સપ્લાય બંધ કરી દીધો હતો. બ્રિટિશ કંપની એસ્ટ્રાઝેનેકાએ વિશ્વભરના દેશોમાંથી તેની કોરોના વેક્સિન વેક્સજેવરિયાનો સ્ટોક પાછો મંગાવ્યો છે. 

ભારતમાં સીરમે કોવિશીલ્ડનું ઉત્પાદન કર્યું હતું 

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ભારતમાં આ વેક્સિન બનાવી રહી હતી, પરંતુ ભારતમાં જે વેક્સિન બનાવવામાં આવી રહી હતી તેનું નામ કોવિશીલ્ડ હતું અને આ દવા એ જ ફોર્મ્યુલા અનુસાર બનાવવામાં આવી હતી જેમાંથી વેક્સજેવરિયા બનાવવામાં આવે છે. AstraZeneca એ વેક્સિન પાછી ખેંચી લીધી છે, પરંતુ સીરમ ઈન્સ્ટિટ્યૂટે હજુ સુધી રસી પાછી ખેંચવાનો નિર્ણય લીધો નથી. AstraZenecaએ વેક્સિનનું અપડેટેડ વર્ઝન માર્કેટમાં લોન્ચ કર્યું છે અને જૂના વર્ઝનનો સ્ટોક પાછો મંગાવ્યો છે. કંપનીએ અગાઉ 5 માર્ચે વેક્સજેવરિયાને બજારમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો હતો, પરંતુ આ આદેશ 7 મેના રોજ લાગુ કરવામાં આવ્યો હતો.


(image/jpeg)

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું જંગી 91.93 ટકા પરિણામ આવ્યું, 5522 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો 9 May 2024, 3:50 am

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું જંગી 91.93 ટકા પરિણામ આવ્યું, 5522 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો

GSEB બોર્ડનું ધોરણ 12 સાયન્સનું 82.45 ટકા, સા. પ્રવાહનું 91.93 ટકા પરિણામ જાહેર, આ રીતે ચેક કરો 9 May 2024, 3:47 am


GSEB Class 12 Result: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12ની સાયન્સ, આર્ટસ અને કોમર્સ સ્ટ્રીમનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પરથી પરિણામ જોઇ શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ WhatsApp દ્વારા પણ પરિણામ જાણી શકશે.

વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જ્યારે સામાન્ય પ્રવાહમાં બોટાડ જિલ્લાનું સૌથી વધું પરિણામ

ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં સાયન્સ (વિજ્ઞાન પ્રવાહ)માં મોરબી જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ જાહેર થયું છે. આ ઉપરાંત કુંભાણીયા કેન્દ્રનું સૌથી ઊંચુ પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં બોટાદ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ. આજે જાહેર થયેલા પરિણામમાં વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ સાથે 1034 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 2023ની તુલનાએ વિજ્ઞાન પ્રવાહમાં 16.87 ટકા વધુ પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરના છાલા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ જાહેર થયું છે. 


વોટ્સએપ નંબર પરથી પણ મેળવી શકાશે પરિણામ

બોર્ડના વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર-6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને એસ.આર. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ


ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ


ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 4,77,392 વિદ્યાર્થીઓએ HSC-2024 બોર્ડની પરીક્ષા આપી હતી અને 7,34,898 વિદ્યાર્થીઓએ SSC-2024ની પરીક્ષા આપી હતી. ગત વર્ષે વિદ્યાર્થિનીઓની પાસ ટકાવારી 80.39 ટકા નોંધાઈ હતી, જ્યારે વિદ્યાર્થીઓની 67.03 ટકાવારી નોંધાઈ હતી.

(image/jpeg)

ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, આ નંબર પર મેસેજ કરી તરત જ મેળવો રિઝલ્ટ 9 May 2024, 3:29 am

ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, આ નંબર પર મેસેજ કરી તરત જ મેળવો રિઝલ્ટ

એર ઈન્ડિયા એક્સપ્રેસની કડક કાર્યવાહી, એક ઝાટકે 100થી વધુ સ્ટાફની નોકરી ગઇ! જાણો સંપૂર્ણ મામલો 9 May 2024, 3:11 am


Air India Express: એર ઈન્ડિયા એક્સપ્રેસે કોઈપણ સૂચના વગર બિમારી (Sick Leave)નું કારણ આપીને રજા પર ગયેલા કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરી દીધા  છે. ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા એક્સપ્રેસના 100થી વધુ કેબિન ક્રૂ સભ્યોએ અચાનક 'સિક લીવ' લઈને રજા લઈ લીધી, જેના કારણે એરલાઈને મંગળવાર રાતથી તેની 90થી વધુ ફ્લાઈટ્સ રદ કરવી પડી. જેના કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

છેલ્લી ઘડીએ કેબિન ક્રૂ કર્મચારીઓ સિક લીવ પર ઉતરી ગયા

ગયા મંગળવારે જ્યારે એરલાઈન્સની ઘણી ફ્લાઈટ્સ ઉપડવાની હતી, ત્યારે છેલ્લી ઘડીએ કેબિન ક્રૂના કર્મચારીઓ બીમાર હોવાની જાણ કરી અને તેમના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા. બુધવારે એરલાઇનના CEOએ જણાવ્યું હતું કે, 'મંગળવાર સાંજથી, અમારા 100 કરતા પણ વધારે કેબિન ક્રૂ સહકર્મીઓ તેમની નિર્ધારિત ફ્લાઇટ ડ્યુટી પહેલાં છેલ્લી ઘડીએ બીમાર હોવાની જાણ કરી છે, જેના કારણે અમારા સંચાલનમાં ગંભીર સમસ્યા ઉભી થઈ છે.'

લગભગ 15 હજાર મુસાફરોને અસર થઈ હતી

આ પછી એર ઈન્ડિયાએ 13 મે સુધી ફ્લાઇટ સેવાઓમાં કાપ મૂકવાની જાહેરાત કરી, જેના કારણે મંગળવાર રાતથી 100થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી, જેનાથી લગભગ 15,000 મુસાફરોને અસર થઈ હતી.

(image/jpeg)

એર ઈન્ડિયા એક્સપ્રેસની કડક એક્શન, એક ઝાટકે 100થી વધુ સ્ટાફની નોકરી ગઇ! જાણો સંપૂર્ણ મામલો 9 May 2024, 3:11 am


Air India Express: એર ઈન્ડિયા એક્સપ્રેસે કોઈપણ સૂચના વગર બિમારી (Sick Leave)નું કારણ આપીને રજા પર ગયેલા કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરી દીધા  છે. ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા એક્સપ્રેસના 100થી વધુ કેબિન ક્રૂ સભ્યોએ અચાનક 'સિક લીવ' લઈને રજા લઈ લીધી, જેના કારણે એરલાઈને મંગળવાર રાતથી તેની 90થી વધુ ફ્લાઈટ્સ રદ કરવી પડી. જેના કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

છેલ્લી ઘડીએ કેબિન ક્રૂ કર્મચારીઓ સિક લીવ પર ઉતરી ગયા

ગયા મંગળવારે જ્યારે એરલાઈન્સની ઘણી ફ્લાઈટ્સ ઉપડવાની હતી, ત્યારે છેલ્લી ઘડીએ કેબિન ક્રૂના કર્મચારીઓ બીમાર હોવાની જાણ કરી અને તેમના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા. બુધવારે એરલાઇનના CEOએ જણાવ્યું હતું કે, 'મંગળવાર સાંજથી, અમારા 100 કરતા પણ વધારે કેબિન ક્રૂ સહકર્મીઓ તેમની નિર્ધારિત ફ્લાઇટ ડ્યુટી પહેલાં છેલ્લી ઘડીએ બીમાર હોવાની જાણ કરી છે, જેના કારણે અમારા સંચાલનમાં ગંભીર સમસ્યા ઉભી થઈ છે.'

લગભગ 15 હજાર મુસાફરોને અસર થઈ હતી

આ પછી એર ઈન્ડિયાએ 13 મે સુધી ફ્લાઇટ સેવાઓમાં કાપ મૂકવાની જાહેરાત કરી, જેના કારણે મંગળવાર રાતથી 100થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી, જેનાથી લગભગ 15,000 મુસાફરોને અસર થઈ હતી.

(image/jpeg)

Air India Express: એર ઈન્ડિયા એક્સપ્રેસે એક સાથે બીમાર પડેલ તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા 9 May 2024, 3:05 am

Air India Express: એર ઈન્ડિયા એક્સપ્રેસે એક સાથે બીમાર પડેલ તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા

'PoK લઈને રહીશું, લોકોને વિશ્વાસ નહોતો કે 370 હટશે...' ભાજપના દિગ્ગજ મંત્રીનું મોટું નિવેદન 9 May 2024, 2:55 am


Lok Sabha Elections 2024 | મોદી સરકારના વિદેશ મંત્રી એસ.જયશંકરે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અંગે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાઓનું ફરી પુનરાવર્તન કરતાં કહ્યું કે મોદી સરકાર પીઓકેને ભારતમાં પાછો લાવવા માટે પ્રતિબદ્ધ છે. વિદેશ મંત્રી દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે કેવી રીતે મોદી સરકારે ભારતીય બંધારણની કલમ 370 નાબૂદ કરી, જ્યારે લોકોની માન્યતા સંપૂર્ણપણે અલગ હતી.

370 કલમ અંગે મોટું નિવેદન 

જયશંકરે કહ્યું કે લોકોએ એવું જ માની લીધું હતું કે 370 હટાવી નહીં શકાય અને આ એવી વસ્તુ છે જે આપણે સ્વીકારવી પડશે. હવે એકવાર આપણે તેને બદલી છે એટલે સમગ્ર વાસ્તવિક સ્થિતિ બદલાઈ ગઈ છે. હું PoKના સંદર્ભમાં એટલું જ કહી શકું છું કે સંસદમાં એક ઠરાવ છે અને દેશની દરેક રાજકીય પાર્ટી એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે PoK, જે ભારતનો ભાગ છે, તે ભારતમાં પાછો લાવવામાં આવે. હું ચોક્કસપણે કહેવા માંગુ છું કે 10 વર્ષ પહેલા અથવા 5 વર્ષ પહેલા પણ લોકોએ અમને આ પૂછ્યું ન હતું. જયશંકરે કહ્યું કે જ્યારે અમે કલમ 370 નાબૂદ કરી, ત્યારે લોકો સમજે છે કે PoK પણ મહત્વપૂર્ણ છે.

PoK અંગે અગાઉ કહી હતી આ વાત 

અગાઉ રવિવારે વિદેશ મંત્રીએ જાહેરાત કરી હતી કે PoK ક્યારેય ભારતની બહાર નહીં જાય. ઓડિશામાં એક કાર્યક્રમમાં એક પ્રશ્નનો જવાબ આપતા જયશંકરે કહ્યું હતું કે, "PoK ક્યારેય આ દેશની બહાર નથી રહ્યો. તે આ દેશનો એક ભાગ છે. સંસદનો ઠરાવ છે કે PoK સંપૂર્ણપણે ભારતનો ભાગ છે."


(image/jpeg)

'PoK લઈને રહીશું, લોકોને વિશ્વાસ નહોતો કે 370 હટશે...' ભાજપના દિગ્ગજ મંત્રીનું મોટું નિવેદન 9 May 2024, 2:55 am


Lok Sabha Elections 2024 | મોદી સરકારના વિદેશ મંત્રી એસ.જયશંકરે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અંગે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાઓનું ફરી પુનરાવર્તન કરતાં કહ્યું કે મોદી સરકાર પીઓકેને ભારતમાં પાછો લાવવા માટે પ્રતિબદ્ધ છે. વિદેશ મંત્રી દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે કેવી રીતે મોદી સરકારે ભારતીય બંધારણની કલમ 370 નાબૂદ કરી, જ્યારે લોકોની માન્યતા સંપૂર્ણપણે અલગ હતી.

370 કલમ અંગે મોટું નિવેદન 

જયશંકરે કહ્યું કે લોકોએ એવું જ માની લીધું હતું કે 370 હટાવી નહીં શકાય અને આ એવી વસ્તુ છે જે આપણે સ્વીકારવી પડશે. હવે એકવાર આપણે તેને બદલી છે એટલે સમગ્ર વાસ્તવિક સ્થિતિ બદલાઈ ગઈ છે. હું PoKના સંદર્ભમાં એટલું જ કહી શકું છું કે સંસદમાં એક ઠરાવ છે અને દેશની દરેક રાજકીય પાર્ટી એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે PoK, જે ભારતનો ભાગ છે, તે ભારતમાં પાછો લાવવામાં આવે. હું ચોક્કસપણે કહેવા માંગુ છું કે 10 વર્ષ પહેલા અથવા 5 વર્ષ પહેલા પણ લોકોએ અમને આ પૂછ્યું ન હતું. જયશંકરે કહ્યું કે જ્યારે અમે કલમ 370 નાબૂદ કરી, ત્યારે લોકો સમજે છે કે PoK પણ મહત્વપૂર્ણ છે.

PoK અંગે અગાઉ કહી હતી આ વાત 

અગાઉ રવિવારે વિદેશ મંત્રીએ જાહેરાત કરી હતી કે PoK ક્યારેય ભારતની બહાર નહીં જાય. ઓડિશામાં એક કાર્યક્રમમાં એક પ્રશ્નનો જવાબ આપતા જયશંકરે કહ્યું હતું કે, "PoK ક્યારેય આ દેશની બહાર નથી રહ્યો. તે આ દેશનો એક ભાગ છે. સંસદનો ઠરાવ છે કે PoK સંપૂર્ણપણે ભારતનો ભાગ છે."


(image/jpeg)

કોર્ટમાં રાજકીય મુદ્દાઓ ઉઠાવવાની મંજૂરી નહીં ઃ સુપ્રીમ 9 May 2024, 2:36 am


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૮

રાજ્ય સરકારે મંજૂરી પરત લીધી હોવા છતાં સીબીઆઇ રાજ્યમાં તપાસ કરી રહી હોવાના આરોપ સાથે પશ્ચિમ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજી અંગે કોર્ટે જણાવ્યું હતું કે તે સુનાવણીમાં કેન્દ્ર અથવા પશ્ચિમ બંગાળ સરકારને કોઇ રાજકીય મુદ્દો ઉઠાવવાની પરવાનગી આપશે નહીં.

ન્યાયમૂર્તિ બી આર ગવઇ અને ન્યાયમૂર્તિ સંદીપ મહેતાની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે તે ફક્ત કાયદાકીય મુદ્દા અંગે નિર્ણય લેશે અને કોર્ટ બંનેમાંથી કોઇ પણ પક્ષકારને રાજકીય દલીલો કરવાની મંજૂરી આપશે નહીં.

ખંડપીઠે રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનિ સ્થિરતા પણ પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.

પશ્ચિમ બંગાળ સરકાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ૧૬ નવેમ્બર, ૨૦૧૮ના રોજ સીબીઆઇને આપેલ તપાસની મંજૂરી પરત લઇ લીધા પછી કેન્દ્ર સીબીઆઇને રાજ્યમાં તપાસ માટે મોકલવાની પરવાનગી આપી શકે નહીં.

કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અથવા તેના વિભાગો સીબીઆઇ તપાસ પર કોઇ અંકુશ ધરાવતા નથી.

ખંડપીઠે જણાવ્યું હતું કે આપણે ફક્ત ટેકનિકલ મુદ્દાની સમીક્ષા કરવાની છે, આપણે શા માટે રાજકીય મુદ્દાની તરફ જવાની જરૃર છે?

મહેતાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પાસે કોઇ અપરાધમાં એફઆઇઆર દાખલ કરવા માટે સીબીઆઇને નિર્દેશ આપવાની સત્તા નથી.

 

 

 

 

(image/jpeg)

રાજ્યમાં ભુક્કા બોલાવતી ગરમીઃ 10 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર, 43.1 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી 9 May 2024, 2:34 am

રાજ્યમાં ભુક્કા બોલાવતી ગરમીઃ 10 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર, 43.1 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી

Heatwave In India: આપણું શરીર કેટલી ગરમી સહન કરી શકે છે? જાણો ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોનુું મંતવ્ય શું છે 9 May 2024, 2:25 am

Heatwave In India: આપણું શરીર કેટલી ગરમી સહન કરી શકે છે? જાણો ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોનુું મંતવ્ય શું છે

70 વર્ષમાં ભારત અને મ્યાનમારમાં બહુસંખ્યકની વસતી ઘટી, જ્યારે લઘુમતીઓની વધી, રિપોર્ટમાં દાવો 9 May 2024, 2:22 am


Population Report : ઇએસી-પીએમ દ્વારા પ્રકાશિત એક વર્કિગ પેપરમાં થયેલા વિશ્લેષણ અનુસાર ભારતમાં બહુસંખ્યક ધાર્મિક વસ્તી (હિંદુ) ધરાવતા 1950 થી 2015  સુધીમાં 7.82 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે જયારે આટલા જ સમયગાળા દરમિયાન ભારતમાં અલ્પસંખ્યકોની વસ્તી ભાગમાં વધારો થયો છે. વર્કિગ પેપરમાં જણાવ્યા અનુસાર 167 દેશોમાં ભારત અને મ્યાંમારમાં બહુમતી વસ્તીમાં ઘટાડો થયો છે. મ્યાંમારમાં બહુસંખ્યકની વસ્તી 10 ટકા જેટલી ઘટી છે. 1950 માં મુસ્લિમ આબાદી 9.84 ટકા હતી જે વધીને 14.09 થઇ છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર આ પેપર સલાહકાર ઇએસી -પીએમ અપૂર્વકુમાર મિશ્રા અને ઇએસી -પીએમ પ્રોફેશનલ અબ્રાહમ જોસ દ્વારા લખવામાં આવ્યું છે. આ વર્કિગ પેપર માટે 2019માં એસોસિએશન ઓફ રિલિજન ડેટા આર્કાઇવ્સ (એઆરડીએ) દ્વારા પ્રકાશિત સ્ટેટસ ડેટાસેટ પ્રોજેકટની ધાર્મિક વિશેષતાઓ-જનસાંખ્યિકી ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પાકિસ્તાન,બાંગ્લાદેશ સહિત દક્ષિણ એશિયાઇ પાડોશી દેશોની પરીસ્થિતિ જોતા ઉલ્લેખનીય છે જેમાં બહુસંખ્યક આબાદીમાં વધારો થયો છે જયારે અલ્પસંખ્યકની આબાદી ચિંતાજનક રીતે વધી છે.

(image/jpeg)

ભારતના લોકો માટે ગૂગલ લાવ્યું ડિજિટલ વૉલેટ, જાણો શું થશે તેના ફાયદા, ગૂગલ પેનું શું થશે? 9 May 2024, 2:15 am


Google Digital Wallet News | ટેકનોલોજી જાયન્ટ ગૂગલે બુધવારે ભારતમાં એન્દ્રોઇડ યુઝર્સ માટે ગૂગલ વોલેટ એપ  લોન્ચ કર્યુ છે. તેના  દ્વારા તેઓ  પ્લેનનાા બોર્ડિંગ પાસ, લોયલ્ટી કાર્ડ, ઇવેન્ટ ટિકિટ્સ અને પબ્લિક ટ્રાન્સપોર્ટના પાસને સુરક્ષિત રીતે સ્ટોર કરે છે. ડિજિટલ વોલેટ ભારતમાં બુધવારથી લોન્ચ થયું છે અને તે વર્તમાન ગૂગલ પે સાથે પૂરક  સર્વિસ તરીકે હશે, એમ ટોચના અધિકારીએ જણાવ્યું હતું. 

ગૂગલમાં જીએમ અને ઇન્ડિયા એન્જિનિયરીંગ લીડના વડા રામ પપટલાએ જણાવ્યું હતું કે ગૂગલ પે ક્યાંય જવાનું નથી અને તે અમારી મુખ્ય પેમેન્ટ એપ રહેશે, ગૂગલ વોલેટ મુખ્યત્વે નોન-પેમેન્ટ યુઝના કેસમાં અમલી બનશે.ગૂગલ વોલેટ હાલમાં ૮૦ દેશોમાં કાર્યરત છે. 

તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની સર્વિસ પાછળનો વિચાર ઓપન સોફ્ટવેરનો છે, તેમા કેરિયર્સ, ઓઇએમ (ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ) અને ડેવલપર્સ તેમની જબરજસ્ત પ્રોડક્ટ બનાવી શકે.

નવી સર્વિસમાં ગૂગલે એર ઇન્ડિયા, ઇન્ડિગો, ફ્લિપકાર્ટ, પાઇન લેબ્સ, કોચી મેટ્રો, પીવીઆર અને આઇનોક્સ સહિત ૨૦ ભારતીય બ્રાન્ડ્સ સાથે ભાગીદારી કરી છે અને જણાવ્યું હતું કે આગામી મહિનાઓમાં વધુને વધુ ભાગીદારો જોડાશે. 

ગૂગલ વોલેટ દ્વારા લોકો તેમની મૂવી, ઇવેન્ટ ટિકિટ સ્ટોર કરી શકશે, પ્લેનના બોર્ડિંગ પાસનું એક્સેસ મેળવી શકશે, મેટ્રો ટિકિટસ સ્ટોર કરી શકાશે, ઓફિસ-કોર્પોરેટ બેજીસ સ્ટોર કરી શકાશે અને ફિઝિકલ ડોક્યુમેન્ટને ડિજિટાઇઝ કરી શકાશે. બીજા શબ્દોમાં કહીએ તો તમારા ફોનની અંદરનું ગૂગલ વોલેટ એક રીતે તમારા દસ્તાવેજો માટે ડિજીલોકરની ગરજ પણ સારશે. 

(image/jpeg)

ધો. 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થશે, જુઓ કેવી રીતે જાણી શકાશે 9 May 2024, 2:12 am

GSEB Class 12 Result Date : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ સત્તાવાર જાહેરાત કરી છે કે, માર્ચ-2024માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધો.12 સાયન્સ, કોમર્સ, આર્ટસ, ગુજકેટ-2024 અને સંસ્કૃત માધ્યમનું પરિણામ જીએસઈબીની વેબસાઇટ www.gseb.org પર આજે એટલે કે તા.9 મે સવારે 9 કલાકે જાહેર કરાશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ મેળવી શકશે.

આજે 9  વાગ્યા સુધીમાં જાહેર કરાશે પરિણામ

GSEBના જણાવ્યા મુજબ, માર્ચ-2024માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2024 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ: 09/05/2024ના રોજ સવારના 09.00 કલાકે જાહેર કરાશે.


વોટ્સએપ નંબર પરથી પણ મેળવી શકાશે પરિણામ

વિદ્યાર્થીઓ જીએસઈબીની વેબસાઈટ પર પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) Enter કરીને પરિણામ જોઈ શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર-6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને એસ.આર. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.

4,77,392 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 4,77,392 વિદ્યાર્થીઓએ HSC-2024ની પરીક્ષા આપી હતી અને 7,34,898 વિદ્યાર્થીઓએ SSC-2024ની પરીક્ષા આપી હતી. ગત વર્ષે વિદ્યાર્થિનીઓની પાસ ટકાવારી 80.39 ટકા નોંધાઈ હતી, જ્યારે વિદ્યાર્થીઓની 67.03 ટકાવારી નોંધાઈ હતી.

(image/jpeg)

અંગ દઝાડતી ગરમીથી શેકાયું ઉત્તર ભારત, સૌથી વધુ ગરમી 46 ડિગ્રીથી આ શહેર બન્યું અગનભઠ્ઠી 9 May 2024, 2:12 am


Weather News | રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે ત્યારે રાજ્યના બાડમેરમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં હીટવેવની ચેતવણી જારી કરી છે.

જયપુર સ્થિત હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં 40થી વધુ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. બાડરમેરમાં 46, ઝાલોરમાં 45.5, ફલોદીમાં 45.4, જૈસલમેર અને ગંગાનગરમાં 45.2, જોધપુરમાં 45, કોટા અને બીકાનેરમાં 44.6, વનસ્થલીમાં 44.1, સંગરિયામાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.

માઉન્ટ આબુનું તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જે રાજ્યનું સૌથી ઓછું તાપમાન હતું. પાટનગર જયપુરમાં મહત્તમ તાપમાન 42.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. ભીષણ ગરમીને ધ્યાનમાં રાખીને ભરતપુરના જિલ્લા કલેક્ટરે 9 થી 11 મે સુધી શાળાઓમાં રજા જાહેર કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં મહત્તમ તાપમાનમાં એક થી બે ડિગ્રીનો વધારો થઇ શકે છે. 

9 મેના રોજ જોધપુર અને બિકાનેરના કેટલાક વિસ્તારોમાં તીવ્ર હીટ વેવની ચેતવણી જારી કરવામાં આવી છે.  બીજી બાજુ ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ 8 મેથી 12 મે સુધી આંધ્ર પ્રદેશમાં વીજળી અને ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. આંધ્રના રાયલસીમા સહિતના કેટલાક વિસ્તારોમાં 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. બીજી તરફ કેરળમાં હીટવેવ યથાવત છે. રાજ્યના તિરુવનંતપુરમ, અલાપ્પુઝા અને કોઝિકોડ જિલ્લાઓમાં 9 મે સુધી યલો એલર્ટ જારી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 36 થી 39  ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના દર્શૌવવામાં આવી છે. 10 અને 11 મેના રોજ સર્જાનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ 11 થી 13 મે દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે.

(image/jpeg)

અંગ દઝાડતી ગરમીથી શેકાયું ઉત્તર ભારત, સૌથી વધુ ગરમી 46 ડિગ્રીથી આ શહેર બન્યું અગનભઠ્ઠી 9 May 2024, 2:12 am


Weather News | રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે ત્યારે રાજ્યના બાડમેરમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં હીટવેવની ચેતવણી જારી કરી છે.

જયપુર સ્થિત હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં 40થી વધુ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. બાડરમેરમાં 46, ઝાલોરમાં 45.5, ફલોદીમાં 45.4, જૈસલમેર અને ગંગાનગરમાં 45.2, જોધપુરમાં 45, કોટા અને બીકાનેરમાં 44.6, વનસ્થલીમાં 44.1, સંગરિયામાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.

માઉન્ટ આબુનું તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જે રાજ્યનું સૌથી ઓછું તાપમાન હતું. પાટનગર જયપુરમાં મહત્તમ તાપમાન 42.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. ભીષણ ગરમીને ધ્યાનમાં રાખીને ભરતપુરના જિલ્લા કલેક્ટરે 9 થી 11 મે સુધી શાળાઓમાં રજા જાહેર કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં મહત્તમ તાપમાનમાં એક થી બે ડિગ્રીનો વધારો થઇ શકે છે. 

9 મેના રોજ જોધપુર અને બિકાનેરના કેટલાક વિસ્તારોમાં તીવ્ર હીટ વેવની ચેતવણી જારી કરવામાં આવી છે.  બીજી બાજુ ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ 8 મેથી 12 મે સુધી આંધ્ર પ્રદેશમાં વીજળી અને ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. આંધ્રના રાયલસીમા સહિતના કેટલાક વિસ્તારોમાં 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. બીજી તરફ કેરળમાં હીટવેવ યથાવત છે. રાજ્યના તિરુવનંતપુરમ, અલાપ્પુઝા અને કોઝિકોડ જિલ્લાઓમાં 9 મે સુધી યલો એલર્ટ જારી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 36 થી 39  ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના દર્શૌવવામાં આવી છે. 10 અને 11 મેના રોજ સર્જાનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ 11 થી 13 મે દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે.

(image/jpeg)

Weather Updates: ભારે પવનને કારણે તાપમાન ગગડ્યું! આગામી 2-3 દિવસ વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 9 May 2024, 2:11 am

Weather Updates: ભારે પવનને કારણે તાપમાન ગગડ્યું! આગામી 2-3 દિવસ વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

Cold Drink MRP: કોઈ દુકાનદાર એમઆરપી કરતા વધુ ભાવે કોલ્ડ ડ્રિંક વેચે તો આ નંબર પર કરો ફરિયાદ 9 May 2024, 1:58 am

Cold Drink MRP: કોઈ દુકાનદાર એમઆરપી કરતા વધુ ભાવે કોલ્ડ ડ્રિંક વેચે તો આ નંબર પર કરો ફરિયાદ

સરકારી નોકરીઃ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં ભરતી બહાર પડી, BCA-B.Sc કરેલ ઉમેદવાર કરી શકે છે અરજી 9 May 2024, 1:13 am

સરકારી નોકરીઃ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં ભરતી બહાર પડી, BCA-B.Sc કરેલ ઉમેદવાર કરી શકે છે અરજી

સરકારી નોકરીઃ બીએસએફમાં અધિકારી બનવાની શાનદાર તક, મળશે 200000 રૂપિયાનો પગાર 9 May 2024, 12:57 am

સરકારી નોકરીઃ બીએસએફમાં અધિકારી બનવાની શાનદાર તક, મળશે 200000 રૂપિયાનો પગાર

પક્ષોને કોર્ટમાં રાજકીય મુદ્દાઓ ઉઠાવવાની મંજૂરી નહીં : સુપ્રીમ 9 May 2024, 12:45 am


- સીબીઆઇ સામે પ. બંગાળની અરજી અંગે ચુકાદો અનામત

- 2018માં મંજૂરી પરત લીધી હોવા છતાં સીબીઆઇ રાજ્યમાં તપાસ કરી રહી હોવાનો પ. બંગાળ સરકારનો આરોપ

નવી દિલ્હી : રાજ્ય સરકારે મંજૂરી પરત લીધી હોવા છતાં સીબીઆઇ રાજ્યમાં તપાસ કરી રહી હોવાના આરોપ સાથે પશ્ચિમ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજી અંગે કોર્ટે જણાવ્યું હતું કે તે સુનાવણીમાં કેન્દ્ર અથવા પશ્ચિમ બંગાળ સરકારને કોઇ રાજકીય મુદ્દો ઉઠાવવાની પરવાનગી આપશે નહીં. 

ન્યાયમૂર્તિ બી આર ગવઇ અને ન્યાયમૂર્તિ સંદીપ મહેતાની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે તે ફક્ત કાયદાકીય મુદ્દા અંગે નિર્ણય લેશે અને કોર્ટ બંનેમાંથી કોઇ પણ પક્ષકારને રાજકીય દલીલો કરવાની મંજૂરી આપશે નહીં.

ખંડપીઠે રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનિ સ્થિરતા પણ પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. 

પશ્ચિમ બંગાળ સરકાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ૧૬ નવેમ્બર, ૨૦૧૮ના રોજ સીબીઆઇને આપેલ તપાસની મંજૂરી પરત લઇ લીધા પછી કેન્દ્ર સીબીઆઇને રાજ્યમાં તપાસ માટે મોકલવાની પરવાનગી આપી શકે નહીં.

કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અથવા તેના વિભાગો સીબીઆઇ તપાસ પર કોઇ અંકુશ ધરાવતા નથી.

ખંડપીઠે જણાવ્યું હતું કે આપણે ફક્ત ટેકનિકલ મુદ્દાની સમીક્ષા કરવાની છે, આપણે શા માટે રાજકીય મુદ્દાની તરફ જવાની જરૂર છે?

મહેતાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પાસે કોઇ અપરાધમાં એફઆઇઆર દાખલ કરવા માટે સીબીઆઇને નિર્દેશ આપવાની સત્તા નથી.

(image/jpeg)

દિલ્હીના આરએમએલ હોસ્પિટલના બે ડોક્ટરો સહિત નવની ધરપકડ 9 May 2024, 12:30 am


- સારવારના નામે દર્દીઓ પાસેથી લાંચ લેવાનો સીબીઆઇનો આરોપ

-હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. પર્વતગૌડા યુપીઆઇથી રૂ.2.5 લાખની લાંચ લેતા ઝડપાયા 

- ડોક્ટર્સ અને મેડિકલ ઉપકરણો સાથે જોડાયેલા ડીલર્સના 15 પરિસરોમાં સીબીઆઇના દરોડા : એફઆઇઆરમાં 16 આરોપીઓના નામ

નવી દિલ્હી : સીબીઆઇએ મોટી કાર્યવાહી કરતા દિલ્હીના રામ મનોહર લોહિયા (આરએમએલ) હોસ્પિટલમાં એક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સીબીઆઇએ હોસ્પિટલના બે ડોક્ટરો સહિત ૯ લોકોની ધરપકડ કરી છે. આરોપ છે કે આ લોકો સારવારના નામે દર્દીઓ પાસેથી લાંચ લઇ રહ્યાં હતાં.

ધરપકડ કરવામાં આવેલા લોકોમાં મેડિકલ ઉપકરણો પૂરા પાડનારા લોકો પણ સામેલ છે. આ લોકો હોસ્પિટલમાં આવતા દર્દીઓ પાસેથી સારવારના નામે મોટી રકમ વસૂલ કરતા હતાં.

સીબીઆઇના જણાવ્યા અનુસાર આ ભ્રષ્ટાચાર કેસમાં બે ડોક્ટર પણ સામેલ છે જેમાં એક પ્રોફેસર અને એક આસિસ્ટન્ટ પ્રોફેસરનો સમાવેશ થાય છે. તેમના પર ગરીબ દર્દીઓ પાસેથી સારવારના નામે નાણાં લેવા અને મેડીકલ ઉપકરણો પૂરા પાડનારા ડીલર્સ પાસેથી મોટા પાયે નાણા લેવાનો આરોપ છે.

સીબીઆઇએ ડોક્ટર્સ અને મેડિકલ ઉપકરણો સાથે જોડાયેલા ડીલર્સના ૧૫ પરિસરો પર દરોડા પાડયા છે. સીબીઆઇએ પોતાની એફઆઇઆરમાં કુલ ૧૬ આરોપીઓનો ઉલ્લેખ કર્યો છે. 

આરએમએલ હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર પર્વતગૌડાના લગભગ ૨.૫ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. આ લાંચ તેમને યુપીઆઇના માધ્યમથી મળી હતી.

આ ઉપરાંત આરએમએલ હોસ્પિટલની કેથ લેબમાં સીનિયર ટેકનિકલ ઇન્ચાર્જ રજનીશ કુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઇએ કાર્ડિયોલોજી વિભાગના પ્રોફેસર ડોક્ટર અજય રાજ, નર્સ શાલુ શર્મા, હોસ્પિટલના કલાર્ક ભુવન જૈસવાલ અને સંજ્ય કુમાર ગુપ્તા સહિત પાંચ અન્ય લોકોની પણ ધરપકડ કરી છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી પાંચ મોડયુલ દ્વારા ભ્રષ્ટાચારને અંજામ આપી રહ્યાં હતાં અને દર્દીઓ પાસેથી સારવારના નામે મોટી રકમ વસુલ કરી રહ્યાં હતાં. દર્દીઓ પાસેથી સ્ટેન્ટ અને અન્ય જરૂરિયાતો પૂરી પાડવા, સ્ટેન્ટના વિશેષ બ્રાન્ડ પૂરી પાડવી, લેબમાં મેડીકલ ઉપકરણો પૂરા પાડવા, લાંચ લઇને દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા અને નકલી મેડિકલ સર્ટિફિકેટ જારી કરવાના નામે લાંચ લેવામાં આવી રહી હતી.

(image/jpeg)

મહિલાએ ચાલુ કોર્ટમાં પોતાનું 13 મહિનાનું બાળક જમીન પર પછાડયું 9 May 2024, 12:20 am


- એમપીમાં ભરણપોષણ મળવામાં મોડું થતા મહિલા ગુસ્સે ભરાઇ હતી

- ઇરાદાપૂર્વક બાળકને જમીન પર પછાડવું હત્યાના પ્રયાસનો ગુનો, ફરિયાદ રદ કરવાની માગ હાઇકોર્ટે ફગાવી

ઇંદોર : મધ્ય પ્રદેશમાં એક મહિલાએ ભરણપોષના કેસની સુનાવણી ચાલી રહી હતી ત્યારે ચાલુ કોર્ટમાં પોતાના માત્ર ૧૩ મહિનાના બાળકને જમીન પર પછાડયું હતું. ઇરાદા પૂર્વક મહિલાએ આ કૃત્ય કર્યું હતું. આ મામલે હવે હાઇકોર્ટે કહ્યું હતું કે બાળકને જમીન પર ઇરાદાપૂર્વક ફેંકવું હત્યાના પ્રયાસના અપરાધ બરાબર ગણાય. અમે ફરિયાદ રદ કરવાનો આદેશ નહીં આપીએ.

ભારતી પટેલ નામની મહિલાએ પતિ પર ભરણપોષણનો દાવો કર્યો હતો, જેની સુનાવણી દરમિયાન કોર્ટમાં ચાલુ કાર્યવાહી વચ્ચે જજની સામે જ ભારતીએ પોતાની પાસે રહેલુ માત્ર ૧૩ મહિનાનું બાળક નીચે ફેંકી દીધુ હતું, મહિલાનો રૌદ્ર સ્વરુપ જોઇને જજ પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. બાદમાં આ મામલે ભારતી પટેલ સામે વર્ષ ૨૦૨૨માં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો હતો. 

મહિલા દ્વારા બાદમાં પોતાની સામે દાખલ એફઆઇઆર રદ કરવાની માગણી સાથે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જોકે હાઇકોર્ટના ન્યાયાધીશ ગુરપાલસિંહ અહલૂવાલિયાએ કહ્યું હતું કે કોર્ટના રેકોર્ડ પરથી સ્પષ્ટ થાય છે કે મહિલાએ પોતાની મુશ્કેલીઓ માટે બાળકને જવાબદાર ઠેરવ્યંુ હતું અને સાથે જ હું બાળકને મારી નાખીશ એવુ કહીને તેના પર પેપરવેટ ફેંક્યું હતું, જોકે બાળક  માંડ બચી ગયું. 

મહિલાનો ભરણપોષણનો કેસ ચાલી રહ્યો હતો ત્યારે કોર્ટે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે હાલ જ તારો પતિ જેલમાંથી બહાર આવ્યો છે, તેને ભરણપોષણ માટે રૂપિયાની વ્યવસ્થા કરવા માટે થોડો સમય આપવો જોઇએ, જોકે મહિલા આ સાંભળીને ગુસ્સે ભરાઇ ગઇ અને બાળકને નીચે ફેંકી દીધું. હાલ હાઇકોર્ટે મહિલાની સામે દાખલ ફરિયાદને રદ કરવાની ના પાડી દીધી હતી.

(image/jpeg)

અદાણી-અંબાણીએ ટેમ્પો ભરીને કાળુંનાણું કોંગ્રેસને આપ્યું 8 May 2024, 11:59 pm


- નરેન્દ્ર મોદીનો રહસ્યમય અને સનસનાટીભર્યો ઘટસ્ફોટ 

- કોંગ્રેસ હવે બન્ને ઉદ્યોગપતિઓને લઇના મુદ્દે  ચુપ થઇ ગઈ છે, દાળમાં કંઇક કાળુ છે, દેશ સમક્ષ સ્પષ્ટતા કરવી પડશે : વડાપ્રધાન

- કોંગ્રેસ રાષ્ટ્રપતિ મુર્મુને પણ આફ્રિકી માને છે, પિત્રોડાએ દેશનું અપમાન કર્યું : મોદી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી વચ્ચે પ્રથમ વખત અદાણી-અંબાણીને લઇને કોંગ્રેસ પર આરોપો લગાવ્યા છે. મોદીએ કહ્યું હતું કે અત્યાર સુધી કોંગ્રેસ અને રાહુલ ગાંધી અદાણી-અંબાણી મુદ્દે કેન્દ્ર સરકાર પર અનેક વખત આરોપો લગાવી ચુક્યા છે. જોકે હવે અચાનક જ આરોપો લગાવવાનું બંધ કરી દીધુ છે. કોંગ્રેસે લોકો વચ્ચે સ્પષ્ટતા કરવી જોઇએ છેલ્લા પાંચ વર્ષથી શેહઝાદા (રાહુલ ગાંધી) અદાણી-અંબાણીને લઇને સરકાર પર આરોપો લગાવતા હતા, ગાળો આપતા હતા પણ હવે કેમ ચુપ છે?. શું અદાણી-અંબાણી સાથે રાહુલ ગાંધી અને કોંગ્રેસે કોઇ ડીલ કરી છે? ટેમ્પો ભરીને રૂપિયા લીધા છે.

તેલંગાણામાં વેમુલાવાડામાં ચૂંટણીની રેલીને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જ્યારે રફાલનો મુદ્દો બહાર આવ્યો ત્યારે રાહુલ ગાંધીએ પાંચ ઉદ્યોગપતિઓ પર આરોપો લગાવતા હતા, બાદમાં અદાણી અને અંબાણી પર લગાવવા લાગ્યા હતા. જોકે  જ્યારથી લોકસભાની ચૂંટણીઓ જાહેર થઇ છે ત્યારથી કોંગ્રેસે અને તેના શેહઝાદા (રાહુલ ગાંધી)એ અદાણી અને અંબાણીને ગાળો દેવાનું બંધ કરી દીધુ છે, દાળમાં કઇક કાળુ છે. ચૂંટણીમાં અડાણી-અંબાણી પાસેથી કેટલા રૂપિયા લીધા? કાળા નાણાના કેટલા થેલા માર્યા? ટેમ્પો ભરીને નોટો પહોંચી છે. 

રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓએ અડાણી-વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મિત્રતા હોવાના અનેક આરોપો લગાવ્યા હતા. આ મુદ્દો સંસદમાં પણ ઉઠાવવામાં આવી ચુક્યો છે.  જોકે લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસે ટેમ્પો ભરીને અડાણી-અંબાણી પાસેથી રૂપિયા લીધા છે. સાથે સવાલ કર્યો હતો કે અચાનક જ કોંગ્રેસે આ બન્ને ઉદ્યોગપતિઓ પર આરોપો લગાવવાનું બંધ કેમ કરી દીધુ? શું કોઇ ડીલ થઇ છે? કોંગ્રેસે દેશને તેનો જવાબ આપવો પડશે. કોંગ્રેસના શેહઝાદા દિવસ-રાત એક જ માળા જપતા હતા, પાંચ ઉદ્યોગપતિ અને અડાણી-અંબાણી પણ હવે ચુપ થઇ ગયા.

આ સાથે જ મોદીએ દાવો કર્યો હતો કે ત્રણ તબક્કાના મતદાનમાં જ કોંગ્રેસનો ફ્યૂઝ ઉડી ગયો છે. કોંગ્રેસ દેશની ક્ષમતાઓને બરબાદ કરી રહી છે, કૃષિ અને ટેક્સટાઇલ વર્ષોથી દેશની તાકાત રહી છે. જોકે કોંગ્રેસે તેને બરબાદ કરી દીધી છે. દેશમાં તમામ સમસ્યાઓનું મૂળ કોંગ્રેસ છે. સાથે જ તેમણે બીઆરએસને પણ આડેહાથ લીધી હતી, મોદીએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર એક એવી ફેવિકોલ છે જે કોંગ્રેસ અને બીઆરએસનું સમાન કેરેક્ટર છે, બન્ને એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપો લગાવે છે પણ પાછલા બારણે બન્ને પક્ષો ભ્રષ્ટાચારની સિન્ડિકેટનો હિસ્સો છે. ભાજપ રાષ્ટ્ર પ્રથમના સિદ્ધાંત પર ચાલે છે જ્યારે બીજી તરફ કોંગ્રેસ અને બીઆરએસ તેલંગાણામાં પરિવાર પ્રથમના સિદ્ધાંતને વળગી રહ્યા છે.

દરમિયાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સાથે જ કોંગ્રેસના નેતા સામ પિત્રોડાને પણ આડેહાથ લીધા હતા. મોદીએ તેલંગાણામાં રેલીને સંબોધતા કહ્યું હતું કે આજે હું બહુ જ ગુસ્સામાં છું, શેહઝાદા (રાહુલ)ના એક અંકલે એવી ગાળો દીધી છે કે જેને કારણે મને બહુ જ ગુસ્સો આવી રહ્યો છે. બંધારણ માથા પર રાખનારા લોકો દેશની ચામડીનું અપમાન કરી રહ્યા છે. 

પોતાના કાર્યકાળમાં અમે આદિવાસી પુત્રી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવ્યા ત્યારે કોંગ્રેસે તેનો ભરપુર વિરોધ કર્યો હતો. હુ વિચારી રહ્યો હતો કે આદિવાસી સમાજના પુત્રી અને પ્રતિષ્ઠિત દ્રૌપદી મુર્મુનો કોંગ્રેસ વિરોધ કેમ કરી રહી છે. મને તે નહોતુ સમજાતું, મને એવુ લાગતુ હતું કે શેહઝાદાનું મગજ આવુ જ છે તેથી તેઓ વિરોધ કરી રહ્યા છે. મને આજે ખ્યાલ આવ્યો કે કોંગ્રેસ દ્રૌપદી મુર્મુને કેમ હરાવવા માગતી હતી. શેહઝાદાના અંકલ (સામ પિત્રોડા) કહે છે કે જેની ચામડીનો રંગ કાળો હોય તે આફ્રિકાના છે. ચામડીના રંગના આધારે દેશના લોકોને ગાળો આપી છે. કોંગ્રેસે માની લીધુ હતું કે દ્રૌપદી મુર્મુની ચામડીનો રંગ કાળો હોવાથી તે આફ્રિકી છે.

બંધ બારણે અદાણી-અંબાણી વિશે બોલતા મોદીએ પ્રથમ વખત જાહેરમાં બન્નેના નામ લીધા

અદાણી-અંબાણીને ત્યાં ઇડી-સીબીઆઇ તપાસ કરાવો, મોદી ડરો નહીં : રાહુલ

- બન્ને ઉદ્યોગપતિઓ ટેમ્પો ભરીને રૂપિયા આપે છે તેવી જાણકારી ધરાવતા મોદીને વ્યક્તિગત અનુભવ હશે : કોંગ્રેસ નેતા

કોંગ્રેસની અદાણી અને અંબાણી સાથે ડીલ થઇ હોવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આરોપોનો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વળતો જવાબ આપ્યો હતો સાથે જ એક પડકાર પણ ફેંક્યો હતો. રાહુલે કહ્યું હતું કે સમગ્ર દેશને ખ્યાલ છે કે ભ્રષ્ટાચારના ટેમ્પોના ડ્રાઇવર અને હેલ્પર કોણ છે. હું મોદીજીની કહેવા માગુ છંન કે તમે ડરો નહીં, અદાણી અને અંબાણીને ત્યાં તપાસ કરવા માટે સીબીઆઇ અને ઇડીના દરોડા પડાવો. 

મોદીના આક્ષેપો બાદ રાહુલ ગાંધીએ એક વીડિયો જાહેર કરીને આ ખુલ્લો પડકાર ફેંક્યો છે. કોંગ્રેસના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરાયેલા આ વીડિયોની કેપ્શન છે નરેન્દ્ર મોદી જી, અડાણી-અંબાણી તમને ટેમ્પો ભરીને રૂપિયા આપે છે શું? આ તમારો વ્યક્તિગત અનુભવ છે? એક કામ કરો સીબીઆઇ, ઇડીને આ બન્ને ઉદ્યોગપતિઓને ત્યાં મોકલો અને તપાસ કરાવો, ડરો નહીં. જ્યારે વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નમસ્કાર મોદીજી, થોડા ડરી ગયા હોય તેમ લાગે છે.

રાહુલે કહ્યું હતું કે સામાન્ય રીતે તો તમે બંધ બારણે જ અડાણી અને અંબાણી અંગે વાત કરો છો. પણ પ્રથમ વખત તમે જાહેરમાં બન્ને ઉદ્યોગપતિના નામનો ઉલ્લેખ કર્યો છે. તમને તો એ પણ ખ્યાલ છે કે ટેમ્પો ભરીને આ બન્ને રૂપિયા આપે છે. શું આ તમારો વ્યક્તિગત અનુભવ છે? આ સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જેટલા રૂપિયા નરેન્દ્ર મોદીજીએ આમને આપ્યા છે તેટલા જ રૂપિયા અમે હિન્દુસ્તાનના ગરીબ લોકોને આપવા જઇ રહ્યા છીએ. જ્યારે કોંગ્રેસના નેતા પવન ખેરાએ કહ્યું હતું કે ૩ એપ્રીલથી અત્યાર સુધીમાં રાહુલ ગાંધી ૧૦૨ વખત ગૌતમ અડાણી અને ૨૦ વખત મુકેશ અંબાણીનું નામ લઇ ચુક્યા છે.

(image/jpeg)

અદાણી-અંબાણીએ ટેમ્પો ભરીને કાળુંનાણું કોંગ્રેસને આપ્યું 8 May 2024, 11:59 pm


- નરેન્દ્ર મોદીનો રહસ્યમય અને સનસનાટીભર્યો ઘટસ્ફોટ 

- કોંગ્રેસ હવે બન્ને ઉદ્યોગપતિઓને લઇના મુદ્દે  ચુપ થઇ ગઈ છે, દાળમાં કંઇક કાળુ છે, દેશ સમક્ષ સ્પષ્ટતા કરવી પડશે : વડાપ્રધાન

- કોંગ્રેસ રાષ્ટ્રપતિ મુર્મુને પણ આફ્રિકી માને છે, પિત્રોડાએ દેશનું અપમાન કર્યું : મોદી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી વચ્ચે પ્રથમ વખત અદાણી-અંબાણીને લઇને કોંગ્રેસ પર આરોપો લગાવ્યા છે. મોદીએ કહ્યું હતું કે અત્યાર સુધી કોંગ્રેસ અને રાહુલ ગાંધી અદાણી-અંબાણી મુદ્દે કેન્દ્ર સરકાર પર અનેક વખત આરોપો લગાવી ચુક્યા છે. જોકે હવે અચાનક જ આરોપો લગાવવાનું બંધ કરી દીધુ છે. કોંગ્રેસે લોકો વચ્ચે સ્પષ્ટતા કરવી જોઇએ છેલ્લા પાંચ વર્ષથી શેહઝાદા (રાહુલ ગાંધી) અદાણી-અંબાણીને લઇને સરકાર પર આરોપો લગાવતા હતા, ગાળો આપતા હતા પણ હવે કેમ ચુપ છે?. શું અદાણી-અંબાણી સાથે રાહુલ ગાંધી અને કોંગ્રેસે કોઇ ડીલ કરી છે? ટેમ્પો ભરીને રૂપિયા લીધા છે.

તેલંગાણામાં વેમુલાવાડામાં ચૂંટણીની રેલીને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જ્યારે રફાલનો મુદ્દો બહાર આવ્યો ત્યારે રાહુલ ગાંધીએ પાંચ ઉદ્યોગપતિઓ પર આરોપો લગાવતા હતા, બાદમાં અદાણી અને અંબાણી પર લગાવવા લાગ્યા હતા. જોકે  જ્યારથી લોકસભાની ચૂંટણીઓ જાહેર થઇ છે ત્યારથી કોંગ્રેસે અને તેના શેહઝાદા (રાહુલ ગાંધી)એ અદાણી અને અંબાણીને ગાળો દેવાનું બંધ કરી દીધુ છે, દાળમાં કઇક કાળુ છે. ચૂંટણીમાં અડાણી-અંબાણી પાસેથી કેટલા રૂપિયા લીધા? કાળા નાણાના કેટલા થેલા માર્યા? ટેમ્પો ભરીને નોટો પહોંચી છે. 

રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓએ અડાણી-વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મિત્રતા હોવાના અનેક આરોપો લગાવ્યા હતા. આ મુદ્દો સંસદમાં પણ ઉઠાવવામાં આવી ચુક્યો છે.  જોકે લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસે ટેમ્પો ભરીને અડાણી-અંબાણી પાસેથી રૂપિયા લીધા છે. સાથે સવાલ કર્યો હતો કે અચાનક જ કોંગ્રેસે આ બન્ને ઉદ્યોગપતિઓ પર આરોપો લગાવવાનું બંધ કેમ કરી દીધુ? શું કોઇ ડીલ થઇ છે? કોંગ્રેસે દેશને તેનો જવાબ આપવો પડશે. કોંગ્રેસના શેહઝાદા દિવસ-રાત એક જ માળા જપતા હતા, પાંચ ઉદ્યોગપતિ અને અડાણી-અંબાણી પણ હવે ચુપ થઇ ગયા.

આ સાથે જ મોદીએ દાવો કર્યો હતો કે ત્રણ તબક્કાના મતદાનમાં જ કોંગ્રેસનો ફ્યૂઝ ઉડી ગયો છે. કોંગ્રેસ દેશની ક્ષમતાઓને બરબાદ કરી રહી છે, કૃષિ અને ટેક્સટાઇલ વર્ષોથી દેશની તાકાત રહી છે. જોકે કોંગ્રેસે તેને બરબાદ કરી દીધી છે. દેશમાં તમામ સમસ્યાઓનું મૂળ કોંગ્રેસ છે. સાથે જ તેમણે બીઆરએસને પણ આડેહાથ લીધી હતી, મોદીએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર એક એવી ફેવિકોલ છે જે કોંગ્રેસ અને બીઆરએસનું સમાન કેરેક્ટર છે, બન્ને એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપો લગાવે છે પણ પાછલા બારણે બન્ને પક્ષો ભ્રષ્ટાચારની સિન્ડિકેટનો હિસ્સો છે. ભાજપ રાષ્ટ્ર પ્રથમના સિદ્ધાંત પર ચાલે છે જ્યારે બીજી તરફ કોંગ્રેસ અને બીઆરએસ તેલંગાણામાં પરિવાર પ્રથમના સિદ્ધાંતને વળગી રહ્યા છે.

દરમિયાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સાથે જ કોંગ્રેસના નેતા સામ પિત્રોડાને પણ આડેહાથ લીધા હતા. મોદીએ તેલંગાણામાં રેલીને સંબોધતા કહ્યું હતું કે આજે હું બહુ જ ગુસ્સામાં છું, શેહઝાદા (રાહુલ)ના એક અંકલે એવી ગાળો દીધી છે કે જેને કારણે મને બહુ જ ગુસ્સો આવી રહ્યો છે. બંધારણ માથા પર રાખનારા લોકો દેશની ચામડીનું અપમાન કરી રહ્યા છે. 

પોતાના કાર્યકાળમાં અમે આદિવાસી પુત્રી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવ્યા ત્યારે કોંગ્રેસે તેનો ભરપુર વિરોધ કર્યો હતો. હુ વિચારી રહ્યો હતો કે આદિવાસી સમાજના પુત્રી અને પ્રતિષ્ઠિત દ્રૌપદી મુર્મુનો કોંગ્રેસ વિરોધ કેમ કરી રહી છે. મને તે નહોતુ સમજાતું, મને એવુ લાગતુ હતું કે શેહઝાદાનું મગજ આવુ જ છે તેથી તેઓ વિરોધ કરી રહ્યા છે. મને આજે ખ્યાલ આવ્યો કે કોંગ્રેસ દ્રૌપદી મુર્મુને કેમ હરાવવા માગતી હતી. શેહઝાદાના અંકલ (સામ પિત્રોડા) કહે છે કે જેની ચામડીનો રંગ કાળો હોય તે આફ્રિકાના છે. ચામડીના રંગના આધારે દેશના લોકોને ગાળો આપી છે. કોંગ્રેસે માની લીધુ હતું કે દ્રૌપદી મુર્મુની ચામડીનો રંગ કાળો હોવાથી તે આફ્રિકી છે.

બંધ બારણે અદાણી-અંબાણી વિશે બોલતા મોદીએ પ્રથમ વખત જાહેરમાં બન્નેના નામ લીધા

અદાણી-અંબાણીને ત્યાં ઇડી-સીબીઆઇ તપાસ કરાવો, મોદી ડરો નહીં : રાહુલ

- બન્ને ઉદ્યોગપતિઓ ટેમ્પો ભરીને રૂપિયા આપે છે તેવી જાણકારી ધરાવતા મોદીને વ્યક્તિગત અનુભવ હશે : કોંગ્રેસ નેતા

કોંગ્રેસની અદાણી અને અંબાણી સાથે ડીલ થઇ હોવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આરોપોનો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વળતો જવાબ આપ્યો હતો સાથે જ એક પડકાર પણ ફેંક્યો હતો. રાહુલે કહ્યું હતું કે સમગ્ર દેશને ખ્યાલ છે કે ભ્રષ્ટાચારના ટેમ્પોના ડ્રાઇવર અને હેલ્પર કોણ છે. હું મોદીજીની કહેવા માગુ છંન કે તમે ડરો નહીં, અદાણી અને અંબાણીને ત્યાં તપાસ કરવા માટે સીબીઆઇ અને ઇડીના દરોડા પડાવો. 

મોદીના આક્ષેપો બાદ રાહુલ ગાંધીએ એક વીડિયો જાહેર કરીને આ ખુલ્લો પડકાર ફેંક્યો છે. કોંગ્રેસના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરાયેલા આ વીડિયોની કેપ્શન છે નરેન્દ્ર મોદી જી, અડાણી-અંબાણી તમને ટેમ્પો ભરીને રૂપિયા આપે છે શું? આ તમારો વ્યક્તિગત અનુભવ છે? એક કામ કરો સીબીઆઇ, ઇડીને આ બન્ને ઉદ્યોગપતિઓને ત્યાં મોકલો અને તપાસ કરાવો, ડરો નહીં. જ્યારે વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નમસ્કાર મોદીજી, થોડા ડરી ગયા હોય તેમ લાગે છે.

રાહુલે કહ્યું હતું કે સામાન્ય રીતે તો તમે બંધ બારણે જ અડાણી અને અંબાણી અંગે વાત કરો છો. પણ પ્રથમ વખત તમે જાહેરમાં બન્ને ઉદ્યોગપતિના નામનો ઉલ્લેખ કર્યો છે. તમને તો એ પણ ખ્યાલ છે કે ટેમ્પો ભરીને આ બન્ને રૂપિયા આપે છે. શું આ તમારો વ્યક્તિગત અનુભવ છે? આ સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જેટલા રૂપિયા નરેન્દ્ર મોદીજીએ આમને આપ્યા છે તેટલા જ રૂપિયા અમે હિન્દુસ્તાનના ગરીબ લોકોને આપવા જઇ રહ્યા છીએ. જ્યારે કોંગ્રેસના નેતા પવન ખેરાએ કહ્યું હતું કે ૩ એપ્રીલથી અત્યાર સુધીમાં રાહુલ ગાંધી ૧૦૨ વખત ગૌતમ અડાણી અને ૨૦ વખત મુકેશ અંબાણીનું નામ લઇ ચુક્યા છે.

(image/jpeg)

Food: આ ખોરાકને પચવામાં લાગે છે સૌથી વધુ સમય, જાણો એક્સપર્ટે શું આપ્યું કારણ 8 May 2024, 5:51 pm

Food: આ ખોરાકને પચવામાં લાગે છે સૌથી વધુ સમય, જાણો એક્સપર્ટે શું આપ્યું કારણ

IPL 2024: મુંબઈ આઈપીએલ 2024માંથી બહાર થનારી બની પ્રથમ ટીમ, લખનઉ સામે હેડ-અભિષેકે લગાવી રેકોર્ડ઼્સની વણઝાર 8 May 2024, 5:42 pm

IPL 2024: મુંબઈ આઈપીએલ 2024માંથી બહાર થનારી બની પ્રથમ ટીમ, લખનઉ સામે હેડ-અભિષેકે લગાવી રેકોર્ડ઼્સની વણઝાર

દર્દીઓ પાસે લાંચ લેવાના રેકેટમાં CBIની મોટી કાર્યવાહી, બે ડૉક્ટરો સહિત નવ લોકોની કરી ધરપકડ 8 May 2024, 5:27 pm


Corruption Case : દિલ્હીના રામ મનોહર લોહિયા (Ram Manohar Lohia Hospital) હોસ્પિટલમાં એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ દર્દીઓ પાસેથી લાંચ લેવાના કેસનો ભાંડો ફોડી બે ડૉક્ટરો સહિત નવ લોકોની ધરપકડ કરી છે. લાંચીયા ડૉક્ટરો અને વચેટીયાઓ દર્દીઓને વહેલી સારવાર આપવા અને શ્રેષ્ઠ સુવિધા આપવાના નામે પૈસા લૂંટતા હતા.

લાંચ લેવાની મોડસ ઓપરેન્ડી શું હતી ?

દિલ્હીની સૌથી મોટી કહેવાતી રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારની પાંચ રીતો હતી, જેમાં લાંચ લઈને દર્દીઓને એડમિશન અપાતું હતું તેમજ નકલી તબીબી પ્રમાણપત્ર આપવા જેવી બાબતો સામેલ છે. CBIને માહિતી મળી હતી કે, હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના ડો.પર્વતગૌડા અને અન્ય ડોક્ટર અજય રાજ​ખુલ્લેઆમ લાંચ માંગી રહ્યા છે. આમાં એવા પણ આક્ષેપો કરાયા છે કે, આ તમામ લાંચીયાઓ હોસ્પિટલમાં આવશ્યક સાધનો સપ્લાય કરતી કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા દર્દીઓ પાસેથી પ્રત્યક્ષ અને આડકતરી રીતે નાણાંની વસૂલી કરતા હતા.

CBIએ આ લોકોની કરી ધરપકડ

સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા બે ડોક્ટરોમાં કાર્ડિયોલોજી વિભાગના મદદનીશ પ્રોફેસર ડૉ.પર્વતગૌડા અને તે જ વિભાગના અન્ય ડૉ.અજય રાજનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હોસ્પિટલના સિનિયર ટેકનિકલ ઈન્ચાર્જ રજનીશ કુમાર, ક્લાર્ક ભુવલ જયસ્વાલ અને સંજય કુમાર, નર્સ શાલુ શર્મા, નરેશ નાગપાલ, ભરતસિંહ દલાલ, અબરાર અહેમદ, આકર્ષણ ગુલાટી, મોનિકા સિન્હા અને અન્યો આરોપી સીબીઆઈએ સકંજો કસ્યો છે.

(image/jpeg)

SRH vs LSG: હૈદરાબાદે લખનૌને 10 વિકેટે હરાવ્યું; 58 બોલમાં 166 રનનો લક્ષ્યાંક ચેજ કર્યો 8 May 2024, 5:06 pm

SRH vs LSG: હૈદરાબાદે લખનૌને 10 વિકેટે હરાવ્યું; 58 બોલમાં 166 રનનો લક્ષ્યાંક ચેજ કર્યો

Lok Sabha Elections 2024: અંબાણી-અદાણી મામલે રાહુલ ગાંધીનો વળતો પ્રહાર, વીડિયો શેર કરીને કહ્યું- ડરો નહીં... 8 May 2024, 4:52 pm

Lok Sabha Elections 2024: અંબાણી-અદાણી મામલે રાહુલ ગાંધીનો વળતો પ્રહાર, વીડિયો શેર કરીને કહ્યું- ડરો નહીં...

કેજરીવાલ માટે વકીલે આ બે માંગણી કરવી ભારે પડી, કોર્ટે ફટકાર્યો એક લાખ રૂપિયાનો દંડ 8 May 2024, 4:32 pm


Delhi High Court : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાંથી જ સરકાર ચલાવી શકે તે માટે કાર્યાલય સ્થાપવા અને તેમના વિરુદ્ધના નિવેદનો પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતી અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે તેમની અરજીને સુનાવણી લાયક ન હોવાનું કહી ફગાવી દીધી છે. આ સાથે કોર્ટે અરજદાર વકીલ શ્રીકાંત પ્રસાદને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

જેલમાં સીએમ ઓફિસ ખોલવા કરી હતી માંગ

શ્રીકાંત પ્રસાદે દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલી જાહેર હિતની અરજીમાં માંગ કરી હતી કે, મુખ્યમંત્રી કેજરીવાલ (CM Arvind Kejriwal) પોતાના મંત્રીઓ અને અન્ય ધારાસભ્યો સાથે વાતચીત કરી શકે અને દિલ્હી સરકારને યોગ્ય ચલાવી શકે, તે માટે તેમને તિહાર જેલમાં જ જરૂરી સુવિધા આપવામાં આવે. અરજીમાં એવી પણ માંગ કરાઈ હતી કે, મીડિયામાં ચાલતા મુખ્યમંત્રીના રાજીનામાના અને દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના સનસનાટીભર્યા સમાચારો બંધ કરવામાં આવે.

હાઈકોર્ટે વકીલને ખખડાવી કહ્યું- ‘શું અમે માર્શલ લૉ લાગુ કરીએ?’

દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ મનમોહનની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે વકીલ શ્રીકાંત પ્રસાદની દલીલ પર કહ્યું કે, ‘અમે મીડિયાને પોતાના વિચારો પ્રસારીત કરવાથી અને કેજરીવાલના રાજકીય વિરોધીઓ દ્વારા તેમનો વિરોધ કરવાથી ન અટકાવી શકીએ. આ દરમિયાન હાઈકોર્ટે તેમને ફટકાર લગાવીને કહ્યું કે, ‘અમે શું કરીએ? શું અમે ઈમરજન્સી અથવા માર્શલ કાયદો લાગુ કરીએ? અમે મીડિયા અને રાજકીય હરીફો વિરુદ્ધ પ્રતિબંધનો આદેશ ન આપી શકીએ?’

(image/jpeg)

કેજરીવાલ માટે વકીલે આ બે માંગણી કરવી ભારે પડી, કોર્ટે ફટકાર્યો એક લાખ રૂપિયાનો દંડ 8 May 2024, 4:32 pm


Delhi High Court : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાંથી જ સરકાર ચલાવી શકે તે માટે કાર્યાલય સ્થાપવા અને તેમના વિરુદ્ધના નિવેદનો પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતી અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે તેમની અરજીને સુનાવણી લાયક ન હોવાનું કહી ફગાવી દીધી છે. આ સાથે કોર્ટે અરજદાર વકીલ શ્રીકાંત પ્રસાદને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

જેલમાં સીએમ ઓફિસ ખોલવા કરી હતી માંગ

શ્રીકાંત પ્રસાદે દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલી જાહેર હિતની અરજીમાં માંગ કરી હતી કે, મુખ્યમંત્રી કેજરીવાલ (CM Arvind Kejriwal) પોતાના મંત્રીઓ અને અન્ય ધારાસભ્યો સાથે વાતચીત કરી શકે અને દિલ્હી સરકારને યોગ્ય ચલાવી શકે, તે માટે તેમને તિહાર જેલમાં જ જરૂરી સુવિધા આપવામાં આવે. અરજીમાં એવી પણ માંગ કરાઈ હતી કે, મીડિયામાં ચાલતા મુખ્યમંત્રીના રાજીનામાના અને દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના સનસનાટીભર્યા સમાચારો બંધ કરવામાં આવે.

હાઈકોર્ટે વકીલને ખખડાવી કહ્યું- ‘શું અમે માર્શલ લૉ લાગુ કરીએ?’

દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ મનમોહનની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે વકીલ શ્રીકાંત પ્રસાદની દલીલ પર કહ્યું કે, ‘અમે મીડિયાને પોતાના વિચારો પ્રસારીત કરવાથી અને કેજરીવાલના રાજકીય વિરોધીઓ દ્વારા તેમનો વિરોધ કરવાથી ન અટકાવી શકીએ. આ દરમિયાન હાઈકોર્ટે તેમને ફટકાર લગાવીને કહ્યું કે, ‘અમે શું કરીએ? શું અમે ઈમરજન્સી અથવા માર્શલ કાયદો લાગુ કરીએ? અમે મીડિયા અને રાજકીય હરીફો વિરુદ્ધ પ્રતિબંધનો આદેશ ન આપી શકીએ?’

(image/jpeg)

પંજાબમાં વધુ 3 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને મળી ટિકિટ 8 May 2024, 4:17 pm


Lok Sabha election 2024: લોકસભા ચૂંટણી 2024ની પંજાબની 3 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ તેમના ઉમેદવારોની જાહેરાત કરી છે, જેમાં આનંદપુર સાહિબથી સુભાષ શર્મા, ફિરોઝપુર બેઠક પરથી રાણા ગુરમીત સિંહ સોઢી અને સંગરુર બેઠક પરથી અરવિંદ ખન્નાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. 19મી યાદી બહાર પાડીને ભાજપે પંજાબની 3 બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે.



(image/jpeg)

UPમાં પાંચ વર્ષના બાળકના કારણે દારૂની દુકાન થઇ બંધ, જાણો શું છે સમગ્ર મામલો 8 May 2024, 4:00 pm


Kanpur Liquor Shop : કાનપુરમાં પાંચ વર્ષના બાળકના કારણે દારૂની દુકાન બંધ થવા જઈ રહી છે. હકીકતમાં, કાનપુરમાં શાળાઓની બાજુમાં દારૂના ઠેકાણાઓના નવીકરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એલકેજી સ્કૂલના વિદ્યાર્થીએ આ મામલે અલ્હાબાદ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. 

અલાહાબાદ હાઈકોર્ટે અરજી પર સુનાવણી કર્યા બાદ પોતાના આદેશમાં કહ્યું છે, કે જો શાળાની બાજુમાં પહેલાથી જ દારૂનું ઠેકાણું છે તો દર વર્ષે તેનું લાઇસન્સ લંબાવવું જરૂરી નથી.

કોર્ટે કાનપુરના આઝાદ નગરમાં શેઠ એમઆર જયપુરિયા સ્કૂલની બાજુમાં આવેલી દારૂની દુકાનના લાયસન્સને 25 માર્ચ પછી લંબાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.   

મુખ્ય ન્યાયાધીશ અરુણ ભણસાલી અને ન્યાયાધીશ વિકાસની ડિવિઝન બેન્ચે બુધવારે 5 વર્ષના વિદ્યાર્થી માસ્ટર અથર્વ દ્વારા દાખલ કરવામાં આવેલી PILની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો છે. એલકેજીના વિદ્યાર્થીએ તેના પિતા મારફત પીઆઈએલ દાખલ કરીને શાળાથી 20 ફૂટ દૂર આવેલી દારૂની દુકાનને હટાવવાની માંગ કરી હતી.

નિયમ મુજબ શાળાને કોન્ટ્રાક્ટ લાયસન્સ મળતું નથી

મળતી માહિતી મુજબ, આ મામલો કાનપુર શહેરના પ્રાણી સંગ્રહાલય પાસે સ્થિત આઝાદ નગર વિસ્તારનો છે. પાંચ વર્ષનો અથર્વ દીક્ષિત આઝાદ નગર વિસ્તારમાં આવેલી શેઠ એમઆર જયપુરિયા સ્કૂલમાં એલકેજીનો વિદ્યાર્થી છે. શાળાથી માત્ર 20 મીટરના અંતરે દારૂનું ઠેકાણું છે. નિયમ મુજબ શાળાની નજીક દારૂની દુકાનનું લાયસન્સ આપી શકાતું નથી. અરજદારનું કહેવું છે કે ઘણીવાર અહીં સવારે 6 થી 7 દરમિયાન દારૂડિયાઓનો જમાવડો હોય છે. દારૂના નશામાં લોકો અહીં હંગામો મચાવે છે. શાળાની નજીક એક રહેણાંક વિસ્તાર પણ છે, જ્યાં સેંકડો લોકો રહે છે.

અનેક પરિવારોએ ફરિયાદ પણ કરી 

પરિવારના ઘણા સભ્યોએ કાનપુરના અધિકારીઓ અને સરકારને ઘણી વખત ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ કેસમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, આ સ્કૂલ 2019માં ખોલવામાં આવી હતી, જ્યારે દારૂનો કોન્ટ્રાક્ટ લગભગ 30 વર્ષ જૂનો છે. આના પર અથર્વના પરિવારના સભ્યોએ અલ્હાબાદ હાઈકોર્ટમાં તેના નામે જનહિત અરજી દાખલ કરી હતી.


(image/jpeg)

PHOTOS: પાકિસ્તાન સેનાનો પૂર્વ કમાન્ડો, તોઈબાનો કમાન્ડર... પૂંછ આતંકી હુમલામાં સામેલ ત્રણ શંકાસ્પદ ઓળખાયા 8 May 2024, 3:59 pm

Image Twitter 

Poonch Terrorist Attack  : શનિવારે જમ્મુ-કાશ્મીરના પૂંછમાં શનિવારે ભારતીય વાયુસેનાના કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં એક જવાન શહીદ થયો હતો અને અન્ય ચાર જવાનો ઘાયલ થયા હતા. સેના હુમલા માટે જવાબદાર આતંકવાદીઓને શોધવામાં જોડાયેલ છે. તે દરમિયાન ત્રણ નામ સામે આવ્યા છે, જેને સુરક્ષાદળો શોધી રહ્યા છે. તેમાંથી એક પાકિસ્તાની સેનાનો પૂર્વ કમાન્ડો છે અને એક લશ્કરનો કમાન્ડર છે.

તપાસમાં ત્રણ નામો સામે આવ્યા હતા

સુરક્ષાદળો પૂંછ આતંકી હુમલાના ગુનેગારોને શોધી રહ્યા છે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, આ સેના માટે સર્ચ ઓપરેશનનું કેન્દ્ર બની ગયુ છે. સુરક્ષા તંત્રના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે, તપાસ દરમિયાન ત્રણ નામો સામે આવ્યા છે, જેમા એક  ભૂતપૂર્વ પાક આર્મી કમાન્ડો ઇલ્યાસ, જેનું કોડ નેમ ફૌજી છે. લશ્કર કમાન્ડર અબુ હમઝા અને હાદૂન છે. 

મોટા પાયે ચલાવવામાં આવી રહ્યું છે સર્ચ અભિયાન

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ત્રણેય જૈશ કમાન્ડ હેઠળ કામ કરી રહ્યા હતા, અને જૈશ-એ-મોહમ્મદની નજીકના PAFF માટે હુમલામાં અંજામ આપી રહ્યા હતા. જો કે હાલમાં તેમની ઓળખ અંગે પુષ્ટિ કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે. અને તેમને શોધવા માટે રાજૌરી-પૂંચ જંગલ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

આ મુદ્દે પહેલાથી જ ઘણા શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે, અને આ ત્રણ સાથેના તેમના સંબંધો વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે. સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના અખનૂર સેક્ટરમાં LoC નજીક કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળ્યા બાદ મોટાપાયે સર્ચ અભિયાન શરુ કરવામાં આવ્યું છે.

TRF ચીફ બાદ આર્મીનું આગામી ટારગેટ

TRF ચીફને ખતમ કર્યા બાદ હવે સેનાનું ફોકસ આગામી બે મોટા ટાર્ગેટ પર છે. ચૂંટણી પહેલા હિઝબુલના ઓપરેશનલ કમાન્ડર ફારૂક નાલી અને લશ્કર ખીણના પ્રમુખ રિયાઝ સેત્રીને પકડવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, તેના પર 10 લાખ રુપિયાનું રોકડ ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.

સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને ખૂબ જ ખતરનાક છે, કારણ કે તેઓ નવા લોકોનું બ્રેઈનવોશ કરીને તેમને આતંકી સંગઠનમાં ભરતી કરી શકે છે. તેઓ ચૂંટણી પહેલા ડર ઉભો કરવા માટે મોટો હુમલો કરવાની યોજના પણ બનાવી શકે છે. તેથી તેની શોધ માટે મોટાપાયે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

(image/jpeg)

VIDEO : મોદીજીએ જેટલા પૈસા અંબાણી-અદાણીને આપ્યા છે ને એટલા અમે પ્રજાને પાછા આપીશું : રાહુલ ગાંધી 8 May 2024, 3:30 pm


Lok Sabha Elections 2024 : વડાપ્રધાન મોદીએ તેલંગાણામાં એક ચૂંટણી રેલી દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ પૂછ્યું કે રાહુલ ગાંધી હવે અંબાણી અને અદાણીનું નામ કેમ નથી લઈ રહ્યા. તેમણે ઉદ્યોગપતિઓથી કેટલા પૈસા મળે છે. વડાપ્રધાન મોદીના આ નિવેદન પર હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જવાબ આપ્યો છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ વડાપ્રધાન મોદીના અદાણી-અંબાણી વાળા નિવેદન અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે કે, 'મોદી જી... થોડા ડરી ગયા છો કે શું. તમે બંધ રૂમમાં અંબાણી-અદાણીની વાત કરતા હોવ છો, પરંતુ પહેલીવાર તમે જાહેરમાં જાહેરમાં આ વાત કરી. તમને એ પણ ખબર છે કે તેઓ ટેમ્પોમાં પૈસા આપે છે. શું તમારો આ પર્સનલ એક્સપીરિયન્સ છે? એક કામ કરો સીબીઆઈ ઈડીને ત્યાં મોકલીને જલ્દીથી તપાસ કરાવો. ડરો નહીં મોદીજી.’

આ ઉપરાંત હું દેશને કહું છું કે ‘જેટલા રૂપિયા મોદીજીએ આમને આપ્યા છે એટલા જ રૂપિયા અમે હિન્દુસ્તાનની ગરીબ જનતાને આપવા જઈ રહ્યા છીએ. મહાલક્ષ્મી યોજના, પહેલી નોકરી પક્કી યોજના, જેના માધ્યમથી અમે કરોડો લખપતિ બનાવીશું. તેમણે 22 અરબપતિ બનાવ્યા છે અમે કરોડો લખપતિ બનાવીશું.' એટલું જ નહીં રાહુલ ગાંધીએ આ પોસ્ટના કેપ્શનમાં તેમણે લખ્યું કે 'ભાજપના ભ્રષ્ટાચારના ટેમ્પોના ડ્રાઈવર અને ખલાસી કોણ છે, દેશ જાણે છે.'

વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર લગાવ્યા ગંભીર આરોપ

જણાવી દઈએ કે, આજે(બુધવાર) તેલંગાણામાં એક રેલી દરમિયાન વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીએ પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસના શેહજાદા છેલ્લા 5 વર્ષથી સવારે ઉઠતા જ માળા જપવાનું શરૂ કરતા હતા. જ્યારથી તેમનો રાફેલ વાળો મામલો ગ્રાઉન્ડેડ થઈ ગયો, ત્યારથી તેમણે એક નવી માળા જપવાનું શરૂ કરી દીધું. પાંચ વર્ષથી એક જ માળા જપતા હતા. પાંચ ઉદ્યોગપતિ, પાંચ ઉદ્યોગપતિ. પછી ધીરે-ધીરે કહેવા લાગ્યા. અંબાણી-અદાણી. પરંતુ જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે. તેમણે અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું. શેહજાદા જાહેર કરો. આ ચૂંટણીમાં અંબાણી-અદાણીથી કેટલો માલ ઉઠાવ્યો છે. તેમણે પૂછ્યું કે, કાળાનાણાના કેટલા કોથળા ભરીને રૂપિયા માર્યા છે. કયા ટેમ્પો ભરીને નોટ કોંગ્રેસ માટે પહોંચ્યા છે. શું સોદો થયો છે?'

વડાપ્રધાન મોદીના અંબાણી-અદાણી નિવેદન મુદ્દે પ્રિયંકા ગાંધીનો જવાબ

ઉત્તરપ્રદેશના રાયબરેલી પહોંચેલા પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદીના અદાણી-અંબાણીના નિવેદન મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'દેશમાં બદલાવનો જુસ્સો આવી ચૂક્યો છે અને વડાપ્રધાન મોદી હવે ડરી રહ્યા છે. તેઓ ખેડૂતો-મહિલાઓની વાત નથી કરી શકતા. તેઓ સમજી રહ્યા છે કે દેશમાં બદલાવનો જુસ્સો આવી ગયો છે. 10 વર્ષમાં તેમણે સંપત્તિ મોટા મોટા ઉદ્યોગપતિઓને આપી દીધી છે. જનતાના સવાલોના જવાબ નથી આપી રહ્યા એટલા માટે તેઓ રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવી રહ્યા છે.

આજે તેઓ કહી રહ્યા છે કે રાહુલ ગાંધી હવે અદાણી-અંબાણીનું નામ નથી લઈ રહ્યા. રાહુલ ગાંધી રોજ અદાણી-અંબાણીની વાત કરે છે. અમે રોજ તેનું સત્ય સામે લાવીએ છીએ. તેમણે 16 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કર્યા. ઉત્તરપ્રદેશના ખેડૂતો એક-એક લાખ રૂપિયા માટે આપઘાત કરી રહ્યા છે. 10 વર્ષ માટે તેમને માત્ર ભ્રમિત કર્યા છે. તમામ સંપત્તિ કરોડપતિ મિત્રોને આપી દીધી છે.'

વડાપ્રધાન મોદીના અંબાણી-અદાણી નિવેદન મુદ્દે મલ્લિકાર્જુન ખડગેની પ્રતિક્રિયા

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અદાણી-અંબાણીવાળા નિવેદન મામલે વળતો જવાબ આપ્યો હતો. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘સમય બદલાઈ રહ્યો છે. દોસ્ત દોસ્ત ના રહા...! ત્રણ તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ વડાપ્રધાને આજે પોતાના જ મિત્રો પર નિશાન તાક્યું છે. આ દર્શાવે છે કે મોદીજીની ખુરશી ડગમગી રહી છે. આ પરિણામોનું વાસ્તવિક વલણ છે.’ 

(image/jpeg)

‘અંબાણી-અદાણીના ત્યાં ઈડી-સીબીઆઈ તપાસ કરાવો, ડરો નહીં’, રાહુલ ગાંધીનો PM મોદીને જવાબ 8 May 2024, 2:43 pm


Lok Sabha Elections 2024વડાપ્રધાન મોદીએ તેલંગાણામાં એક ચૂંટણી રેલી દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ પૂછ્યું કે રાહુલ ગાંધી હવે અંબાણી અને અદાણીનું નામ કેમ નથી લઈ રહ્યા. તેમણે ઉદ્યોગપતિઓથી કેટલા પૈસા મળે છે. વડાપ્રધાન મોદીના આ નિવેદન પર હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જવાબ આપ્યો છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ વડાપ્રધાન મોદીના અદાણી-અંબાણી વાળા નિવેદન અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ પોસ્ટના કેપ્શનમાં તેમણે લખ્યું કે 'ભાજપના ભ્રષ્ટાચારના ટેમ્પોના ડ્રાઈવર અને ખલાસી કોણ છે, દેશ જાણે છે.' આ વીડિયોમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે કે, 'મોદી જી... થોડા ડરી ગયા છો કે શું. તમે બંધ રૂમમાં અંબાણી-અદાણીની વાત કરતા હોવ છો, પરંતુ પહેલીવાર તમે જાહેરમાં જાહેરમાં આ વાત કરી. તમને એ પણ ખબર છે કે તેઓ ટેમ્પોમાં પૈસા આપે છે. શું તમારો આ પર્સનલ એક્સપીરિયન્સ છે? એક કામ કરો સીબીઆઈ ઈડીને ત્યાં મોકલીને જલ્દીથી તપાસ કરાવો. ડરો નહીં મોદીજી.’

આ ઉપરાંત હું દેશને કહું છું કે ‘જેટલા રૂપિયા મોદીજીએ આમને આપ્યા છે એટલા જ રૂપિયા અમે હિન્દુસ્તાનની ગરીબ જનતાને આપવા જઈ રહ્યા છીએ. મહાલક્ષ્મી યોજના, પહેલી નોકરી પક્કી યોજના, જેના માધ્યમથી અમે કરોડો લખપતિ બનાવીશું. તેમણે 22 અરબપતિ બનાવ્યા છે અમે કરોડો લખપતિ બનાવીશું.'

વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર લગાવ્યા હતા ગંભીર આરોપ

તેલંગાણાના કરીમ નગરમાં આયોજિત એક ચૂંટણી સભામાં વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર આ ગંભીર આરોપ લગાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, 'તમે જોયું હશે કે કોંગ્રેસના શહેજાદા છેલ્લાં પાંચ વર્ષથી ઉઠીને પાંચ ઉદ્યોગપતિ, પાંચ ઉદ્યોગપતિની માળા જપતા હતા. જો કે તેમનો રાફેલવાળો કેસ ગ્રાઉન્ડેડ થઈ ગયો ત્યારે તેમણે નવી માળા જપવાની શરૂઆત કરી, અંબાણી-અદાણી, અંબાણી-અદાણી, અંબાણી-અદાણી. હવે જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી તેમણે અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે. હવે શહેજાદા જાહેર કરે કે, તેમણે અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે?'

વડાપ્રધાન મોદી આ આરોપ લગાવ્યા પછી અટક્યા ન હતા. તેમણે કહ્યું હતું કે, 'રાહુલ ગાંધી જાહેર કરે કે, તેમણે ચૂંટણીમાં અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે કાળાં નાણાંના કેટલા બોરા ભરીને નાણાં લીધા છે? શું ટેમ્પો ભરીને કોંગ્રેસને કાળું નાણું પહોંચ્યું છે? એવો કયો સોદો થયો કે, તેમણે રાતોરાત અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું? જરૂર દાળમાં કંઈક કાળું છે. પાંચ વર્ષ સુધી અંબાણી-અદાણીને ગાળો આપી અને પછી રાતોરાત ગાળો આપવાનું બંધ કરી દીધું. તેનો અર્થ એ છે કે, જરૂર કોઈ ને કોઈ ચોરીનો માલ ટેમ્પો ભરી ભરીને તમે મેળવ્યો છે. તમારે દેશને જવાબ આપવો પડશે.'

વડાપ્રધાન મોદીના અંબાણી-અદાણી નિવેદન મુદ્દે પ્રિયંકા ગાંધીનો જવાબ

ઉત્તરપ્રદેશના રાયબરેલી પહોંચેલા પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદીના અદાણી-અંબાણીના નિવેદન મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'દેશમાં બદલાવનો જુસ્સો આવી ચૂક્યો છે અને વડાપ્રધાન મોદી હવે ડરી રહ્યા છે. તેઓ ખેડૂતો-મહિલાઓની વાત નથી કરી શકતા. તેઓ સમજી રહ્યા છે કે દેશમાં બદલાવનો જુસ્સો આવી ગયો છે. 10 વર્ષમાં તેમણે સંપત્તિ મોટા મોટા ઉદ્યોગપતિઓને આપી દીધી છે. જનતાના સવાલોના જવાબ નથી આપી રહ્યા એટલા માટે તેઓ રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવી રહ્યા છે.

આજે તેઓ કહી રહ્યા છે કે રાહુલ ગાંધી હવે અદાણી-અંબાણીનું નામ નથી લઈ રહ્યા. રાહુલ ગાંધી રોજ અદાણી-અંબાણીની વાત કરે છે. અમે રોજ તેનું સત્ય સામે લાવીએ છીએ. તેમણે 16 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કર્યા. ઉત્તરપ્રદેશના ખેડૂતો એક-એક લાખ રૂપિયા માટે આપઘાત કરી રહ્યા છે. 10 વર્ષ માટે તેમને માત્ર ભ્રમિત કર્યા છે. તમામ સંપત્તિ કરોડપતિ મિત્રોને આપી દીધી છે.'

વડાપ્રધાન મોદીના અંબાણી-અદાણી નિવેદન મુદ્દે મલ્લિકાર્જુન ખડગેની પ્રતિક્રિયા

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અદાણી-અંબાણીવાળા નિવેદન મામલે વળતો જવાબ આપ્યો હતો. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘સમય બદલાઈ રહ્યો છે. દોસ્ત દોસ્ત ના રહા...! ત્રણ તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ વડાપ્રધાને આજે પોતાના જ મિત્રો પર નિશાન તાક્યું છે. આ દર્શાવે છે કે મોદીજીની ખુરશી ડગમગી રહી છે. આ પરિણામોનું વાસ્તવિક વલણ છે.’ 

(image/jpeg)

‘અંબાણી-અદાણીના ત્યાં ઈડી-સીબીઆઈ તપાસ કરાવો, ડરો નહીં’, રાહુલ ગાંધીનો PM મોદીને જવાબ 8 May 2024, 2:43 pm


Lok Sabha Elections 2024વડાપ્રધાન મોદીએ તેલંગાણામાં એક ચૂંટણી રેલી દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ પૂછ્યું કે રાહુલ ગાંધી હવે અંબાણી અને અદાણીનું નામ કેમ નથી લઈ રહ્યા. તેમણે ઉદ્યોગપતિઓથી કેટલા પૈસા મળે છે. વડાપ્રધાન મોદીના આ નિવેદન પર હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જવાબ આપ્યો છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ વડાપ્રધાન મોદીના અદાણી-અંબાણી વાળા નિવેદન અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ પોસ્ટના કેપ્શનમાં તેમણે લખ્યું કે 'ભાજપના ભ્રષ્ટાચારના ટેમ્પોના ડ્રાઈવર અને ખલાસી કોણ છે, દેશ જાણે છે.' આ વીડિયોમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે કે, 'મોદી જી... થોડા ડરી ગયા છો કે શું. તમે બંધ રૂમમાં અંબાણી-અદાણીની વાત કરતા હોવ છો, પરંતુ પહેલીવાર તમે જાહેરમાં જાહેરમાં આ વાત કરી. તમને એ પણ ખબર છે કે તેઓ ટેમ્પોમાં પૈસા આપે છે. શું તમારો આ પર્સનલ એક્સપીરિયન્સ છે? એક કામ કરો સીબીઆઈ ઈડીને ત્યાં મોકલીને જલ્દીથી તપાસ કરાવો. ડરો નહીં મોદીજી.’

આ ઉપરાંત હું દેશને કહું છું કે ‘જેટલા રૂપિયા મોદીજીએ આમને આપ્યા છે એટલા જ રૂપિયા અમે હિન્દુસ્તાનની ગરીબ જનતાને આપવા જઈ રહ્યા છીએ. મહાલક્ષ્મી યોજના, પહેલી નોકરી પક્કી યોજના, જેના માધ્યમથી અમે કરોડો લખપતિ બનાવીશું. તેમણે 22 અરબપતિ બનાવ્યા છે અમે કરોડો લખપતિ બનાવીશું.'

વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર લગાવ્યા હતા ગંભીર આરોપ

તેલંગાણાના કરીમ નગરમાં આયોજિત એક ચૂંટણી સભામાં વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર આ ગંભીર આરોપ લગાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, 'તમે જોયું હશે કે કોંગ્રેસના શહેજાદા છેલ્લાં પાંચ વર્ષથી ઉઠીને પાંચ ઉદ્યોગપતિ, પાંચ ઉદ્યોગપતિની માળા જપતા હતા. જો કે તેમનો રાફેલવાળો કેસ ગ્રાઉન્ડેડ થઈ ગયો ત્યારે તેમણે નવી માળા જપવાની શરૂઆત કરી, અંબાણી-અદાણી, અંબાણી-અદાણી, અંબાણી-અદાણી. હવે જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી તેમણે અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે. હવે શહેજાદા જાહેર કરે કે, તેમણે અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે?'

વડાપ્રધાન મોદી આ આરોપ લગાવ્યા પછી અટક્યા ન હતા. તેમણે કહ્યું હતું કે, 'રાહુલ ગાંધી જાહેર કરે કે, તેમણે ચૂંટણીમાં અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે કાળાં નાણાંના કેટલા બોરા ભરીને નાણાં લીધા છે? શું ટેમ્પો ભરીને કોંગ્રેસને કાળું નાણું પહોંચ્યું છે? એવો કયો સોદો થયો કે, તેમણે રાતોરાત અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું? જરૂર દાળમાં કંઈક કાળું છે. પાંચ વર્ષ સુધી અંબાણી-અદાણીને ગાળો આપી અને પછી રાતોરાત ગાળો આપવાનું બંધ કરી દીધું. તેનો અર્થ એ છે કે, જરૂર કોઈ ને કોઈ ચોરીનો માલ ટેમ્પો ભરી ભરીને તમે મેળવ્યો છે. તમારે દેશને જવાબ આપવો પડશે.'

વડાપ્રધાન મોદીના અંબાણી-અદાણી નિવેદન મુદ્દે પ્રિયંકા ગાંધીનો જવાબ

ઉત્તરપ્રદેશના રાયબરેલી પહોંચેલા પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદીના અદાણી-અંબાણીના નિવેદન મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'દેશમાં બદલાવનો જુસ્સો આવી ચૂક્યો છે અને વડાપ્રધાન મોદી હવે ડરી રહ્યા છે. તેઓ ખેડૂતો-મહિલાઓની વાત નથી કરી શકતા. તેઓ સમજી રહ્યા છે કે દેશમાં બદલાવનો જુસ્સો આવી ગયો છે. 10 વર્ષમાં તેમણે સંપત્તિ મોટા મોટા ઉદ્યોગપતિઓને આપી દીધી છે. જનતાના સવાલોના જવાબ નથી આપી રહ્યા એટલા માટે તેઓ રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવી રહ્યા છે.

આજે તેઓ કહી રહ્યા છે કે રાહુલ ગાંધી હવે અદાણી-અંબાણીનું નામ નથી લઈ રહ્યા. રાહુલ ગાંધી રોજ અદાણી-અંબાણીની વાત કરે છે. અમે રોજ તેનું સત્ય સામે લાવીએ છીએ. તેમણે 16 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કર્યા. ઉત્તરપ્રદેશના ખેડૂતો એક-એક લાખ રૂપિયા માટે આપઘાત કરી રહ્યા છે. 10 વર્ષ માટે તેમને માત્ર ભ્રમિત કર્યા છે. તમામ સંપત્તિ કરોડપતિ મિત્રોને આપી દીધી છે.'

વડાપ્રધાન મોદીના અંબાણી-અદાણી નિવેદન મુદ્દે મલ્લિકાર્જુન ખડગેની પ્રતિક્રિયા

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અદાણી-અંબાણીવાળા નિવેદન મામલે વળતો જવાબ આપ્યો હતો. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘સમય બદલાઈ રહ્યો છે. દોસ્ત દોસ્ત ના રહા...! ત્રણ તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ વડાપ્રધાને આજે પોતાના જ મિત્રો પર નિશાન તાક્યું છે. આ દર્શાવે છે કે મોદીજીની ખુરશી ડગમગી રહી છે. આ પરિણામોનું વાસ્તવિક વલણ છે.’ 

(image/jpeg)

ભાજપ પ્રમુખ નડ્ડા અને અમિત માલવીયને કર્ણાટક પોલીસનું સમન્સ, જાણો શું છે સમગ્ર મામલો 8 May 2024, 2:39 pm


Congress Complaint Against BJP : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એનિમિટેડ વીડિયો મુદ્દે પોલીસે ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા (JP Nadda) અને આઈટી સેલના વડા અમિત માલવીય (Amit Malviya)ને સમન્સ પાઠવ્યું છે. વાસ્તવમાં કર્ણાટક ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો શેર કર્યા બાદ ભારે વિવાદ થયો હતો. કોંગ્રેસ આ મુદ્દે નડ્ડા, માલવીયા અને કર્ણાટક ભાજપ અધ્યક્ષ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ કર્ણાટક પોલીસે નડ્ડા-માલવીયાનો સમન્સ પાઠવ્યું છે. કોંગ્રેસે કહ્યું છે કે, ભાજપે સિદ્ધારમૈયા અને રાહુલનો વીડિયો ખોટી રીતે દર્શાવ્યો છે.

કોંગ્રેસે ચૂંટણી પંચમાં નોંધાવી ફરિયાદ

કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીના મીડિયા એન્ડ કોમ્યુનિકેશન પ્રમુખ રમેશ બાબુએ ચૂંટણી પંચમાં પત્ર લખ્યો છે કે, ‘કર્ણાટક ભાજપે અનુસૂચિત જાતિ અને જનજાતિ (SC/ST)ના લોકો વિરુદ્ધ દુશ્મનાવટ, તિરસ્કાર અને દુર્ભાવનાની લાગણીઓ ઉભી કરવાના હેતુથી કથિત રીતે એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં કથિત રીતે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને ડરાવાયા છે અને કહેવાયું છે કે, તેઓ એક ખાસ ઉમેદવારને મત ન આપે.’ વીડિયો વાયરલ થયા બાદ રાજ્યના રાજકારણમાં ભારે ખળભળાટ ચાલી રહ્યો છે.

ભાજપે આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું, કોંગ્રેસનો આક્ષેપ

કોંગ્રેસ (Congress)ના પત્રમાં જણાવાયું છે કે, ‘કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (Karnataka CM Siddaramaiah) અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ને વીડિયોમાં એનિમેટેડ રીતે દર્શાવાયા છે, જે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. એટલું જ નહીં, ભાજપે (BJP) બંને નેતાઓનો સહારો લઈને એવું દેખાડવાનો પ્રયાસ કર્યો છે કે, કોંગ્રેસ પાર્ટી કોઈ ખાસ ધર્મના લોકોનું સમર્થન કરી રહી છે અને એસસી-એસટી અને ઓબીસી સમાજના સભ્યો પર જુલમ કરી રહી છે. કર્ણાટક ભાજપે શનિવારે ચોથી મેએ આ વીડિયો શેર કર્યો હતો.

(image/jpeg)

ભાજપ પ્રમુખ નડ્ડા અને અમિત માલવીયને કર્ણાટક પોલીસનું સમન્સ, જાણો શું છે સમગ્ર મામલો 8 May 2024, 2:39 pm


Congress Complaint Against BJP : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એનિમિટેડ વીડિયો મુદ્દે પોલીસે ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા (JP Nadda) અને આઈટી સેલના વડા અમિત માલવીય (Amit Malviya)ને સમન્સ પાઠવ્યું છે. વાસ્તવમાં કર્ણાટક ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો શેર કર્યા બાદ ભારે વિવાદ થયો હતો. કોંગ્રેસ આ મુદ્દે નડ્ડા, માલવીયા અને કર્ણાટક ભાજપ અધ્યક્ષ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ કર્ણાટક પોલીસે નડ્ડા-માલવીયાનો સમન્સ પાઠવ્યું છે. કોંગ્રેસે કહ્યું છે કે, ભાજપે સિદ્ધારમૈયા અને રાહુલનો વીડિયો ખોટી રીતે દર્શાવ્યો છે.

કોંગ્રેસે ચૂંટણી પંચમાં નોંધાવી ફરિયાદ

કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીના મીડિયા એન્ડ કોમ્યુનિકેશન પ્રમુખ રમેશ બાબુએ ચૂંટણી પંચમાં પત્ર લખ્યો છે કે, ‘કર્ણાટક ભાજપે અનુસૂચિત જાતિ અને જનજાતિ (SC/ST)ના લોકો વિરુદ્ધ દુશ્મનાવટ, તિરસ્કાર અને દુર્ભાવનાની લાગણીઓ ઉભી કરવાના હેતુથી કથિત રીતે એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં કથિત રીતે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને ડરાવાયા છે અને કહેવાયું છે કે, તેઓ એક ખાસ ઉમેદવારને મત ન આપે.’ વીડિયો વાયરલ થયા બાદ રાજ્યના રાજકારણમાં ભારે ખળભળાટ ચાલી રહ્યો છે.

ભાજપે આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું, કોંગ્રેસનો આક્ષેપ

કોંગ્રેસ (Congress)ના પત્રમાં જણાવાયું છે કે, ‘કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (Karnataka CM Siddaramaiah) અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ને વીડિયોમાં એનિમેટેડ રીતે દર્શાવાયા છે, જે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. એટલું જ નહીં, ભાજપે (BJP) બંને નેતાઓનો સહારો લઈને એવું દેખાડવાનો પ્રયાસ કર્યો છે કે, કોંગ્રેસ પાર્ટી કોઈ ખાસ ધર્મના લોકોનું સમર્થન કરી રહી છે અને એસસી-એસટી અને ઓબીસી સમાજના સભ્યો પર જુલમ કરી રહી છે. કર્ણાટક ભાજપે શનિવારે ચોથી મેએ આ વીડિયો શેર કર્યો હતો.

(image/jpeg)

Unseasonal Rain: ડાંગ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ 8 May 2024, 2:21 pm

Unseasonal Rain: ડાંગ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ

ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી સામ પિત્રોડાનું રાજીનામું, કોંગ્રેસે સ્વીકારી પણ લીધું 8 May 2024, 1:46 pm


Sam Pitroda Resign : સામ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષે તેના રાજીનામાંનો સ્વીકાર પણ કરી લીધો છે. આ અંગે કોંગ્રેસ નેતા જયરામ રમેશે માહિતી આપી છે. જણાવી દઈએ કે, સામ પિત્રોડાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેઓ ભારતના અલગ-અલગ ભાગોમાં રહેતા લોકો અંગે વિવાદિત રીતે સરખામણી કરી હતી. જોકે, સામ પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસે ખુદને અલગ રાખી હતી. કોંગ્રેસે કહ્યું હતું કે તે તેમનું અંગત નિવેદન છે.

જયરામ રમેશે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું કે, 'સામ પિત્રોડાએ પોતાની મરજીથી ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ અધ્યક્ષે તેમના રાજીનામાંનો સ્વીકાર કરી લીધો છે.'

શું કહ્યું હતું સામ પિત્રાડાએ ?

સામ પિત્રોડાએ એક વિવાદિત નિવેદન આપ્યું હતું. એક ઈન્ટરવ્યુમાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે 'આપણા દેશમાં પૂર્વના લોકો ચીની જેવા, પશ્ચિમના લોકો આરબ જેવા અને દક્ષિણના લોકો આફ્રિકન જેવા દેખાય છે, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી, આપણે બધા ભાઈ-બહેનની જેમ રહીએ છીએ.' ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પાર્ટીના અધ્યક્ષે એક ઈન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે 'આ દેશ ખૂબ જ વૈવિધ્યસભર છે, બધા એક સાથે પ્રેમથી રહે છે.' પરંતુ તેણે દેશને મેસેજ આપવા માટે જે શબ્દોનો પ્રયોગ કર્યો હતો તેને લઈને નવો વિવાદ ઉભો થયો છે.

સામ પ્રિત્રોડાના નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રિયા

સામ પિત્રોડાના નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રિયા પણ સામે આવી છે. કોંગ્રેસ પાર્ટીએ પિત્રોડાના નિવેદનથી પોતાને સંપૂર્ણપણે દૂર કરી દીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે 'સામ પિત્રોડા દ્વારા પોડકાસ્ટમાં ભારતની વિવિધતા દર્શાવવા માટે કરવામાં આવેલી સરખામણી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ સામ્યતાઓથી પોતાને સંપૂર્ણપણે અલગ કરે છે.'

વડાપ્રધાન મોદીના સામ પિત્રોડા પર આકરા પ્રહાર

તેલંગાણાના વારંગલમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામ પિત્રોડાના નિવેદન પર કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'આજે હું ખૂબ ગુસ્સામાં છું. શહેજાદાના એક અંકલે આજે ​​એવા અપશબ્દ કહ્યા કે જેનાથી મને ગુસ્સો આવી ગયો. જે લોકો બંધારણને માથે રાખે છે તેઓ દેશની ચામડીનું અપમાન કરી રહ્યા છે.'  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે, 'શહેજાદાના એક અંકલ અમેરિકામાં રહે છે. આ અંકલ શહેજાદાના ફિલોસોફિકલ ગાઈડ છે, જે ક્રિકેટમાં થર્ડ અમ્પાયર હોય છે, અને જો કોઈ મૂંઝવણ હોય તો અમ્પાયરને પૂછે છે, તેવી જ રીતે જ્યારે શહેજાદાને કોઈ મૂંઝવણ હોય ત્યારે તે થર્ડ પ્લેયર પાસેથી સલાહ લે છે. શહેજાદાના અંકલે એક મોટું રહસ્ય ખોલ્યું છે. આ અંકલે કહ્યું છે કે 'જેમની ચામડીનો રંગ કાળો છે, તે બધા આફ્રિકાના છે.'

(image/jpeg)

ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી સામ પિત્રોડાનું રાજીનામું, કોંગ્રેસે સ્વીકારી પણ લીધું 8 May 2024, 1:46 pm


Sam Pitroda Resign : સામ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષે તેના રાજીનામાંનો સ્વીકાર પણ કરી લીધો છે. આ અંગે કોંગ્રેસ નેતા જયરામ રમેશે માહિતી આપી છે. જણાવી દઈએ કે, સામ પિત્રોડાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેઓ ભારતના અલગ-અલગ ભાગોમાં રહેતા લોકો અંગે વિવાદિત રીતે સરખામણી કરી હતી. જોકે, સામ પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસે ખુદને અલગ રાખી હતી. કોંગ્રેસે કહ્યું હતું કે તે તેમનું અંગત નિવેદન છે.

જયરામ રમેશે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું કે, 'સામ પિત્રોડાએ પોતાની મરજીથી ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ અધ્યક્ષે તેમના રાજીનામાંનો સ્વીકાર કરી લીધો છે.'

શું કહ્યું હતું સામ પિત્રાડાએ ?

સામ પિત્રોડાએ એક વિવાદિત નિવેદન આપ્યું હતું. એક ઈન્ટરવ્યુમાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે 'આપણા દેશમાં પૂર્વના લોકો ચીની જેવા, પશ્ચિમના લોકો આરબ જેવા અને દક્ષિણના લોકો આફ્રિકન જેવા દેખાય છે, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી, આપણે બધા ભાઈ-બહેનની જેમ રહીએ છીએ.' ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પાર્ટીના અધ્યક્ષે એક ઈન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે 'આ દેશ ખૂબ જ વૈવિધ્યસભર છે, બધા એક સાથે પ્રેમથી રહે છે.' પરંતુ તેણે દેશને મેસેજ આપવા માટે જે શબ્દોનો પ્રયોગ કર્યો હતો તેને લઈને નવો વિવાદ ઉભો થયો છે.

સામ પ્રિત્રોડાના નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રિયા

સામ પિત્રોડાના નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રિયા પણ સામે આવી છે. કોંગ્રેસ પાર્ટીએ પિત્રોડાના નિવેદનથી પોતાને સંપૂર્ણપણે દૂર કરી દીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે 'સામ પિત્રોડા દ્વારા પોડકાસ્ટમાં ભારતની વિવિધતા દર્શાવવા માટે કરવામાં આવેલી સરખામણી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ સામ્યતાઓથી પોતાને સંપૂર્ણપણે અલગ કરે છે.'

વડાપ્રધાન મોદીના સામ પિત્રોડા પર આકરા પ્રહાર

તેલંગાણાના વારંગલમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામ પિત્રોડાના નિવેદન પર કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'આજે હું ખૂબ ગુસ્સામાં છું. શહેજાદાના એક અંકલે આજે ​​એવા અપશબ્દ કહ્યા કે જેનાથી મને ગુસ્સો આવી ગયો. જે લોકો બંધારણને માથે રાખે છે તેઓ દેશની ચામડીનું અપમાન કરી રહ્યા છે.'  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે, 'શહેજાદાના એક અંકલ અમેરિકામાં રહે છે. આ અંકલ શહેજાદાના ફિલોસોફિકલ ગાઈડ છે, જે ક્રિકેટમાં થર્ડ અમ્પાયર હોય છે, અને જો કોઈ મૂંઝવણ હોય તો અમ્પાયરને પૂછે છે, તેવી જ રીતે જ્યારે શહેજાદાને કોઈ મૂંઝવણ હોય ત્યારે તે થર્ડ પ્લેયર પાસેથી સલાહ લે છે. શહેજાદાના અંકલે એક મોટું રહસ્ય ખોલ્યું છે. આ અંકલે કહ્યું છે કે 'જેમની ચામડીનો રંગ કાળો છે, તે બધા આફ્રિકાના છે.'

(image/jpeg)

વડાપ્રધાન મોદી જનતાને જવાબ આપવાથી ડરી રહ્યા છે એટલા માટે રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવે છે : પ્રિયંકા ગાંધી 8 May 2024, 1:04 pm


Lok Sabha Elections 2024 : ઉત્તરપ્રદેશની બે હાઈપ્રોફાઈલ બેઠક અમેઠી અને રાયબરેલીમાં આગામી 20 મેના રોજ પાંચમાં તબક્કા (લોકસભા ચૂંટણી 2024)માં મતદાન થશે. ભલે પ્રિયંકા ગાંધી ઉમેદવાર નથી પરંતુ પાર્ટીના પ્રચાર અભિયાનમાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા તરીકે તેઓ સૌથી આગળ છે. તેમના ભાઈ રાહુલ ગાંધી રાયબરેલીથી ઉમેદવાર છે, જ્યારે ગાંધી પરિવારના નજીકના કિશોરી લાલ શર્મા અમેઠીથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં છે. પ્રિયંકા ગાંધી રાયબરેલી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા.

લોકસભા ચૂંટણીના ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારબાદ તમામ રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ વધુ ઝડપી કરી દીધી છે. આ વચ્ચે રાયબરેલી પહોંચેલા પ્રિયંકા ગાંધીનું કહેવું છે કે, દેશમાં બદલાવનો જુસ્સો આવી ચૂક્યો છે અને વડાપ્રધાન મોદી હવે ડરી રહ્યા છે. તેઓ ખેડૂતો-મહિલાઓની વાત નથી કરી શકતા. 10 વર્ષમાં તેમણે સંપત્તિ મોટા મોટા ઉદ્યોગપતિઓને આપી દીધી છે. જનતાના સવાલોના જવાબ નથી આપી રહ્યા એટલા માટે તેઓ રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવી રહ્યા છે.

વડાપ્રધાન મોદીના અદાણી-અંબાણીના નિવેદન મુદ્દે પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા

પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદીના અદાણી-અંબાણી વાળા નિવેદન મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'આજે તેઓ કહી રહ્યા છે કે રાહુલ ગાંધી હવે અદાણી-અંબાણીનું નામ નથી લઈ રહ્યા. અમે રોજ તેનું સત્ય સામે લાવીએ છીએ. તેમણે 16 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કર્યા. ઉત્તરપ્રદેશના ખેડૂતો એક-એક લાખ રૂપિયા માટે આપઘાત કરી રહ્યા છે. 10 વર્ષ માટે તેમને માત્ર ભ્રમિત કર્યા છે. તમામ સંપત્તિ કરોડપતિ મિત્રોને આપી દીધી છે.'

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'જનતાનો થાકી ગઈ છે આવી વાતોથી અને ખોટા વચનોથી. જનતા આજે ઈચ્છે છે કે સમસ્યાનો ઉકેલ આવે. જનતા કહી રહી છે કે 10 વર્ષમાં શું કર્યું ? અમે કામના આધારે મત આપવા માંગીએ છીએ. જનતા ઈચ્છે છે કે અમારા માટે શું યોજના લાવી રહ્યા છો. કોંગ્રેસ જનતાના મુદ્દાઓ પર ચૂંટણી લડવા માંગે છે.'

સામ પિત્રોડાના નિવેદન મુદ્દે પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા

રાયબરેલીમાં પ્રિયંકા ગાંધીએ સામ પિત્રોડાના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, 'અમારી પાર્ટી મોટી પાર્ટી છે. કોઈ કંઈ કહી જાય છે. અમેરિકામાં બેઠેલા કોઈએ કંઈક ટિપ્પણી કરી દીધી તો આખા દેશમાં એવો માહોલ બનાવી દીધો જેમ કે કોઈ મોટા નેતાએ નિવેદન આપ્યું હોય. ચૂંટણીનો માહોલ છે અને ભાજપ આખા દેશમાં આવો માહોલ જાણીજોઈને બનાવી રહ્યું છે જેથી બેરોજગારી, ગરીબી અને શિક્ષણના મુદ્દાથી ભટકાવી શકાય.'

રાયબરેલીમાં રાહુલ ગાંધી Vs દિનેશ પ્રતાપ સિંહ

1952માં પોતાની પહેલી લોકસભા ચૂંટણી બાદથી કોંગ્રેસ માત્ર ત્રણ વખત રાયબરેલી હારી છે. 1977માં ઈમરજન્સી બાદની ચૂંટણી અને 1996 અને 1998ની ચૂંટણીમાં કોંગ્રેસ આ બેઠક પર હારી ગઈ હતી. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી 2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપ અને મોદી લહેર હોવા છતાં રાયબરેલી બેઠક જીતવામાં સફળ રહ્યા હતા. આ વખતે સ્વાસ્થ્યના કારણોસર તેમણે લોકસભાની ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો અને રાજ્યસભામાં ચાલ્યા ગયા છે. આ વખતે કોંગ્રેસે તેમના પરંપરાગત ગઢમાંથી રાહુલ ગાંધીને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકનું પ્રતિનિધિત્વ એક સમયે ફિરોઝ ગાંધી અને ઈન્દિરા ગાંધી કરી ચૂક્યા છે. રાયબરેલીમાં રાહુલ ગાંધીનો મુકાબલો યુપીના મંત્રી દિનેશ પ્રતાપ સિંહ સાથે છે, જેઓ 2019ની ચૂંટણીમાં સોનિયા ગાંધી સામે 1.67 લાખથી વધુ મતોથી હારી ગયા હતા.

(image/jpeg)

વરસાદ અને ક્લાઉડ સીડિંગના ભરોસે ના બેસી રહો, ઉત્તરાખંડના જંગલોની આગ મુદ્દે સુપ્રીમ કોર્ટની કડકાઈ 8 May 2024, 12:03 pm


Image Source: Twitter

ઉત્તરાખંડના જંગલોમાં આગ રોકવા મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વરસાદ અને ક્લાઉડ સીડિંગના ભરોસે હાથ પર હાથ ધરીને ન બેસી રહેવાય. સરકારે કંઈક અસરકારક રીતે કરવું પડશે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠ સમક્ષ સુનાવણી દરમિયાન અરજદારના વકીલે આગની વધતી જતી ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરતા તેના પર તાત્કાલિક લગામ કસવા માટે સરકારને આદેશ આપવાની વિનંતી કરી હતી.

વકીલે કહ્યું કે, બે વર્ષ પહેલા પણ એનજીટીમાં અરજી કરવામાં આવી હતી. સરકારે અત્યાર સુધી તેના પર કોઈ કાર્યવાહી નથી કરી. એટલા માટે મારે અહીં આવવું પડ્યું. આ મામલો આખા ભારતનો છે. ઉત્તરાખંડ તેનાથી વધુ પીડિત છે. સરકાર દ્વારા જંગલમાં લાગેલી આગની ઘટનાઓ અને તેને કાબૂમાં લેવાનાં પગલાંની વિગતો આપી હતી.

સરકાર જેટલી શાંતિથી વિગતો આપે છે, સ્થિતિ તેનાથી વધુ ગંભીર 

સરકારે કહ્યું કે, અત્યાર સુધીમાં જંગલમાં આગ લાગવાની 398 ઘટના નોંધાઈ છે. 350થી વધુ ગુનાહિત કેસ નોંધાયા છે જેમાં 62 લોકોના નામ છે. 298 અજાણ્યા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ ચાલુ છે. કેટલાક લોકોને પૂછપરછ માટે કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે. 

અરજદારે કહ્યું કે, સરકાર જેટલી આરામથી વિગતો આપી રહી છે તેના કરતાં સ્થિતિ વધુ ગંભીર છે. જંગલમાં રહેતા પ્રાણીઓ, પક્ષીઓ અને વનસ્પતિની સાથે-સાથે આસપાસ રહેતા લોકોના અસ્તિત્વને પણ ગંભીર ખતરો છે. જસ્ટિસ ગવઈએ કહ્યું કે શું આપણે આમાં CEC એટલે કે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીને પણ સામેલ કરી શકીએ?

વરસાદ અને ક્લાઉડ સીડિંગના ભરોસે બેસી ના રહેવાય

સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકારને કહ્યું કે, તમે જોયું જ હશે કે મીડિયામાં જંગલમાં લાગેલી આગની કેવી ભયાનક તસવીરો આવી રહી છે. રાજ્ય સરકાર શું કરી રહી છે? ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ અંગે જસ્ટિસ સંદીપ મહેતાએ કહ્યું કે વરસાદ અને ક્લાઉડ સીડિંગના ભરોસે ન બેસી રહેવાય. સરકારે આગળ વધીને તાત્કાલિક અસરકારક પગલાં લેવા પડશે.

વારંવાર લાગતી આગ અંગે ઉત્તરાખંડ સરકારે શું કહ્યું?

ઉત્તરાખંડ સરકારે કહ્યું કે હમણા બે મહિના આગની સિઝન રહે છે. દર ચાર વર્ષે જંગલમાં ભીષણ આગનો દોર આવે છે. ત્યારબાદ આગામી વર્ષોમાં આગની ઘટનામાં ઘટાડો નોંધાઈ છે. ચોથા વર્ષે ફરી તેમાં વધારો થાય છે. કોર્ટે કહ્યું કે આ મામલે અમારે જોવું પડશે કે સેન્ટ્રલ હાઈ પાવર્ડ કમિટીને કેવી રીતે સામેલ કરી શકાય. હવે કોર્ટ આગામી સુનાવણી 15 મેના રોજ કરશે.

આગના કારણે 1,145 હેક્ટર જંગલ બળીને ખાખ

ઉત્તરાખંડમાં નવેમ્બરથી અત્યાર સુધીમાં 900થી વધુ આગની ઘટનાઓ ઘટી છે. આ વખતે મામલો વધુ ગંભીર છે કારણ કે ગત વર્ષે લાગેલી આગ ઓલવાઈ નથી રહી. આંકડા પ્રમાણે છેલ્લા છ મહિનામાં જંગલમાં લાગેલી આગના કારણે 1,145 હેક્ટર જંગલ બળીને ખાખ થઈ ચૂક્યું છે. આગની અસર હવે શહેરમાં પણ જોવા મળી રહી છે. ધુમાડાના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે. આ દરમિયાન તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એરફોર્સના હેલિકોપ્ટર પણ અલગ-અલગ ટેકનિકનો ઉપયોગ કરીને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે.


(image/jpeg)

‘શહેજાદાના ગાઈડ પર ગુસ્સે છું, ચામડીના રંગના આધારે અપમાન કર્યું, સામ પિત્રોડાના નિવેદન મુદ્દે PM મોદીના પ્રહાર 8 May 2024, 11:22 am


Lok Sabha Elections 2024: કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ થોડા દિવસો પહેલા 'વારસાગત ટેક્સ'ને લઈને એક ટિપ્પણી કરી હતી. જેના પર ખૂબ વિવાદ થયો હતો. આ વિવાદ હજુ પુરો થયો નથી, ત્યા હવે કોંગ્રેસ નેતાએ ભારતીય લોકોના દેખાવને લઈને એક નિવેદન આપ્યું છે. જેના પર પણ વિવાદ થયો છે. ત્યારે હવે વડાપ્રધાન મોદીએ પણ પિત્રોડાના નિવેદનને લઈને કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે.

વડાપ્રધાન મોદીના સામ પિત્રોડા પર આકરા પ્રહાર

તેલંગાણાના વારંગલમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામ પિત્રોડાના નિવેદન પર કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'આજે હું ખૂબ ગુસ્સામાં છું. શહેજાદાના એક અંકલે આજે ​​એવા અપશબ્દ કહ્યા કે જેનાથી મને ગુસ્સો આવી ગયો. જે લોકો બંધારણને માથે રાખે છે તેઓ દેશની ચામડીનું અપમાન કરી રહ્યા છે.'  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે, 'શહેજાદાના એક અંકલ અમેરિકામાં રહે છે. આ અંકલ શહેજાદાના ફિલોસોફિકલ ગાઈડ છે, જે ક્રિકેટમાં થર્ડ અમ્પાયર હોય છે, અને જો કોઈ મૂંઝવણ હોય તો અમ્પાયરને પૂછે છે, તેવી જ રીતે જ્યારે શહેજાદાને કોઈ મૂંઝવણ હોય ત્યારે તે થર્ડ પ્લેયર પાસેથી સલાહ લે છે. શહેજાદાના અંકલે એક મોટું રહસ્ય ખોલ્યું છે. આ અંકલે કહ્યું છે કે 'જેમની ચામડીનો રંગ કાળો છે, તે બધા આફ્રિકાના છે.'

પીએમ મોદીએ રાહુલ ગાંધીને આડે હાથ લીધા

આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનો ઉલ્લેખ કરતા વધુમાં કહ્યું હતું કે 'અમારા કાર્યકાળમાં અમે આદિવાસી દીકરી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવી પરંતુ કોંગ્રેસે આનો જોરદાર વિરોધ કર્યો. હું ઘણું વિચારી રહ્યો હતો કે દ્રૌપદી જી, જે ખૂબ જ સારી પ્રતિષ્ઠા ધરાવે છે, આદિવાસી સમુદાયની પુત્રી છે. અમે તેમને રાષ્ટ્રપતિ બનાવી રહ્યા છીએ તો કોંગ્રેસ તેમને હરાવવા માટે આટલી મહેનત કેમ કરી રહી છે? હું સમજી ન શક્યો. મને લાગતું હતું કે શહેજાદા પાસે આવા જ વિચાર હશે અને તેથી જ તે વિરોધ કરી રહ્યા છે, પરંતુ આજે મને ખબર પડી કે કોંગ્રેસ પાર્ટી મૂર્મુને હરાવવા મેદાનમાં કેમ ઉતરી હતી.'

રંગના આધારે દેશવાસીઓનું અપમાન દેશ સહન કરશે નહીં : પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ ચૂંટણીના સંબોધન દરમિયાન સામ પિત્રોડા પર આકરા પ્રહાર કરતા વધુમાં કહ્યું હતું કે 'જેમની ચામડીનો રંગ કાળો છે, શું તે બધા આફ્રિકાના છે? તેઓએ ચામડીના રંગના આધારે મારા દેશના લોકોને અપશબ્દ કહ્યા છે. અરે, ચામડીનો રંગ ભલે ગમે તેવો હોય, આપણે શ્રી કૃષ્ણની પૂજા કરનારા લોકો છીએ. શહેજાદાએ જવાબ આપવો પડશે. ચામડીના રંગના આધારે મારા દેશવાસીઓનું અપમાન દેશ સહન કરશે નહીં અને મોદી તો ક્યારેય સહન કરશે નહીં.'

શું કહ્યું હતું સામ પિત્રાડાએ ?

સામ પિત્રોડાએ એક વિવાદિત નિવેદન આપ્યું હતું. એક ઈન્ટરવ્યુમાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે 'આપણા દેશમાં પૂર્વના લોકો ચીની જેવા, પશ્ચિમના લોકો આરબ જેવા અને દક્ષિણના લોકો આફ્રિકન જેવા દેખાય છે, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી, આપણે બધા ભાઈ-બહેનની જેમ રહીએ છીએ.' ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પાર્ટીના અધ્યક્ષે એક ઈન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે 'આ દેશ ખૂબ જ વૈવિધ્યસભર છે, બધા એક સાથે પ્રેમથી રહે છે.' પરંતુ તેણે દેશને મેસેજ આપવા માટે જે શબ્દોનો પ્રયોગ કર્યો હતો તેને લઈને નવો વિવાદ ઉભો થયો છે.

(image/jpeg)

‘દોસ્ત, દોસ્ત ના રહા...’, વડાપ્રધાન મોદીના અંબાણી-અદાણી નિવેદન મુદ્દે ખડગેનો વળતો જવાબ 8 May 2024, 11:14 am

Mallikarjun Kharge Attack On PM Modi : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અદાણી-અંબાણીવાળા નિવેદન મામલે વળતો જવાબ આપ્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, ‘સમય બદલાઈ રહ્યો છે. દોસ્ત દોસ્ત ના રહા...! ત્રણ તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ વડાપ્રધાને આજે પોતાના જ મિત્રો પર નિશાન તાક્યું છે. આ દર્શાવે છે કે મોદીજીની ખુરશી ડગમગી રહી છે. આ પરિણામોનું વાસ્તવિક વલણ છે.’ 

વડાપ્રધાન મોદીએ શું કહ્યું હતું ?

વાસ્તવમાં વડાપ્રધાન મોદીએ તેલંગાણાના કરીમ નગરમાં આયોજિત એક ચૂંટણી સભામાં કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘તમે જોયું હશે કે કોંગ્રેસના શહેજાદા છેલ્લાં પાંચ વર્ષથી ઉઠીને ‘પાંચ ઉદ્યોગપતિ, પાંચ ઉદ્યોગપતિ’ની માળા જપતા હતા. જો કે તેમનો રાફેલવાળો કેસ ગ્રાઉન્ડેડ થઈ ગયો ત્યારે તેમણે નવી માળા જપવાની શરૂઆત કરી, અંબાણી-અદાણી, અંબાણી-અદાણી, અંબાણી-અદાણી. હવે જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી તેમણે અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે. હવે શહેજાદા જાહેર કરે કે, તેમણે અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે?’

રાહુલ જાહેર કરે કે, અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો : વડાપ્રધાન

વડાપ્રધાન મોદી આ આરોપ લગાવ્યા પછી અટક્યા ન હતા. તેમણે કહ્યું કે, ‘રાહુલ ગાંધી જાહેર કરે કે, તેમણે ચૂંટણીમાં અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે, કાળાં નાણાંના કેટલા બોરા ભરીને નાણાં લીધા છે? શું ટેમ્પો ભરીને કોંગ્રેસને કાળું નાણું પહોંચ્યું છે? એવો કયો સોદો થયો કે, તેમણે રાતોરાત અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું? જરૂર દાળમાં કંઈક કાળું છે. પાંચ વર્ષ સુધી અંબાણી-અદાણીને ગાળો આપી અને પછી રાતોરાત ગાળો આપવાનું બંધ કરી દીધું. તેનો અર્થ એ છે કે, જરૂર કોઈ ને કોઈ ચોરીનો માલ ટેમ્પો ભરી ભરીને તમે મેળવ્યો છે. તમારે દેશને જવાબ આપવો પડશે.’

તો અંબાણી-અદાણી વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં? PM મોદીના નિવેદન બાદ ઊભો થયો મોટો સવાલ

(image/jpeg)

'હું તમને ઠપકો આપીશ અને ભગાડીશ, પરંતુ...', પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ કાર્યકરોને કેમ આમ કહ્યું? 8 May 2024, 10:56 am


Image Source: Twitter

Lok Sabha Elections 2024 : ઉત્તર પ્રદેશની બે હાઈપ્રોફાઈલ બેઠકો અમેઠી અને રાયબરેલીમાં 20 મેના રોજ પાંચમા તબક્કા (લોકસભા ચૂંટણી 2024)માં મતદાન થવા જઈ રહ્યું છે. ભલે  પ્રિયંકા ગાંધી ઉમેદવાર નથી પરંતુ પાર્ટીના પ્રચાર અભિયાનમાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા સૌથી આગળ છે. તેમના ભાઈ રાહુલ ગાંધી રાયબરેલીથી ઉમેદવાર છે, જ્યારે ગાંધી પરિવારના નજીકના કિશોરી લાલ શર્મા અમેઠીથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં છે. પ્રિયંકા ગાંધી વાડ્રા આજે નવ નુક્કડ સભા કરવા જઈ રહ્યા છે. પ્રિયંકા ગાંધી સોમવારે રાયબરેલી પહોંચ્યા હતા. તેમણે છેલ્લા બે દિવસમાં ભૂમેઉ ગેસ્ટહાઉસમાં સ્થાનિક કોંગ્રેસી નેતાઓ સાથે મેરેથોન બેઠકો કરી હતી. 

રાયબરેલીમાં પ્રિયંકા ગાંધીની પ્રતિજ્ઞા

એવું કહેવાય છે કે સોમવારે એક મીટિંગમાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ કોંગ્રેસ કાર્યકર્તાઓને કહ્યું હતું કે, ‘હું 18 મે સુધી રાયબરેલીથી નહીં હટું.’ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 20 મે ના રોજ રાયબરેલી અને અમેઠીમાં મતદાન થશે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ જણાવ્યા પ્રમાણે આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'આપણે અમેઠી અને રાયબરેલીથી મજબૂતી સાથે લડવું પડશે. હવે તમારા 24 કલાક મારા છે. હું તમને ઠપકો આપીશ, તમને ભગાડીશ પરંતુ તમારી સાથે મજબૂતીથી ઊભી રહીશ. મારા ઘરના દરવાજા તમારા માટે 24 કલાક માટે ખુલ્લા છે. આ ચૂંટણી બંધારણને બચાવવા માટે છે. ભાજપ તમારી પાસેથી અનામતનો લાભ છીનવવા માંગે છે.'

રાયબરેલીમાં રાહુલ ગાંધી Vs દિનેશ પ્રતાપ સિંહ

1952માં પોતાની પહેલી લોકસભા ચૂંટણી બાદથી કોંગ્રેસ માત્ર ત્રણ વખત રાયબરેલી હારી છે. 1977માં ઈમરજન્સી બાદની ચૂંટણી અને 1996 અને 1998ની ચૂંટણીમાં કોંગ્રેસ આ બેઠક પર હારી ગઈ હતી. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી 2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપ અને મોદી લહેર હોવા છતાં રાયબરેલી બેઠક જીતવામાં સફળ રહ્યા હતા. આ વખતે સ્વાસ્થ્યના કારણોસર તેમણે લોકસભાની ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો અને રાજ્યસભામાં ચાલ્યા ગયા છે. આ વખતે કોંગ્રેસે તેમના પરંપરાગત ગઢમાંથી રાહુલ ગાંધીને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકનું પ્રતિનિધિત્વ એક સમયે ફિરોઝ ગાંધી અને ઈન્દિરા ગાંધી કરી ચૂક્યા છે. રાયબરેલીમાં રાહુલ ગાંધીનો મુકાબલો યુપીના મંત્રી દિનેશ પ્રતાપ સિંહ સાથે છે, જેઓ 2019ની ચૂંટણીમાં સોનિયા ગાંધી સામે 1.67 લાખથી વધુ મતોથી હારી ગયા હતા.

અમેઠીમાં કોંગ્રેસ સામે મોટો પડકાર

અમેઠીમાં પણ કોંગ્રેસ સામે મોટો પડકાર છે. એક સમયે આ બેઠકનું પ્રતિનિધિત્વ સંજય ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીએ પણ કર્યું હતું. વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને કારમી હાર આપી હતી. આ પહેલા રાહુલ ગાંધી આ બેઠક પર સતત ત્રણ વખત જીત્યા હતા. આ વખતે પણ સ્મૃતિ ઈરાની અમેઠીથી ચૂંટણી મેદાનમાં છે. કોંગ્રેસે અહીંથી કે. એલ. શર્માને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. જો કે, ઉમેદવાર જાહેર કરવાના ઘણા સમય પહેલાથી પાર્ટી અહીં મોટા પાયે પ્રચાર કરી રહી છે.

(image/jpeg)

તો અંબાણી-અદાણી વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં? PM મોદીના નિવેદન બાદ ઊભો થયો મોટો સવાલ 8 May 2024, 9:57 am


Lok Sabha Elections 2024| ‘તમે જોયું હશે કે કોંગ્રેસના શહેજાદા છેલ્લાં પાંચ વર્ષથી ઉઠીને ‘પાંચ ઉદ્યોગપતિ, પાંચ ઉદ્યોગપતિ’ની માળા જપતા હતા. જો કે તેમનો રાફેલવાળો કેસ ગ્રાઉન્ડેડ થઈ ગયો ત્યારે તેમણે નવી માળા જપવાની શરૂઆત કરી, અંબાણી-અદાણી, અંબાણી-અદાણી, અંબાણી-અદાણી. હવે જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી તેમણે અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે. હવે શહેજાદા જાહેર કરે કે, તેમણે અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે?’ તેલંગાણાના કરીમ નગરમાં આયોજિત એક ચૂંટણી સભામાં વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર આ ગંભીર આરોપ લગાવ્યા હતા. 

અંબાણી-અદાણીને રાતોરાત ગાળો બોલવાનું બંધ કેમ? 

વડાપ્રધાન મોદી આ આરોપ લગાવ્યા પછી અટક્યા ન હતા. તેમણે કહ્યું કે, ‘રાહુલ ગાંધી જાહેર કરે કે, તેમણે ચૂંટણીમાં અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે કાળાં નાણાંના કેટલા બોરા ભરીને નાણાં લીધા છે? શું ટેમ્પો ભરીને કોંગ્રેસને કાળું નાણું પહોંચ્યું છે? એવો કયો સોદો થયો કે, તેમણે રાતોરાત અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું? જરૂર દાળમાં કંઈક કાળું છે. પાંચ વર્ષ સુધી અંબાણી-અદાણીને ગાળો આપી અને પછી રાતોરાત ગાળો આપવાનું બંધ કરી દીધું. તેનો અર્થ એ છે કે, જરૂર કોઈ ને કોઈ ચોરીનો માલ ટેમ્પો ભરી ભરીને તમે મેળવ્યો છે. તમારે દેશને જવાબ આપવો પડશે.’

તો અંબાણી-અદાણી વિરુદ્ધ મોદી સરકારની કાર્યવાહી કેમ નહીં? 

જો કે વડાપ્રધાન મોદીના આ નિવેદન અને આટલા ગંભીર આરોપ પછી એવો સવાલ થાય છે કે, અંબાણી-અદાણી વિરુદ્ધ મોદી સરકાર કોઈ કાર્યવાહી કેમ નથી કરતી? જો રાહુલ ગાંધીએ કાળાં નાણાંનો કોઈ સોદો કર્યો હોય અને વડાપ્રધાન મોદી પાસે તેની થોડી ઘણી પણ માહિતી હોય તો સરકાર ચૂપ કેમ છે? શું આ ગંભીર આરોપ છે કે ફક્ત ચૂંટણી પ્રચારની વ્યૂહનીતિ? એટલું જ નહીં, સવાલ તો એ પણ છે કે શું ઈડી ફક્ત સામાન્ય લોકોની જ તપાસ કરશે કે પછી આ પ્રકારના આરોપોને પણ ગંભીરતાથી લઈને કાર્યવાહી કરશે? 

ભલે દેશ ડૂબી જાય પણ કોંગ્રેસ-BRSને ફરક નથી પડતો   

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘તેલંગાણાની સ્થાપના સમયે અહીંના લોકોએ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) પર વિશ્વાસ કર્યો હતો, પરંતુ તેમણે લોકોના સપનાં તોડી નાખ્યા. કોંગ્રેસનો પણ ઈતિહાસ આવો જ છે. આઝાદી પછી કોંગ્રેસે પણ એવું જ કર્યું હતું. દેશ ડૂબી જાય તો ડૂબી જાય, પણ તેના પરિવારને કોઈ ફરક પડતો નથી. ફેમિલી ફર્સ્ટની નીતિને કારણે કોંગ્રેસે પી.વી. નરસિમ્હા રાવનું અપમાન કર્યું. તેમના મૃત્યુ બાદ તેમના પાર્થિવ દેહને કોંગ્રેસ કાર્યાલયમાં પ્રવેશવા પણ ના દેવાયો. જો કે ભાજપ સરકારે પી. વી. નરસિમ્હા રાવને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.

(image/jpeg)

ગુજરાતમાં ઓછું મતદાન થવાના કારણો શું છે?, ભાજપને આ બેઠકો પર નુકસાન થયાનો પણ દાવો 8 May 2024, 9:50 am

Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો પર કુલ 59.49 ટકા મતદાન નોંધાયું. જે છેલ્લી બે ટર્મ 2014 અને 2019 કરતા ઓછું છે. લોકસભા ચૂંટણી 2019માં ગુજરાતમાં 64.12 ટકા મતદાન થયું હતું. જે આ વર્ષના મતદાનથી 4 ટકા જેટલું વધારે છે. આ ચૂંટણીમાં સૌથી વધુ વલસાડમાં 72.24 ટકા અને સૌથી ઓછું અમરેલીમાં 49.22 ટકા મતદાન નોંધાયું હતું. ત્યારે ગત ચૂંટણી કરતા આ ચૂંટણીમાં ઓછું મતદાન થવાના કેટલાક કારણો સામે આવ્યા છે. આમ, ગુજરાતમાં પાછલા 10 વર્ષમાં સૌથી ઓછું મતદાન થયું છે.

ઉનાળુ વેકેશન : મે અને જૂન મહિનામાં ઉનાળુ વેકેશન હોવાથી લોકો ફરવા નિકળી જતા હોય છે. જેના કારણે મતદાનમાં થોડા અંશે ઘટાડો થયું હોવાનું અનુમાન છે.

અસહ્ય ગરમી-તાપ : મતદાનના દિવસે રાજ્યમાં અસહ્ય ગરમી પડી હતી. અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું હતું. આમ, આકરી ગરમીના કારણે વૃદ્ધો અને કેટલાક લોકોએ મત આપવાનું ટાળ્યું હોવાનો પણ અંદાજ છે.

લોકોમાં નિરસતા : મોંઘવારી, બેરોજગારી, ખેતી, શિક્ષણ, સ્વાસ્થ્ય જેવા લોકોની જરૂરિયાતના મુદ્દાઓને ચૂંટણી પ્રચારમાં પ્રાધાન્ય ન અપાયું. લોકોના મુદ્દાઓની અવગણના કરવામાં આવી. જેના કારણે કેટલાક લોકોમાં નિરસતા જોવા મળી અને મતદાન ન કર્યું.

નબળો ચૂંટણી પ્રચાર : કોંગ્રેસે બમણી મહેનત ન કરી, મોટા માથાંઓને ચૂંટણી મેદાનમાં ન ઉતાર્યા, ઝંઝાવાતી પ્રચાર ન કર્યો. સત્તા મેળવવા નહીં માત્ર લડવા ખાતર કોંગ્રેસ ચૂંટણી લડી હોય તેવું દેખાઈ રહ્યું હતું. તો ભાજપના ગણ્યાંગાંઠ્યા ઉમેદવારો સિવાય અન્ય ઉમેદવારોએ સામાન્ય પ્રચાર કર્યો હતો. તો રાજ્યમાં અનેક જગ્યાએ ભાજપના નેતાઓને પ્રચાર માટે આપવા પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. જેનું કારણ ક્ષત્રિય આંદોલન છે. આમ કોંગ્રેસ અને ભાજપનો નબળો ચૂંટણી પ્રચાર પણ ઓછા મતદાનનું કારણ બન્યો છે. આ ચૂંટણીમાં કાર્યકર્તાઓ બહાર નીકળ્યા જ નહીં, એટલે આખરે મતદારો પણ બહાર ન નીકળ્યા.

નેતાઓનો લોકો સાથે ઓછો સંપર્ક : ચૂંટણી દરમિયાન જ નેતાઓ મતદાર વિસ્તારમાં જોવા મળતા હોય છે. ચૂંટણી પત્યા પછી નેતાઓ ગાયબ થઈ જતા હોવાની વાત સામે આવતી હોય છે. આમ નેતાઓનો લોકો સાથે ચૂંટણી બાદ સંપર્ક ઓછો થવો એ પણ ઓછું મતદાન થવાનું એક કારણ છે.

સરનામું ન બદલાવું : વિવિધ વિસ્તારોમાં રહેતા અનેક લોકોએ મકાન બદલ્યા હોવાથી ઇલેક્શન કમિશનની મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઈટ પરથી ઇલેક્શન આઈડીમાં તેમજ યાદીમાં સુધારા કરવા માટે અરજી કરી હતી. જોકે, અનેક લોકોના યાદીમાં સુધારા થયા ન હતા. જેના કારણે મતદાન કરવા માટે જૂના રહેઠાણની જગ્યાએ કેટલાક લોકો મત આપવા માટે ગયા ન હતા. ખાસ કરીને સિનિયર સિટીઝન મત ન આપવા ગયા.

મતદાર યાદીમાં છબરડો : મતદાર યાદીમાં કેટલાક લોકોના તો નામ જ ગાયબ હતા. જેના કારણે તેઓ પોતાના હક અને અધિકાર એવા મતદાનથી વંચિત રહ્યા છે.

ચૂંટણી બહિષ્કાર : ધંધુકાના રતનપર, અમરેલીના રબારીકા, સુરતના સણધરા, રાધનપુરના નજૂપુરા, શેરગઢ, નવા શબ્દલપુરા અને જુના શબ્દલપુરા, ભરૂચના કેસર, અરજણવાવ, બનાસકાંઠાના ભાખરી ગામમાં ચૂંટણી બહિષ્કાર કર્યો હોવાના સમાચાર છે. તો માંગરોળના ભાટગામ, બાલાસિનોરના બોડોલીમાં આંશિક બહિષ્કાર કરાયો હતો. આ તમામ ગામોએ વિવિધ પ્રશ્નો અને માગને લઈને ચૂંટણી બહિષ્કાર કર્યો હતો.

સૌરાષ્ટ્ર-કચ્છના લોકો નારાજ : સૌરાષ્ટ્ર અને કચ્છની 8 બેઠકો પર અંદાજે 54.94 ટકા જેટલું મતદાન થયું છે. જે ગત ચૂંટણી કરતા 4 ટકા ઓછું છે. રાજકોટ, જામનગર, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર અને કચ્છમાં નિરસ મતદાન થયું છે. જેની પાછળનું કારણ સૌરાષ્ટ્રની જનતામાં સ્થાનિક ભંગાર રસ્તા જેવા અનેક પ્રશ્નોથી માંડીને ટોલટેક્સ સહિત વધુ કરબોજ, વેપાર-ઉદ્યોગ અને ખેડૂતોથી માંડીને ગૃહિણીઓને સ્પર્શતા મોંઘવારી, શિક્ષિત બેરોજગારી અને સામાન્ય નોકરી માટે લાંબી કતારો, સરકારી સેવાઓનું ખાનગીકરણના કારણે અહીંના લોકોની નારાજગી પણ ઓછું મતદાન થવાનું એક કારણ છે.

અમરેલીમાં કોંગી નેતાનો પક્ષપલ્ટો : અમરેલીમાં અંબરિશ ડેર સહિતના કોંગ્રેસી નેતાઓએ પક્ષપલ્ટો કર્યો છે અને અમરેલીના ભાજપ-કોંગ્રેસના બે નેતાઓ રાજકોટ ચૂંટણી લડવા આવ્યા છે. ત્યાં ઓછું મતદાન થયું છે. સૌથી ઓછું અમરેલીમાં 49.22 ટકા મતદાન નોંધાયું હતું.

ક્ષત્રિય, ભાજપ અને કોંગ્રેસ પ્રભાવી બેઠક પર કેવું મતદાન?

ક્ષત્રિય પ્રભાવી બેઠક આણંદ, ખેડા, કચ્છ, જામનગર, પોરબંદર, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર પર મતદાન ઘટ્યું છે. તો કોંગ્રેસ પ્રભાવી બેઠક બનાસકાંઠામાં મતદાન વધ્યું છે. જ્યારે ભાજપ પ્રભાવિત બેઠક અમદાવાદના ઘાટલોડિયા, એલિસબ્રિજ, નારણપુરા અને મણીનગરમાં મતદાન ઘટ્યું છે.

ભાજપને 7 બેઠકો પર નુકસાન થવાનો દાવો

ગુજરાતમાં લોકસભાનું મતદાન પૂર્ણ થઈ ગયા બાદ ક્ષત્રિય સંકલન સમિતિના કરણસિંહ ચાવડાએ દાવો કર્યો છે કે, 'ભાજપ રાજ્યની 26માંથી 7 બેઠકો ગુમાવે છે અને 4 બેઠકો પર રસાકસી રહેશે. તો અન્ય બેઠકો પર 5 લાખની નહીં પરંતુ ઓછી લીડથી જીતશે. ક્ષત્રિય સમાજને અન્ય સમાજોનો પણ સહકાર મળ્યો છે.' જોકે, 2 દિવસ પહેલા ક્ષત્રિય સંકલન સમિતિના કરણસિંહ ચાવડાએ દાવો કર્યો હતો કે ભાજપ 10 બેઠકો પર હારશે. જોકે મતદાન બાદ તેમણે દાવો કર્યો છે કે ભાજપ 7 બેઠકો ગુમાવશે. ભાજપને સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, અને ભરૂચ બેઠક પર જીતવું અઘરું છે. જ્યારે જૂનાગઢ, આણંદ, વલસાડ અને અમરેલી બેઠક પર રસાકસી જોવા મળી શકે છે. આમ, આ વખતે ક્ષત્રિય સંકલન સમિતિના વિરોધને કારણે પાર્ટીએ થોડો ઘણું નુકસાન ભોગવવું પડી શકે છે.

બેઠક2019ની ટકાવારી2024ની ટકાવારી
ગાંધીનગર65.5759.19%
કચ્છ (SC)58.22%55.05%
બનાસકાંઠા64.69%68.44%
પાટણ61.98%57.88%
અમદાવાદ પશ્ચિમ (SC)60.37%54.43%
રાજકોટ63.15%59.60%
પોરબંદર56.79%51.79%
જામનગર60.70%57.17%
આણંદ66.79%63.96%
ખેડા60.68%57.43%
પંચમહાલ61.73%58.65%
દાહોદ (ST)66.18%58.66%
ભરૂચ73.21%68.75%
બારડોલી (ST)73.57%64.59%
નવસારી66.10%59.66%
સાબરકાંઠા67.24%63.04%
અમદાવાદ પૂર્વ61.32%54.04%
ભાવનગર58.41%52.01%
વડોદરા67.8661.33%
છોટા ઉદેપુર73.44%67.78%
વલસાડ75.21%72.24%
જૂનાગઢ60.74%58.80%
સુરેન્દ્રનગર57.85%54.45%
મહેસાણા65.37%59.04%
અમરેલી55.75%49.22%
કુલ : 25 બેઠક64.12%59.49%


ગુજરાતમાં ઓછા મતદાનથી ભાજપ ચિંતિત

ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોમાં સાંજના પાંચ વાગ્યા સુધીના ઓછા મતદાને ભાજપની ચિંતામાં વધારો કર્યો છે. શરૂઆતમાં આક્રમક અને ત્યારપછી ધીમું મતદાન ઉમેદવારોને પણ મૂંઝવી રહ્યું છે. આ સંજોગોમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગૃહમંત્રી અમીત શાહે પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરી મતદાન અંગે સમીક્ષા કરી હતી. રાજ્યમાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન થયું હોવાનો રિપોર્ટ સામે આવતાં પ્રદેશના નેતાઓએ મતદારોના વલણ અંગે ચર્ચા કરી હતી. રાજ્યમાં ક્ષત્રિય આંદોલને કેટલી અસર કરી, કઇ બેઠકમાં કોંગ્રેસને કેટલો ફાયદો થશે તેમજ પાર્ટીની અપેક્ષા પ્રમાણે પ્રત્યેક બેઠકમાં પાંચ લાખની લીડ મળશે કે કેમ તે અંગે મંથન કરવામાં આવી રહ્યું છે. 

બેઠક માટે અમીત શાહ દિલ્હીની યાત્રા અટકાવી હતી : આ બેઠક માટે અમીત શાહ દિલ્હીની યાત્રા અટકાવી અચાનક રોકાઈ ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં પ્રદેશ ભાજપના નેતાઓ, હોદ્દેદાર અને વિવિધ બેઠકના પ્રભારીઓ હાજર રહ્યા હતા. આવી જ એક બેઠક  અમદાવાદના એસ.જી.હાઈવે સ્થિત કાર્યાલય ખાતે પણ મળી હતી.

પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ પણ સમીક્ષા કરી : આ ઉપરાંત પ્રત્યેક બેઠકમા પેજ સમિતિ અને કાર્યકરોએ કેવી મહેનત કરી છે, પાર્ટીના ક્યા નેતા કે કાર્યકર્તાઓ નારાજ રહ્યાં છે તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

ઓછું મતદાન થવાના કારણોની ચર્ચા થશે : ભાજપના એક પ્રદેશ નેતાએ કહ્યું હતું કે આજે રાજ્યની તમામ બેઠકોના મતદાનના આંકડા આવી ગયા પછી પ્રદેશની મિટીંગમાં તેનું બેઠક અને વિધાનસભાના વિસ્તારોના આંકડા સાથે મંથન કરવામાં આવશે જેમાં બપોર પછી ઓછું મતદાન થવાના ગરમી સિવાયના કારણોની પણ ચર્ચા થશે. 

(image/jpeg)

ઓસ્ટ્રેલિયામાં ભણવા માગતા વિદ્યાર્થીઓને ઝટકો, વિઝા માટે જરૂરી બેલેન્સની લિમિટમાં વધારો ઝીંકાયો 8 May 2024, 9:33 am

Image: FreePik



Australia Tightens Student Visa Rules: ઓસ્ટ્રેલિયામાં ભણવા જવા માગતા વિદ્યાર્થીઓ પર ભારણ વધી શકે છે. ઓસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિઝા માટે જરૂરી નાણાકીય જરૂરિયાતોમાં વધારો કર્યો છે. આ પગલું લેવા પાછળનું કારણ વિદેશી વિદ્યાર્થીઓના વધતા ધસારાને કાબૂમાં લેતાં રેકોર્ડ માઈગ્રેશનમાં ઘટાડો કરવાનું છે.

નવો નિયમ શુક્રવારથી લાગૂ થશે. જેમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ વિઝા માટે ઓછામાં ઓછું 29710 ઓસ્ટ્રેલિયન ડોલર (19576 ડોલર)નું ફંડ દર્શાવવાનું રહેશે. ઓસ્ટ્રેલિયાએ છેલ્લા સાત માસમાં આ બીજી વખત વધારો કર્યો છે. અગાઉ ઓક્ટોબરમાં 21041 ઓસ્ટ્રેલિયન ડોલરથી વધારી 24505 ઓસ્ટ્રેલિયન ડોલરની બચત દર્શાવી પડશે.

ઓસ્ટ્રેલિયાએ 2022માં કોવિડ-19ના પ્રતિબંધો દૂર કરતાં માઈગ્રેશનનું પ્રમાણ વધ્યું હતું. જેના પગલે ઓસ્ટ્રેલિયાના રેન્ટલ માર્કેટમાં તેજી આવી છે. માર્ચમાં સરકારે સ્ટુડન્ટ વિઝા માટે અંગ્રેજી ભાષાની જરૂરિયાતમાં પણ વધારો કર્યો હતો. વધુમાં સરકારે 34 શૈક્ષણિક સંસ્થાઓને યોગ્ય અને લાયક ન હોય તેવા વિદ્યાર્થીઓને એડમિશન ન લેવાનો નિર્દેશ કરતો પત્ર લખ્યો હતો. 

ગૃહ બાબતોના મંત્રી ક્લેર ઓ’નીલએ સંકેત આપ્યો હતો કે, જો આ સંસ્થાઓ આ મામલે સાવચેતી નહીં રાખે તો ચોક્કસ પેનલ્ટી ફટકારવામાં આવી શકે છે. 

ઈકોનોમીમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણનો ફાળો મહત્તમ

ઓસ્ટ્રેલિયાની ઈકોનોમીમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણનો ફાળો મહત્તમ છે. જેણે 2022-23માં 36.4 અબજ ઓસ્ટ્રેલિયન ડોલરનું યોગદાન આપ્યું હતું. જો કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વધતી સંખ્યાના પગલે દેશમાં રેન્ટલ ખર્ચ વધ્યો છે. નેટ ઈમિગ્રેશન 30 સપ્ટેમ્બર, 2023ના અંતે 60 ટકા વધી 548800 થયું છે.

 

(image/jpeg)

'વારસાગત ટેક્સ ભારતમાં નહીં ચાલે કારણ કે...' જાણીતાં અર્થશાસ્ત્રીએ કોંગ્રેસને આપ્યો જવાબ 8 May 2024, 8:26 am

Image : Facebook



Inheritance Tax: ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસમાં સામ પિત્રોડાની વારસાગત ટેક્સ (ઈનહેરિટેન્સ ટેક્સ) સંબંધિત ટિપ્પણી પર અર્થશાસ્ત્રી ગૌતમ સેને પલટવાર કર્યો છે. તેમણે કહ્યું, 'પહેલી વાત તો એ કે અમેરિકામાં વારસાગત ટેક્સ લગાવવામાં આવતો નથી. તેમની પાસે વારસાગત ટેક્સ નથી, તેને એસ્ટેટ ડ્યૂટી અને ગિફ્ટ ટેક્સ કહેવામાં આવે છે. અમેરિકામાં આ 2022 સુધી આ મૃતકોમાંથી 0.14% દ્વારા તેની ચૂકવણી કરવામાં આવી. 2.5 મિલિયન લોકોમાંથી માત્ર 0.14% એટલે કે સમગ્ર અમેરિકામાં 4000 લોકો જ એસ્ટેટ ડ્યૂટીના આધિન છે. મોટાભાગના એસ્ટેટને તેનાથી છુટ મળી છે. કેમ કે છુટની મર્યાદા ખૂબ વધુ એટલે કે 13.6 મિલિયન ડોલર છે. બીજી તરફ અમીરોના રૂપિયા વાસ્તવ ટ્રસ્ટની પાસે છે. તેથી અમેરિકાનું ઉદાહરણ ભારત માટે બિલકુલ પણ સારુ નથી.

તમામ ઘર અને વ્યવસાયોનો સર્વે કરવાનો પ્રસ્તાવ ઘણા કારણોથી અવ્યવહારુ છે. ભારતમાં 2.4% અથવા તેનાથી થોડા ઓછા લોકો આવકની ચૂકવણી કરે છે. તે ગ્રૂપમાં મને લાગે છે કે તેમાંથી વધુ સંપત્તિ ધરાવતા લોકોની સંખ્યા 12 કરોડ લોકો કરતા વધુ નથી. તેમને વારસાગત ટેક્સ હેઠળ લાવવા મજબૂર કરવા માટે તમારે તેમના વ્યવસાયોને બંધ કરવા પડશે. તેનો અર્થ છે કે આગામી વર્ષોમાં આર્થિક અરાજકતા ફેલાશે. જેણે પણ આ વિચાર વિશે વિચાર્યું હતુ તે ખૂબ વાસ્તવિક રીતે વિચારી રહ્યા નહોતા. હવે આપણી પાસે જે કંઈ પણ છે તેમાં પહેલાની તુલનામાં એક એક ખૂબ મોટો સુધારો થયો છે.

આપણી પાસે એક અવિશ્વસનીય સંયોજન છે જે લગભગ ક્યારેય પ્રાપ્ત કરી શકાયુ નહોતુ. આ રોકાણના માધ્યમથી સંપત્તિનું સર્જન અને પુનઃવિતરણની સાથે પાયાના માળખાનું સંયોજન છે. એટલે સુધી કે જો કંઈ મેળવી પણ લઈએ છીએ તો આ એક સમજદાર વિચાર નહીં હોય. આ તમને તમારા બાળકો અને પૌત્ર-પૌત્રીઓથી દૂર લઈ જશે. દરમિયાન જો કોઈ આવુ કરવા ઈચ્છે છે તો તે ભારતનો મિત્ર નથી. ભારતની રાજકીય અને આર્થિક અરાજકતા તાત્કાલિક ચીન-પાકિસ્તાન જેવા દેશોને આક્રમણ કરવા માટે ઉશ્કેરશે કેમ કે તે ભારતની સાથે હિસાબ બરાબર કરવા અને ભારતીય ક્ષેત્રને જપ્ત કરવાની તકની રાહ જોઈ રહ્યા છે. તેથી જે પણ આવુ કરવા ઈચ્છે છે તે ભારતનો મિત્ર નથી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર સેને શું કહ્યું?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સંપત્તિના પુનઃવિતરણ વિચાર પર અર્થશાસ્ત્રી ગૌતમ સેને કહ્યું, 'આ ભારતમાં કામ કરશે નહીં. લગભગ 12 કરોડ લોકોની પાસે 102 કરોડથી વધુની સંપત્તિ છે પરંતુ તેમાંથી લગભગ તમામે પોતાના વ્યવસાયોમાં રોકાણ કર્યું છે. તેથી તમારે તેમની સંપત્તિ છીનવવા માટે તેમના વ્યવસાયોને સમાપ્ત કરવા પડશે. અર્થવ્યવસ્થા ઠપ થઈ જશે. મારો તર્ક એ છે કે જે વ્યક્તિ પાસે સંપત્તિ છે તેની વસતી કુલ વસતીના દોઢ ટકાથી પણ ઓછી છે. દરમિયાન તેમનું બધું જ છીનવવાથી તમને જે કુલ ટેક્સની રકમ મળશે તે બાકી 98-99% લોકોના જીવનને સારુ બનાવવા માટે પૂરતુ હશે નહીં. તે બસ પીડિત હશે. તમારે આ સર્વે દર બે વર્ષે કરવો પડશે. આપણા ત્યાં છેલ્લા 10 વર્ષોમાં વિકાસથી વાસ્તવિક વસ્તુઓથી શ્રેષ્ઠ પુન:વિતરણ છે'.

(image/jpeg)

રમતના મેદાનથી રાજકારણના અખાડામાં ઉતરેલાં ખેલાડીઓ, કોઈ મહારથી તો કોઈના ડાંડિયા ડૂલ થયા 8 May 2024, 8:01 am


Sports giants entered in Politics: રાજકારણ એક એવું ક્ષેત્ર છે જ્યાં અભણ, ઉચ્ચ અભ્યાસ કરનારા, ડોક્ટર, વકીલ અને અન્ય ક્ષેત્રના પ્રોફેશનલ આવતા હોય છે. અહીંયા જાતભાતના પ્રોફેશનમાં જોડાયેલા લોકો પોતાની રાજકીય કારકિર્દી બનાવવા મથતા હોય છે. બીજી તરફ દેશમાં એવા ઘણા રમતવીરો છે જેમણે રમતના મેદાનની સાથે સાથે રાજકારણના મેદાન ઉપર પોતાના વિશેષ છાપ છોડી છે. 

ભાજપ, કોંગ્રેસ, ટીએમસી અને બીજા ઘણા પક્ષો દ્વારા સમયાંતરે ખેલાડીઓને રાજકારણની પીચ ઉપર ઉતારવામાં આવ્યા છે. કોઈએ જીતીને અને અજેય રહીને રેકોર્ડ બનાવ્યા છે તો કોઈના ડાંડિયા પણ ડુલ થઈ ગયા છે. રમતના મેદાન ઉપર છવાયેલા ખેલાડીઓ રાજકારણમાં ચાલ્યા નથી તેવા પણ ઘણા કિસ્સા સામે આવ્યા જ છે. 


ક્રિકેટર યુસુફ પઠાણનું રાજકારણમાં ડેબ્યૂ

તાજેતરની લોકસભા ચૂંટણીમાં ટીએમસી દ્વારા ક્રિકેટર યુસુફ પઠાણને રાજકારણમાં ડેબ્યૂ કરાવવામાં આવ્યું છે. મમતા બેનરજી દ્વારા ગુજરાતી ખેલાડી યુસુફ પઠાણને ગુજરાતમાંથી નહીં પણ બંગાળમાંથી રાજકીય મેદાન પૂરું પાડવામાં આવ્યું છે. યુસુફ પઠાણને મુર્શીદાબાદ જિલ્લાના બેહરામપુર લોકસભા બેઠક ઉપરથી ટિકિટ આપવામાં આવી છે. 

ક્રિકેટમાં ઓલરાઉન્ડ દેખાવ કરનાર યુસુફ પઠાણ રાજકીય પીચ ઉપર કેટલી બેટિંગ અને બોલિંગ કરી શકે છે તે આગામી ચૂંટણીના પરિણામમાં ખબર પડશે. યુસુફનું વિજયી ડેબ્યૂ થશે કે હિટ વિકેટ થશે તે આવનારો સમય કહેશે. 

ટીએમસી દ્વારા યુસુફની સાથે સાથે પૂર્વ ક્રિકેટર કિર્તી આઝાદને પણ ટિકિટ આપવામાં આવી છે. કિર્તી આઝાદને દુર્ગાપુરની બેઠક ઉપરથી ઊભા રાખવામાં આવ્યા છે. આ ખેલાડીઓની રાજકીય કારકિર્દી કેવી રહેશે તે પરિણામ જણાવશે પણ એક નજર કરીએ એવા ખેલાડીઓ ઉપર જેમણે રમતના મેદાનમાં છવાઈ જવા ઉપરાંત રાજકારણની પીચ ઉપર પણ પોતાનો સિતારો ચમકતો કરી દીધો. કેટલાક ખેલાડીઓ એવા પણ કમનસીબ રહ્યા જેમના નસીબમાં પરાજય લખ્યો હતો. 


મોહમ્મદ અઝહરુદ્દીને પણ રાજકીય પીચ ઉપર પોતાનું નસીબ અજમાવ્યું હતું 

ભારતીય ટીમના પૂર્વ સુકાની અને બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીને પણ રાજકીય પીચ ઉપર પોતાનું નસીબ અજમાવ્યું હતું. રાજરમતના મેદાન ઉપર તેમને પરાજયની હેટ્રિકનો રેકોર્ડ સર્જવાનું સૌભાગ્ય સાંપડયું હતું. મોહમ્મદ અઝહરુદ્દીને 2009માં કોંગ્રેસનો હાથ પકડયો હતો. 2009 લોકસભામાં કોંગ્રેસ દ્વારા અઝહરને ઉત્તર પ્રદેશની મુરાદાબાદ બેઠક ઉપર ટિકિટ આપવામાં આવી હતી. તેઓ રાજરમતના મેદાન ઉપર ડેબ્યૂમાં જ વિજયી થઈ ગયા હતા. 

ત્યારબાદ 2014માં ટોંક સવાઈ માધોપુર બેઠક ઉપરથી તેમને ટિકિટ આપવામાં આવી હતી. આ ચૂંટણીમાં પણ અઝહરુદ્દીનનો પરાજય જ થયો હતો. ત્યારબાદ 2023માં મોહમ્મદ અઝહરુદ્દીને હૈદરાબાદથી પોતાનું નસીબ અજમાવ્યું હતું. ગત વર્ષે વિધાનસભા ચૂંટણીમાં તેઓ હૈદારબાદના જુબલી હિલ્સ વિસ્તારમાંથી ઊભા રહ્યા હતા. આ ચૂંટણીમાં પણ તેમનો પરાજય થયો હતો.  


મનોજ પ્રભાકરે ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ રાજકારણમાં પ્રવેશ લીધો હતો

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર મનોજ પ્રભાકરે ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ રાજકારણની પીચ ઉપર ડેબ્યૂ કર્યું હતું. મનોજ પ્રભાકરે ઓલ ઈન્ડિયા ઈન્દિરા કોંગ્રેસ (તિવારી કોંગ્રેસ) સાથે જોડાણ કર્યું હતું. 1996ની લોકસભા ચૂંટણીમાં ઓલ ઈન્ડિયા ઈન્દિરા કોંગ્રેસ દ્વારા તેમને સાઉથ દિલ્હીની બેઠક ઉપર ટિકિટ આપવામાં આવી હતી. 

મનોજ પ્રભાકરની સામે ત્યારે ભાજપના મહિલા નેતા સુષમા સ્વરાજ અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ ઊભા હતા. ક્રિકેટમાં ઓલ રાઉડ પ્રદર્શન કરનારા મનોજ પ્રભાકર રાજરમતની પીચ ઉપર ડેબ્યૂમાં આઉટ થઈ ગયા હતા. સુષ્મા સ્વરાજે તેમને પરાજય આપ્યો હતો. ચૂંટણીમાં મનોજ પ્રભાકર ત્રીજા ક્રમે રહ્યા હતા. 


કીર્તિ આઝાદ પણ રાજરમતમાં ઉતર્યા હતા

બિહારના પૂર્વ મુખ્યમંત્રી ભાગવત ઝા આઝાદના પુત્ર કીર્તિ આઝાદ પણ ક્રિકેટ છોડયા બાદ રાજરમતમાં ઉતર્યા હતા. દિલ્હીની ગોલ માર્કેટથી તેઓ ધારાસભ્ય ચૂંટાયા હતા. આ ઉપરાંત ભાજપની ટિકિટ ઉપર તેઓ સાંસદ પણ બન્યા છે. ત્યારબાદ ભાજપ સાથે વાંધો પડતા તેમણે ભાજપ સાથે છેડો ફાડયો હતો. ત્યારબાદ કોંગ્રેસનો હાથ પકડયો હતો. 

જો કે, થોડા જ સમયમાં કોંગ્રેસ સાથે પણ છેડો ફાડીને તેઓ તૃણમુલ કોંગ્રેસમાં જોડાયા હતા. ટીએમસી દ્વારા તેમને 2024ની લોકસભામાં અવસર આપવામાં આવ્યો છે. મમતા દ્વારા કીર્તિ આઝાદને દુર્ગાપુર બેઠક ઉપરથી ટિકિટ આપવામાં આવી છે. 


ચેતન ચૌહાણે રાજકારણમાં કર્યું હતું સારું પ્રદર્શન  

પૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણનું 2020માં જ નિધન થયું હતું. ચેતન ચૌહાણ એવા ક્રિકેટર હતા જેઓ રાજરમતના મેદાનમાં પણ ખૂબ જ સારો દેખાવ કરી શક્યા હતા. 1969માં ચેતન ચૌહાણ દ્વારા ન્યૂઝીલેન્ડ સામે ક્રિકેટ ડેબ્યૂ કરવામાં આવ્યું હતું. ચેતન ચૌહાણ બે વખત લોકસભામાં જીતીને પહોંચ્યા છે. 

ભાજપ દ્વારા ઉત્તર પ્રદેશની આમરોહ લોકસભા બેઠક ઉપર તેમને અવસર આપવામાં આવ્યો હતો. બંને વખત તેમનો વિજય થયો હતો. ત્યારબાદ 2017માં ઉત્તર પ્રદેશ નૌગાંવ સાદાત વિધાનસભા બેઠક ઉપરથી પણ તેમને અવસર અપાયો હતો. ત્યાં પણ તેઓ વિજયી બન્યા હતા. યોગી કેબિનેટમાં પણ ચેતન ચૌહાણને સ્થાન આપવામાં આવ્યું હતું.


નવજોતસિંહ સિદ્ધુ રાજકારણમાં પણ માહેર ખેલાડી ગણાય છે

નવજોત સિંહ સિદ્ધુ પણ ભારતના જાણીકા ક્રિકેટરોમાં સ્થાન ધરાવે છે. તેઓ રમતના મેદાન ઉપર રાજરમતના મેદાનના પણ માહેર ખેલાડી ગણાય છે. ક્રિકેટ છોડયા બાદ સિદ્ધુઓ ભાજપ સાથે જોડાણ કર્યું હતું. ભાજપ દ્વારા નવજોત સિંહ સિદ્ધુને 2004 અને 2009 લોકસભામાં અવસર આપવામાં આવ્યો હતો. આ બંને લોકસભા ચૂંટણીઓમાં સિદ્ધુને વિજય મળ્યો હતો. 

ત્યારબાદ કોંગ્રેસને ભાજપ સાથે વાંધો પડયો અને તેમણે કોંગ્રેસ સાથે જોડાણ કરી લીધું. કોંગ્રેસ દ્વારા સિદ્ધુને અમૃતસરથી ધારાસભ્ય બનાવવામાં આવ્યા હતા. તેઓ પંજાબ સરકારમાં મંત્રી તરીકે પણ કાર્યરત હતા. ત્યારબાદ 2022માં સિદ્ધુ કોંગ્રેસની ટિકિટ ઉપર વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા. 


શ્રીસંત અને મનોજ તિવારી

ક્રિકેટ જગતમાં થોડા સમય માટે ચમકેલા અને અલોપ થઈ ગયેલા ખેલાડીઓમાં શ્રીસંત એવો ખેલાડી છે જેને રાજકારણમાં પણ સફળતા મળી નહોતી. ક્રિકેટમાં મળતી સફળતાને મેચ ફિક્સિંગના આરોપોમાં ગુમાવનારા શ્રીસંતે ભાજપ જોઈન કરી લીધું હતું. 2016માં કેરળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા તેને ટિકિટ આપવામાં આવી હતી. આ ચૂંટણીમાં તેનો પરાજય થયો હતો. 

આવો જ ખેલાડી મનોજ તિવારી પણ છે. તેને ક્રિકેટમાં ખાસ સફળતા મળી નહોતી પણ રાજકારણમાં સફળતા મળી ગઈ હતી. પશ્ચિમ બંગાળની 2021ની  વિધાનસભા ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસ દ્વારા મનોજ તિવારીને અવસર આપવામાં આવ્યો હતો. શિબપુર બેઠક ઉપરથી મનોજ તિવારીનો વિજય થયો હતો. 


મંસુર અલી ખાન પટૌડી

મંસુર અલી ખાન પટૌડીએ પહેલી વખત 1971માં રાજકારણમાં ઝંપલાવ્યું હતું. તે સમયે તેઓ હરિયાણાથી રાવ વીરેન્દ્ર સિંહના વિશાલ હરિયાણા પાર્ટી સાથે જોડાયા હતા. તેની ટિકિટ ઉપરથી તેઓ ગુડગાંવ બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી લડયા હતા. આ ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. 

ત્યારબાદ બે દાયકા જેટલા લાંબા સમયના વિરામ બાદ તેઓ રાજકારણમાં પાછા આવ્યા હતા. તે સમયે તેમણે કોંગ્રેસનો હાથ પકડયો હતો. કોંગ્રેસ દ્વારા તેમને ભોપાલથી લોકસભાની બેઠક આપવામાં આવી હતી. તે સમયે પણ તેમનો પરાજય થયો હતો. ભાજપના સુશીલચંદ્ર શર્માએ તેમને પરાજય આપ્યો હતો.


ઓલરાઉન્ડર ચેતન શર્માનો લોકસભાની પીચ થયો હતો ગોલ્ડન ડક

ક્રિકેટમાં બેટિંગ અને બોલિંગ દ્વારા વિરોધીઓને પરાજીત કરનારા અને હંફાવનાર ઓલરાઉન્ડર ચેતન શર્માએ પણ રાજકારણની પીચ ઉપર ડેબ્યૂ કર્યું હતું. લોકસભાની પીચ ઉપર તેમનો ગજ વાગ્યો નહોતો અને ગોલ્ડન ડક થયા હતા. પહેલાં જ ચૂંટણીમાં પરાજય થયો હતો. 

2009 લોકસભામાં બહુજન સમાજ પાર્ટી દ્વારા ચેતન શર્માને હરિયાણાની ફરિદાબાદ લોકસભા બેઠક ઉપરથી ટિકિટ આપવામાં આવી હતી. કોંગ્રેસના ઉમેદવાર અવતાર સિંહ ભડાનાના ઓલરાઉન્ડ પરફોર્મેન્સ સામે ચેતન શર્મા ટક્યા નહોતા. ભડાના દ્વારા ચેતન શર્માને પરાજય આપવામાં આવ્યો હતો.


પંજાબી અભિનેતા અને ક્રિકેટર યોગરાજ સિંહે પણ કર્યું હતું રાજકારણમાં ડેબ્યૂ

દેશને 2009નો T-20 વર્લ્ડ કપ જીતવામાં મહત્ત્વનું યોગદાન આપનારા તથા 2011ના વન-ડે વર્લ્ડ કપમાં ભારતના ટાઈટલ વિજયમાં મહત્ત્વનું યોગદાન આપનારા યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ પણ ક્રિકેટ ઉપરાંત રાજકારણમાં પોતાનું ભાગ્ય અજમાવવા ઉતર્યા હતા. તેઓ એક ટેસ્ટ અને છ ઈન્ટરનેશનલ વન-ડે રમ્યા છે. 

તેમની ઓળખ જાણીતા પંજાબી અભિનેતા તરીકે પણ થતી હતી. 2009માં તેઓ ઈન્ડિયન નેશનલ લોકદળ સાથે જોડાયા હતા. ઈન્ડિયન નેશનલ લોકદળ દ્વારા તેમને હરિયાણા વિધાનસભાની ટિકિટ આપવામાં આવી હતી. આ ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. 


મોહમ્મદ કૈફે રાજરમતમાં ચાખ્યો હતો પરાજયનો સ્વાદ 

પોતાની ફિલ્ડિંગ અને મીડલ ઓર્ડરમાં બેટિંગ માટે જાણીતા તથા યુવરાજ સિંહના મીડલ ઓર્ડરના બેટિંગ પાર્ટનર તરીકે જાણીતા મોહમ્મદ કૈફને પણ રાજકારણ ખાસ ફાવ્યું નહોતું. રમતના મેદાનના સુપરસ્ટારને રાજરમતના મેદાનમાં પરાજયનો જ સ્વાદ ચાખવાનો વારો આવ્યો હતો. 

2014ની લોકસભા ચૂંટણી દરમિયાન મોહમ્મદ કૈફને કોંગ્રેસે પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. મોહમ્મદ કૈફને ઉત્તર પ્રદેશની ફુલપુર બેઠક ઉપરથી ઊભા રાખવામાં આવ્યા હતા. ભાજપની 2014ની તાબડતોબ બેટિંગ સામે  કૈફની ફિલ્ડિંગ કામ લાગી નહોતી. યુપીના ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્ય દ્વારા તેમને પરાજય આપવામાં આવ્યો હતો.


ક્રિકેટમાં કાંબલી લાંબી ઈનિંગ રમી શક્યા નહોતા 

ક્રિકેટના લેજેન્ડ્રી ખેલાડી સચિન તેંડુલકરના બાળપણના મિત્ર અને બેટિંગ પાર્ટનર વિનોદ કાંબલી રાજરમતના મેદાનમાં પણ ખાસ દેખાવ કરી શક્યા નહોતા. ક્રિકેટમાં પણ કાંબલી લાંબી ઈનિંગ રમી શક્યા નહોતા તેમ રાજકારણની પીચ ઉપર પણ તેમને ખાસ તક મળી નહોતી. 

2009માં વિનોદ કાંબલી દ્વારા મુંબઈની વિક્રોલી બેઠક ઉપરથી ચૂંટણી લડવામાં આવી હતી. લોક ભારતી પાર્ટી દ્વારા વિનોદ કાંબલીને વિક્રોલી બેઠક ઉપર ટિકિટ આપવામાં આવી હતી. આ ચૂંટણીમાં વિનોદ કાંબલીના ડાંડિયા ડૂલ થઈ ગયા હતા. 


ઓલિમ્પિકની જેમ રાજનીતિમાં પણ રાજ્યવર્ધન રાઠોડ છવાયા

2004 એથેન્સ ઓલિમ્પિકમાં રાઈફલ શૂટિંગમાં ભારત માટે સિલ્વર મેડલ જીતનારા રાજ્યવર્ધનસિંહ રાઠોડને રાજકારણનું મેદાન પણ ફાવી ગયું હતું. 2004માં જ્યારે રાઠોડ મેડલ જીતીને લાવ્યા ત્યારે વસુંધરા રાજે રાજસ્થાનના સીએમ હતા. તેમણે દિલ્હીથી રાજસ્થાન સુધી રાઠોડ માટે વિજયી સરઘસ કાઢ્યું હતું. રમતગમતની કારકિર્દી બાદ રાજ્યવર્ધન રાઠોડે રાજનીતિમાં કેસરીયા કરતા ભાજપ સાથે જોડાણ કર્યું હતું. 

ભાજપ દ્વારા 2014ની લોકસભા ચૂંટણીમાં જયપૂર ગ્રામ્ય બેઠક ઉપરથી રાજ્યવર્ધન રાઠોડને ટિકિટ આપવામાં આવી હતી. રાજ્યવર્ધન રાઠોડે આ ચૂંટણીમાં કેન્દ્રીય રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રી સી.પી. જોશીને પરાજય આપ્યો હતો. આ ચૂંટણીમાં વિજય બાદ તેઓ સાંસદ થયા અને સાથે સાથે મોદી સરકારમાં કેબિનેટમાં પણ સ્થાન મળ્યું હતું. ત્યારબાદ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ રાજ્યવર્ધન રાઠોડને અવસર આપવામાં આવ્યો. આ ચૂંટણીમાં પણ તેમનો વિજય થયો હતો. 


સચીન, પીટી ઉષા, મેરિકોમ, હરભજન રાજ્યસભા પહોંચ્યા

ભારતીય રમતગમતના એવા પણ ખેલાડીઓ છે જેમને લોકસભા કે વિધાનસભાની ચૂંટણી લડીને નહીં પણ રાજ્યસભામાં પસંદગીથી સાંસદ બનવાનો અવસર મળ્યો હતો. ક્રિકેટના સુપર સ્ટાર અને ભારત રત્ન સચિન તેંડુલકરને પણ સાંસદ બનવાનો અવસર મળ્યો હતો. 2012 થી 2018 સુધી સચીનને રાજ્ય સભાના સાંસદ બનાવવામાં આવ્યા હતા. 

રાજ્યસભા સાંસદોની યાદીમાં પી.ટી. ઉષાનું નામ પણ આવે છે. તેમને જુલાઈ 2022માં જ રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે. થોડા સમય પહેલાં દિલ્હીમાં જે પહેલવાનો દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા તેમાં તપાસ સમિતિમાં પણ તેમને સ્થાન આપવામાં આવ્યું હતું. 

પાંચ વખત બોક્સિંગમાં ચેમ્પિયન બનનાર મેરી કોમને પણ એપ્રિલ 2016માં રાજ્યસભા સાંસદ બનાવવામાં આવ્યા હતા. હરભજન સિંહ પણ આ જ હરોળમાં છે. આમ આદમી પાર્ટી દ્વારા 2022માં તેને રાજ્યસભામાં મોકલવામાં આવ્યો હતો. 

બોક્સર વિજેન્દ્ર સિંહે પણ રાજરમતનું મેદાન અજમાવ્યું હતું. તેણે કોંગ્રેસ સાથે શરૃઆત કરી હતી. 2019ની ચૂંટણીમાં સાઉથ દિલ્હી લોકસભા બેઠક ઉપરથી ઉમેદવારી પણ કરી હતી. 2019ની આ ચૂંટણીમાં તેનો કારમો પરાજય થયો હતો. ત્યારબાદ થોડા સમય પહેલાં તે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પણ દેખાયો હતો. 

તાજેતરમાં જ એપ્રિલ 2024માં લોકસભાની ચૂંટણી પહેલાં તેણે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપ સાથે જોડાણ કરી લીધું છે. ભારતીય ફૂટબોલ ટીમના પૂર્વ સુકાની બાઈચુંગ ભુટીયા પણ ટીએમસીની ટિકિટ ઉપર લોકસભાની ચૂંટણી લડયા હતા. તેમાં તેમનો પરાજય થયો હતો. 


પોલો ઈન્ટરનેશનલ ખેલાડી અશોક ચંદાના રાજસ્થાનના મંત્રી

પોલોના ઈન્ટરનેશનલ ખેલાડી તરીકે નામના મેળવનાર અશોક ચંદાના વિવિધ ગેમ્સમાં મહારથી રહ્યા છે. તેઓ સ્ટેટલેવલ ક્રિકેટ, ઘોડેસવારી, સ્વિમિંગ અને વોલીબોલના પણ ખેલાડી હતી. તેમણે રમતગમત બાદ રાજકારણ પસંદ કર્યું હતું. કોંગ્રેસ સાથે જોડાયા બાદ રાજકીય કારકિર્દી શરૃ કરી હતી. કોંગ્રેસ દ્વારા ગત વિધાનસભા ચૂંટણીમાં અશોક ચંદાનાને અવસર આપવામાં આવ્યો હતો. 

તેઓ હિંડોલી(બુંદી) બેઠક ઉપરથી વિજયી બન્યા હતા. ત્યારબાદ સરકાર દ્વારા તેમને રાજ્ય રમતગમત મંત્રી બનાવવામાં આવ્યા હતા. ગત વર્ષે રાજસ્થાન કોંગ્રેસ સરકાર દ્વારા ગ્રામ્ય અને શહેરી સ્તરે ઓલિમ્પિક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અશોક ચંદાનાની જવાબદારી અને ભૂમિકા મોટા અને મહત્ત્વના રહ્યા હતા. 


હરિયાણાની મેડાલિસ્ટ ક્રિષ્ના પુનિયા રાજસ્થાનની મંત્રી બની

હરિયાણાના ગ્રામ્ય વિસ્તારની એક દીકરી ક્રિષ્ના પુનિયા ઓલિમ્પિક સહિત દેશ-વિદેશમાં ભારત તરફથી ડિસ્કસ થ્રોમાં ભાગ લઈ ચૂકી છે. આ ઈવેન્ટમાં અનેક ઈન્ટરનેશનલ મેડલ જીતનારી ક્રિષ્ના પુનિયાના લગ્ન રાજસ્થાનમાં થયા હતા. ત્યાં ક્રિષ્નાએ કોંગ્રેસનો હાથ પકડયો હતો. 

કોંગ્રેસ દ્વારા 2019ની લોકસભા ચૂંટણીમાં અવસર આપવામાં આવ્યો હતો. 2019માં ક્રિષ્નાને જયપુર ગ્રામ્ય બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રાજ્યવર્ધન રાઠોડ સામે ઉતારવામાં આવી હતી. આ ચૂંટણીમાં બંને ખેલાડીઓ વચ્ચેના જંગમાં રાજ્યવર્ધન રાઠોડનો વિજય થયો હતો. ત્યારબાદ ક્રિષ્ના સાદુલપુરથી ધારસભ્ય પણ બની હતી. 

2011 વર્લ્ડકપ વિજેતા ટીમના ત્રણ ખેલાડીઓ ત્રણ પક્ષોનાં નેતા બન્યા

રાજકારણની વાત આવે ત્યારે ઘણી વખત માતા-પુત્ર, પિતા-પુત્ર, ભાઈ-બહેન, પતિ અને પત્ની તથા મિત્રો અને ભાઈ-ભાઈ પણ આમને સામને આવી જતા હોય છે. અહીંયા એવા જ ત્રણ નેતાઓની વાત કરવી છે જે એક સમયે એક જ ટીમમાં હતા. તેઓ સાથે ક્રિકેટ રમતા હતા, ઘણી વખત એક જ ટેબલ ઉપર બેસીને ભોજન કર્યું છે અને તેનાથી આગળ વધીને કહીએ તો 2011ની સાલમાં ભારતને વન-ડે વર્લ્ડ કપ જીતાડનાર ટીમનો ભાગ પણ હતા. 

ગૌતમ ગંભીર, હરભજન સિંહ અને યુસુફ પઠાણ એવા ત્રણ ખેલાડીઓ છે જે રમત મેદાન છોડીને રાજરમતના મેદાનમાં સામસામે આવી ગયા હતા. નવાઈની વાત એવી છે કે, આ ત્રણેય ખેલાડીઓ ત્રણ અલગ અલગ પક્ષના પ્રતિનિધિ છે. ગૌતમ ગંભીર ભાજપના નેતા અને સાસંદ થયા હતા. હરભજન સિંહ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ છે જ્યારે યુસુફ પઠાણને તૃણમુલ કોંગ્રેસ દ્વારા બંગાળમાં લોકસભાની બેઠક ઉપર ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 

(image/jpeg)

આ નંદીની વિશેષતા છે જાણવા જેવી, કિંમત અધધ પણ પૈસા વસૂલ 16 Nov 2023, 7:45 pm

રાજકોટના લાલપરી મેલડી માતા મંદિર ગીર ગૌશાળામાં ઋષભ નામનો એક નંદી છે, જે એક ઉત્તમ કેટેગરીનો બુલ છે. ઋષભનું બંધારણ, ઊંચાઈ અને લંબાઈ જ તેની વિશેષતા છે. આ નંદીની કિંમત અંદાજે 25 લાખ રૂપિયાની આસપાસ છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ચક્ષુહીન ખેલાડીનો હુંકાર,ટીમને અપાવ્યું આ સન્માન 16 Nov 2023, 7:28 pm

ચીનમાં યોજાયેલી ચોથી એશિયન પેરા ગેમ્સમાં ભારતીય ફૂટબોલ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. ચોથી એશિયન પેરા ગેમ્સના કેપ્ટન વિષ્ણુભા તેજુભા વાઘેલાએ ટીમનું નેતૃત્વ કર્યું હતું.

કષ્ટભંજન દેવને સુરતમાં બનેલો 1 કિલો સોનાનો સુવર્ણજડિત મુગટ અર્પણ કરાયો 16 Nov 2023, 7:06 pm

Salangpur Hanumanji Temple: સાળંગપુર ધામ કષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ-પ્રતિષ્ઠા થયાને 175 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવમાં કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને એક એક કિલોના બે અલગ-અલગ પ્યોર સોનાના હીરાજડિત મુગટ તથા કુંડળ સંતોના હસ્તે અર્પણ કરાશે.

પોરબંદરમાં લીલી પરિક્રમાનો પ્રારંભ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા 16 Nov 2023, 7:01 pm

જૂનાગઢની લીલી પરિક્રમમાની જેમ જ પોરબંદરના બરડા ડુંગરની લીલી પરિક્રમા યોજાય છે. બરડા ડુંગરની પરિક્રમાનો કારતક સુદ ત્રીજથી પ્રારંભ થાય છે. આ પરિક્રમા ત્રણ દિવસ સુધી ચાલશે. બરડા ડુંગરમાં આવેલા ધાર્મિક સ્થાનોને આવરી લેતા  ડુંગરની લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ રહેલું છે.

અહીં આવેલું છે પ્રાચીન નાસ્તાનીયા હનુમાનજીનું મંદિર, જાણો ઈતિહાસ 16 Nov 2023, 6:42 pm

અમદાવાદના વિઠલાપુર ચોકડીથી આશરે 2 કિ.મી.ના અંતરે કેશવપુરા નજીક પાંચ-સાત ગામના સીમાડામાં આવેલ સુપ્રસિદ્ધ શ્રી નાસ્તાનીયા હનુમાન દાદા અને શક્તિ માતાનું મંદિર આવેલું છે. અહીં દાદાના દર્શન કરવાથી ભક્તોની તમામ સમસ્યાઓનું નિવારણ આવી જાય છે.

MBA પાસ યુવાન બન્યો ખેડૂત, કોર્પોરેટ નોકરીને પણ ટક્કર મારે તેવી કરી કમાણી 16 Nov 2023, 6:03 pm

જામનગરના હડિયાણા ગામમાં રહેતા ખેડૂત બાબુલાલએ MBA સુધીનો અભ્યાસ કર્યો છે. MBAની ડીગ્રી હોવાથી ખેડૂત બાબુલાલને અનેક નોકરીની ઓફર આવતી હતી. છતાં તેણે કૃષિ ક્ષેત્રને પસંદ કર્યું અને હાલ તેઓ આધુનિક અને ઓર્ગેનિક ખેતી કરી વર્ષે 12થી 15 લાખની આવક મેળવી રહ્યો છે.

આ છે અંગ્રેજોના જમાનાનું મ્યુઝિયમ, એક વાર આવશો તો બહાર જવાનું મન નહીં થાય 16 Nov 2023, 5:07 pm

સૌરાષ્ટ્રભરમાં આવેલા આવા સાત મ્યુઝિયમોમાં શ્રેષ્ઠ ગણાતા રાજકોટના વોટસન મ્યુઝિયમનું નામ 1888માં કર્નલ જ્હોન વોટસનની સ્મૃતિમાં રાખવામાં આવ્યું હતું જેઓ બ્રિટિશ પોલિટિકલ એજન્ટ હતા. આ મ્યુઝિયમ રાજકોટના જ્યુબિલી ગાર્ડનમાં આવેલી ક્વીન વિક્ટોરિયા મેમોરિયલ ઈન્સ્ટિટ્યૂટની ઈમારતોમાં સ્થાપવામાં આવ્યું હતું.

એક દિવસ માટે અમદાવાદ બની જશે મુંબઈ-દિલ્હી કરતાં પણ મોંઘુ, કાર્યક્રમ એ મુજબ રાખજો 16 Nov 2023, 5:01 pm

World Cup 2023 Final Date & Venue: અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ: મેચ નિહાળવા માટે ક્રિકેટપ્રેમીઓમાં ભારે આતુરતા, શહેરમાં આ લોકો ધૂમ કમાશે, ભાવ પહોંચ્યા આસમાને

ગુજરાત એસટી નિગમને દિવાળી ફળી: રેકોર્ડ બ્રેક 48.13 કરોડની આવક થઇ 16 Nov 2023, 4:53 pm

એસટી નિગમના ડેપ્યુટી ચીફ લેબર ઓફિસર દિનેશ નાયકે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ છે કે, દિવાળીના તહેવારમાં એસટી બસમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રવાસ કર્યો છે. જો કે એસટી નિગમે પણ મુસાફરો માટે બસોનુ આયોજન એકસ્ટ્રા કર્યુ હતુ. 7 થી 15 નવેમ્બરના 1 લાખથી વધારે એડવાન્સ ઓનલાઈન ટિકિટ બુકીંગ થઇ હતી.

શમીના 'સત્તા'એ ફ્લાઈટના ભાવ વધાર્યા, ODI World Cup માં અમદાવાદ બનશે મોંઘું સિટી 16 Nov 2023, 4:01 pm

અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાશે. જેના કારણે અમદાવાદમાં ફૂડથી લઈને રીક્ષા સુધીના ભાવમાં ભારે વધારો જોવા મળી શકે છે. હાલ હોટેલ્સ અને ફ્લાઈટના ભાવમાં પણ જોરદાર વધારો જોવા મળી રહ્યો છે.

આ છે 51 લાખ રૂપિયાનો નંદી, મોં માંગી કિંમત આપવા લોકો તૈયાર 16 Nov 2023, 3:57 pm

રાજકોટના લાલપરી મેલડી માતા મંદિર ગીર ગૌશાળામાં જય નામનો નંદી છે, જે એક ઉત્તમ કેટેગરીનો બુલ છે. જય નંદી તેના પિતા રૂપ નંદીની ઝેરોક્ષ કોપી છે. રૂપા નંદીની કિંમત 1 કરોડ રૂપિયા છે, ત્યારે જય નંદીની કિંમત 51 લાખ રૂપિયા છે. આ ગૌશાળાના નંદી જોવા લોકો દૂર દૂરથી આવે છે.

આ સ્થળો પ્રવાસીઓ માટે છે હોટ ફેવરિટ, અચૂક મુલાકાત લેવી 16 Nov 2023, 3:20 pm

વડોદરા શહેર નજીક પ્રવાસ માટે અનેક સ્થળો આવેલા છે. શહેરની નજીક જ કુદરતના સાનિધ્યમાં શાંતિનો અનુભવ થાય છે. અહીં દર શિયાળાની ઋતુમાં હજારો પ્રવાસીઓ આવતા હોય છે.

અમદાવાદમાં આ લકઝુરિયસ હોટલમાં રોકાશે રોહિત, કોહલી, શમી સહિતના ધૂરંધરો 16 Nov 2023, 2:39 pm

World Cup 2023 Final: અમદાવાદમાં ભારતીય ક્રિકેટ ટીમનું આજે શાનદાર સ્વાગત થશે, આ ભવ્ય હોટલમાં રોકાણ કરશે ભારતીય ટીમ, હોટેલ ખાતે વિશેષ તૈયારીઓ કરવામાં આવી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને વર્લ્ડ કપની રંગોળી પણ બનાવવામાં આવી છે.

અમદાવાદ: ઇન્કમટેક્સ અને ઇડીની રેડથી બચાવવા પરિવાર પાસે 30 લાખની ખંડણીની માંગ 16 Nov 2023, 1:55 pm

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતા એક પરિવારને રૂપિયા પડાવવા માટે ધમકી મળી. ઇન્કમટેક્સ અને ઇડીની રેડ બચવા માટે ₹30 લાખ રૂપિયાની ખંડણીની માંગ કરી. એટલું જ નહીં આ ખંડણી નહીં આપે તો પરિણામ ભોગવવાની પણ તૈયારી રાખવાની પડશે તેવી ધમકી આપવામાં આવતા પરિવારે ઇસનપુર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ ભેંસની કિંમતમાં ફરી શકશો વિદેશ, ભાવ જાણીને થઈ જશો દંગ 16 Nov 2023, 1:34 pm

સૌથી મોંઘી ભેંસઃ ભિવાની વિસ્તારની એક ભેંસ પોતાની કિંમતના કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. ધર્મા નામની ભેંસના માલિકે તેની કિંમત એટલી ઉંચી રાખી છે કે, એટલી કિંમતમાં ફોર્ચ્યુનર જેવી લક્ઝરી કાર સરળતાથી ખરીદી શકાય છે.

ભાવનગર જિલ્લાના આ આશ્રમમાં પ્રગટે સેવાની જ્યોત 16 Nov 2023, 1:03 pm

ભાવનગર જિલ્લાના પરવડી ગામ પાસે આત્મારામ બાપુનો આશ્રમ આવેલો છે. અહીં જરૂરિયાતમંદ લોકોને ભોજન આપવામાં આવે છે. તેમજ પશુ, પક્ષીનો પણ સેવા કરવામાં આવે છે.

અમદાવાદ: હેવાનિયતનો ચોંકાવનારો કિસ્સો, બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા 16 Nov 2023, 1:02 pm

વટવા વિસ્તારમાં એક વ્યક્તિએ હેવાનિયતની હદ પાર કરી, બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી દીધી. પોલીસે અલગ-અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી

ગાત્રો થીજવતી ઠંડીની આગાહી: અંબાલાલ પટેલે કહ્યુ- આ તારીખ પછી તો... 16 Nov 2023, 12:24 pm

Gujarat Weather Updates: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, હવે ધીમે-ધીમે તાપમાન ઘટશે અને ઠંડીનું જોર વધવા લાગશે. સાથે જ તેમણે ગાત્રો થીજવતી ઠંડીની પણ આગાહી કરી છે. ગુજરાતમાં કઇ તારીખ પછી કડકડતી ઠંડી પડશે તે પણ જણાવ્યું છે.

કેરી અને સફરજનને ટક્કર આપે તેવું ફળ, શિયાળામાં રાખશે તમને સ્વસ્થ 16 Nov 2023, 12:16 pm

ફળોના રાજા કેરીને તો તમે સૌ જાણતા હશો. સફરજનના ગુણ પણ તમે સાંભળ્યા હશે. પરંતુ અમે એક એવા ફળ વિશે માહિતી લઈને આવ્યા છે. જે કેરી અને સફરજન કરતાંય વધુ પોષકતત્ત્વો ધરાવે છે.

આ ફૂડ પેટ ભરીને ખાવો, શિયાળામાં રહેશો નિરોગી 16 Nov 2023, 12:04 pm

શિયાળાઓ આવી ગયો છે. શિયાળામાં લોકો વિવિધ કાળજી રાખતા હોય છે. શિયાળામાં ખજૂર અને ઘી આરોગવાથી અનેક ફાયદા થાય છે. તેમજ શરીર નિરોગી બને છે.

વિજાપુરના લાડોલમાં હરસિદ્ધિ માતાનું મામેરૂ ભરાશે, રત્ન જડિત મુગટ અર્પણ કરાશે 16 Nov 2023, 11:26 am

વિજાપુર તાલુકામાં આવેલા લાડોલ ગામમાં સાત દિવસ સુધી હરસિધ્ધિ મહોત્સવમાં શ્રીમદ દેવી ભાગવત સત્સંગ યોજાશે. પ્રથમ વખત માતાજીનું મામેરૂં પણ યોજાશે.આગામી 15 ઓક્ટોબર થી 21 ઓક્ટોબર સુધી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

જંગલના સીમાડા વટાવી સિંહ ગામડામાં પહોંચ્યા, શીકાર કર્યો 16 Nov 2023, 11:11 am

સિંહ જંગલનાં સીમાડા વટાવીને ગામડા સુધી પહોચી ગયા છે અને પશુઓનો શિકાર કરતા હોય છે. ખાપટ ગામમાં સિંહ આવી ગયા હતાં અને શીકાર કર્યો હતો. આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.

શિયાળામાં ઘરે બેસીને કરો આ આસન, અનેક થશે ફાયદા 16 Nov 2023, 10:48 am

શિયાળાની શરૂઆત થઇ છે. ત્યારે શિયાળામાં લોકો યોગ અને કસરત કરતા હોય છે. અનેક આસન ઘરે બેસીને પણ કરી શકાય છે. આ આસન કરવાથી ઉર્જા પ્રદાન થાય છે. શરીર નિરોગી રહે છે.

દાહોદ: પોલીસ મથકે હોબાળો મચાવનાર 400 લોકો સામે રાયોટીંગનો ગુનો, 30ની ધરપકડ 16 Nov 2023, 10:33 am

દાહોદ: પોલીસ મથકે હોબાળો મચાવનાર 400 લોકો સામે રાયોટીંગનો ગુનો નોંધી હાલ કુલ 30 લોકોની ધરપકડ, દિવાળીના દિવસે દારૂની ખેપ દરમિયાન એક યુવકનું મોત થતા પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ કર્યો છે કે, પોલીસે લાકડી મારવાથી યુવક મોતને ભેટ્યો છે

ટ્રેન અકસ્માતમાં પગ ગુમાવ્યો, પરંતુ વહારે આવેલા ટ્રસ્ટે પૂરી કરી આવી ખોટ 16 Nov 2023, 10:29 am

વડોદરા શહેરમાં આવેલી સર્વ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગરીબ અને નિઃસહાય લોકોની મદદ કરે છે. વડોદરામાં રહેતા દિવ્યાંગ વિજયભાઈ મારવાડીને પગભર કરવા કૃત્રિમ પગ અને દુકાન આપવામાં આવી.

અમરેલી: ભાજપના મહિલા અગ્રણી નેતાની હત્યાથી હડકંપ, પુત્રને ગાડીથી કચડવાનો પ્રયાસ 16 Nov 2023, 9:47 am

અમરેલી: ધારીમાં ભાજપના પૂર્વ મંત્રીની હત્યા, પાડોશીએ સામાન્ય બોલાચાલી બાદ કરી હત્યા, ભાજપના પૂર્વમંત્રી મધુબેન જોશીની હત્યાથી હડકંપ

શિયાળો આવતા વેપારીઓ ગરમ કપડાં લઇ પહોંચી ગયા, આટલા છે ભાવ 16 Nov 2023, 9:34 am

શિયાળાની સિઝન શરૂ થઇ રહી છે. ત્યારે બોટાદ જિલ્લા બહારથી વેપારીઓ ગરમ કપડાંનું વેચાણ કરવા પહોંચી ગયા છે. ગઢડા શહેરમાં સ્ટોર ઉભા કર્યાં છે. અહીં 100 રૂપિયાથી લઇને 2500 રૂપિયા સુધીનાં ગરમ કપડાં મળી રહ્યાં છે.

કૂતરા કરડવાની ઘટનામાં વળતર મળવું જોઇએ? અમદાવાદવાસીઓ શું કહે જાણો 16 Nov 2023, 9:27 am

પંજાબ અને હરિયાણ હાઇકોર્ટે કૂતરા કરડવાના બનાવમાં વળતર આપવા કહ્યું છે. અમદાવાદ શહેરમાં કૂતરા કરડવાના અનેક બનાવો બની રહ્યાં છે. ત્યારે ગુજરાત રાજયમાં પણ વળતરનો નિર્ણય કરવો જોઇએ.

ખેડૂતો તરબૂચ અને ટેટીની ખેતી તરફ વળ્યાં, આ જાતની પસંદગી કરવી 16 Nov 2023, 8:35 am

સૌરાષ્ટ્રમાં ખેડૂતો તરબૂચ અને ટેટીનું વાવેતર કરી રહ્યાં છે. તેમજ સારી જાતનું વાવેતર કરી વધુ ઉત્પાદન મેળવી રહ્યાં છે. તરબૂચ અને ટેટીમાંથી ખેડૂતો સારી આવક મેળવી રહ્યાં છે.

જીરુંના વાવેતરમાં ખાસ તકેદારી રાખવી, બાકી થશે નુકસાન 16 Nov 2023, 8:05 am

સૌરાષ્ટ્રમાં ખેડૂતો જીરુંનું વાવેતર કરી રહ્યાં છે. જીરુંનો પાક ખુબ જ સંવેદનશીલ છે. જીરુંનાં પાકમાં ખાસ કાળજી રાખવી જોઇએ. તેમજ બિયારણની પસંદગી અને વાવેતરના સમય યોગ્ય હોવો જોઇએ.

સડસડાટ ગગડ્યો પારો, ભારે વરસાદની પણ આગાહી, દરિયાકાંઠે મોટી હલચલ થશે! 16 Nov 2023, 8:04 am

ઠંડીનો ચમકારો વધ્યો, આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન? ક્યાં પડશે ભારે વરસાદ, દરિયાકાંઠે કેટલી ઝડપે ફૂંકાઇ શકે છે પવન? તે અંગે હવામાન વિભાગની મહત્વની અપડેટ

ખેતીની આવક વધારવા ખેડૂતોનો પ્રયોગ, સરગવા સાથે આ પાકનું કર્યું વાવેતર 16 Nov 2023, 7:35 am

ખેડૂતો ખેતીની આવક વધારવા અનેક પ્રયોગ કરી રહ્યાં છે. ત્યારે ભાવનગર જિલ્લાનાં આસરાણા ગામનાં ખેડૂતે સરગવાનું વાવેતર કર્યું છે. તેમજ સરગવા સાથે અજમાનું વાવેતર કર્યું છે. ટુંકી ખેતીમાંથી બે આવક મેળવી રહ્યાં છે.

6 ધોરણ ભણેલા યુવાનની મહિનાની આવક જાણી ચોંકી જશો 16 Nov 2023, 7:01 am

ખેતી સાથે પશુપાલનથી આવક બમણી થાય છે. અમરેલી જિલ્લાનો છ ધોરણ ભણેલ યુવાન પશુપાલનનાં વ્યવસાયમાંથી મહિને બે લાખ રૂપિયાની કમાણી કરે છે. યુવાન પાસે કુલ 40 પશુ છે.

ખેડૂતે જર્મન ટેક્નોલોજીવાળા મશીનથી કરી બટાકાની ખેતી, મળ્યા અઢળક ફાયદા 16 Nov 2023, 6:10 am

ડીસાના બ્રિશાન કચ્છવા નામના ખેડૂતે અદ્યતન જર્મન ટેક્નોલોજી ધરાવતી મશીન દ્વારા બટાકાનું વાવેતર કર્યું છે. આ મશીન શ્રમ અને સમય બંનેની બચત કરે છે. સાદા મશીન થકી જે કામ કરતાં 3 દિવસ લાગે છે, તે જ કામ આ મશીન દ્વારા દોઢ દિવસમાં થઈ જાય છે.

આ છે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પસંદગી પામનાર ગુજરાતની પ્રથમ મહિલા ખેલાડી 15 Nov 2023, 7:41 pm

વિશ્વ સ્તરે યોજાનારી વર્લ્ડ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ 2023 પોર્ટુગલ ખાતે આગામી 17થી 27 નવેમ્બર દરમિયાન યોજાશે.વડોદરના ત્રણ કિક બોક્સર ઈશિતા ગાંધી,આકાશ ચવ્હાણ અને હર્ષિત વ્યાસ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

અમદાવાદનાં આ કાફેમાં લોકોનુ કામ રોબોટ કરે, જુઓ VIDEO 15 Nov 2023, 7:31 pm

અમદાવાદમાં આ કાફેમાં આધૂનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અહીં રોબોટ ઓર્ડર લોકો સુધી પહોંચાડે છે. આ રોબોટની ખરીદી જર્મનીથી કરવામાં આવી છે.

હોઠોને બનાવો ગુલાબની પાંખડી જેવા, આ બ્યુટી ટિપ્સ આપશે પિંક લિપ્સ 15 Nov 2023, 6:39 pm

ઘણી યુવતીઓ પોતાના કાળા પડી ગયેલા હોઠથી પરેશાન હોય છે. એવી યુવતીઓએ ચિંતા કરવાની જરૂર નથી. અમે કાળા હોઠને લાલ ગુલાબી કરવા માટે કેટલીક બ્યુટી ટિપ્સ લઈને આવ્યા છે.

જુઓ આ યુનિક રમકડાં, તમે વિચારી પણ ન શકો તેવી વસ્તુથી થયું છે નિર્માણ 15 Nov 2023, 5:59 pm

જામનગરમાં રહેતા મનસુખભાઈ પ્રજાપતિ કાગળના માવામાંથી રમકડાં બનાવે છે. તે છેલ્લા 40 વર્ષથી આ પ્રકારના રમકડાં બનાવીને તેનું વેચાણ કરે છે. મનસુખભાઈ કબુતર અને ચકલીની જોડી બનાવીને વેચે છે. રોજના તેઓ 10-12 નંગ બનાવે છે.

ભાઈબીજના દિવસે મીની-મથુરા બન્યું માધવપુર, જુઓ Photos 15 Nov 2023, 5:18 pm

ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાણી રૂક્ષ્મણીના વિવાહ સ્થળે એવા માધવનગરી ભાઈબીજના દિવસે મીની-મથુરા બન્યું હતું. પવિત્ર ભાઈ બીજના દિવસે યમુનાજી માધવપુરાના દરિયામાં બિરજતા હોવાની માન્યતાને આજે પણ લોકોએ જીવંત રાખી પરંપરા જાળવી રાખી હતી. હજારો ભાવિકોએ માધવપુરના દરિયામાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી.

આ કારીગરની ગજબની કારીગરી જોઈને કહેશો 'વાહ', બનાવ્યા વાહન, ટ્રેનના અદ્ભુત મોડલ 15 Nov 2023, 4:41 pm

રાજકોટમાં રહેતા મુકેશભાઈ એક ઉમદા કારીગર છે. મુકેશભાઈ અલગ-અલગ પ્રકારના મોડલ તૈયાર કરે છે જેમાં ટ્રેનના એન્જિન, બુલેટ બાઈક,ઓડી કાર તેમજ અલગ અલગ પ્રકારના મીની મોડલ તૈયાર કરે છે. મુકેશભાઈના મોડલ જોવા માટે દેશ-વિદેશીથી અનેક લોકો આવે છે અને મસમોટી રકમ આપીને ખરીદી પર કરે છે.

અશ્વદોડમાં છલકાયો વીરરસ, જોવા મળ્યું ક્ષત્રિયોનું શૌર્ય અને ઘોડાઓની ગતિ 15 Nov 2023, 4:27 pm

ભાઈબીજના દિવસે મુડેઠા ગામમાં ભવ્ય અશ્વદોડ યોજાઈ હતી. લગભગ 760 વર્ષથી આ અશ્વદોડનું આયોજન કરવામાં આવે છે. આ અશ્વદોડને નીહાળવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ અશ્વદોડમાં ક્ષત્રિયોનું શૌર્ય અને ઘોડાની ગતિનો સંગમ જોવા મળ્યો હતો.

શિયાળામા આ ઉપાય કરો, સુંદર ત્વચા બની જશે 15 Nov 2023, 3:42 pm

શિયાળાની શરૂઆત થઇ છે. ત્યારે સૂકા પવનના કારણે ત્વચાને ફાટી જાય છે અને તેમા બળતરા થાય છે. આ સમસ્યાથી બચવા આયુર્વેદમાં કેટલાક ઉપાય બતાવવામાં આવ્યાં છે. જેનાથી સુંદર ત્વચા બની જાય છે.

સુરત: ફટાકડા ફોડતાં બાળક પર ફરી વળી લકઝુરિયર્સ કાર, આબાદ બચાવ 15 Nov 2023, 2:49 pm

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, તમારા બાળકોનું ખાસ ધ્યાન રાખો, સુરતના કતાર ગામમાં એક ઘટના બની જેણે સૌને ચોંકાવી દીધા, કાર બાળક પર ફરી વળી

રાજકોટમાં ટ્રેન નીચે કપાતા બેનાં મોત, કચ્છમાં અકસ્માતમાં બેનાં મોત 15 Nov 2023, 2:41 pm

ટ્રેન અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે. રાજકોટથી વેરાવળ જતી ટ્રેન નીચે બે લોકો કપાયા હતા. આ બનાવ જેતપુર પીઠડીયા નજીક બન્યો હતો. ટ્રેન નીચે આવી જતાં બે લોકોનાં મોત નિપજ્યા હતા.

આ પ્રકારના ફેશિયલનો દુલ્હનોમાં વધ્યો ક્રેઝ, બ્યુટી પાર્લરવાળાને થશે જોરદાર કમાણી 15 Nov 2023, 2:02 pm

આગામી સમયમાં લગ્ન સીઝનની શરૂઆત થવા જઈ રહી છે. લગ્ન સીઝનને લઈ હાલ શહેરમાં આવેલી બ્યુટી પાર્લર ધમધમી રહ્યા છે. હાલ મહિલાઓ હાઈડ્રા ફેશિયલ વધુ પસંદ કરી રહી છે.

આ બિગ બુલ ફિટનેસના મામલે એકદમ અડીખમ, જાણો તેની ખાસિયત 15 Nov 2023, 2:00 pm

રાજકોટના લાલપરી મેલડી માતા મંદિર ગીર ગૌશાળામાં ટિલાટ નામનો નંદી છે, જે એક ઉત્તમ કેટેગરીનો બુલ છે. આ બુલ અત્યારે 9 વર્ષનો છે જેની ખાસિયત એ છે કે, તેનો સ્વભાવ ખૂબ જ શાંત છે. આ બુલની ઓલાદ 7 લિટરથી વધુ દૂધ આપી રહી છે.

ઝળહળી ઉઠ્યું સ્વામિનારાયણ મંદિર, લાઈટ એન્ડ સાઉન્ડ શોએ કર્યા સૌને દંગ 15 Nov 2023, 1:04 pm

નવસારીના ગ્રીડ ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, નવસારીવાસીઓ 19મી નવેમ્બર સુધી આ ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શોની મજા માણી શકશે. 180 જેટલી કલરફૂલ લાઈટથી સ્વામિનારાયણ મંદિર ઝગમગી ઉઠ્યું હતું. લાઈટ એન્ડ સાઉન્ડ શો દ્વારા વિવિધ તહેવારોની ઝાંખી કરાવવામાં આવી હતી.

શરદી અને ખાંસીમાંથી મળશે મુક્તિ, અપનાવો આ અકસીર ઈલાજ 15 Nov 2023, 12:45 pm

શરદી-ખાંસીની સમસ્યા જીવનમાં દરેકને રહેતી હોય છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે, જેમને બારેમાસ શરદી-ખાંસીનો કોઠો હોય છે. તેઓએ અહીં આપેલ સલાહ-સૂચનને અનુસરવાની જરૂર છે.

સુરત: ગેસ ચાલુ કરતી વખતે ઘટી દુર્ઘટના, 3 બાળકો સહિત 5 દાઝયા 15 Nov 2023, 11:42 am

સુરતના સચિનમાં ગેસ લીકેજ થતાં આગ લાગી, આગની ઘટનામાં 3 બાળકો સહિત 5 લોકો દાઝયા, સવારે દૂધ બનાવતી વખતે ગેસ ચાલુ કરતા ઘટના બની હતી

13 વર્ષના દેવાંગ પાસે મેડલનો ઢગલો, અનેક સિદ્ધિ હાંસલ કરી 15 Nov 2023, 11:18 am

સાવરકુંડલાનાં ઝીંઝુડા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા છાત્ર દેવાંગ ઉપાધ્યાયે અનેક મેડલ મેળવ્યાં છે. નાની ઉંમરમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.

શિયાળું વાવેતરમાં ખેરાલુ મોખરે, વિજાપુરમાં માત્ર આટલા ટકા વાવણી 15 Nov 2023, 11:12 am

ઉત્તર ગુજરાતમાં શિયાળું વાવેતરની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા 2 સપ્તાહમાં જિલ્લામાં 38 હજાર હેક્ટર વાવેતર થયું છે. 38 ટકા વાવેતર સાથે ખેરાલું તાલુકો મોખરે છે.

અહીં આવેલું છે પ્રસિદ્ધ ખોડિયાર માતાજીનું મંદિર, જાણો ઇતિહાસ 15 Nov 2023, 11:07 am

ભાવનગરથી 20 કિમી દુર ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિર પ્રાચીન છે. અહીં ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે આવે છે. અહીં 1914 મહારાજાએ સોનાનું છત્ર ચઢાવ્યું હતું. મંદિર ખાતે પાણીનો ધરો આવેલો છે.

પરેશ ગોસ્વામીની ઠંડી જામવાની આગાહી, આ તારીખથી તો સ્વેટર સાથે રાખવું પડશે 15 Nov 2023, 10:38 am

Gujarat Cold Weather: નવા વર્ષથી રાત્રીના સમયે ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે ત્યારે હવે ક્યારથી સવારે પણ ઠંડીનો અહેસાસ થશે તે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વાત કરી છે. પરેશ ગોસ્વામીએ ઠંડીની સાથે માવઠા અંગે અને પવનની દિશાની માહિતી આપી છે. ઠંડીનું પ્રમાણ ક્યારથી વધી શકે છે તે અંગે પરેશ ગોસ્વામીએ તારીખ સાથે વિગતો જણાવી છે.

ગુજરાતમાં અહીં દિવાળીના પાંચ દિવસ થાય છે અશ્વ દોડ, પરંપરા પાછળનું કારણ શું? 15 Nov 2023, 10:14 am

બનાસકાંઠાના જિલ્લામાં બુકોલી ગામમાં દિવાળીના પાંચ દિવસના પરબલામાં ઘોડા દોડાવીને દિપોત્સવ મનાવવામાં આવે છે. બુકોલી સહિત આસપાસના 25થી પણ વધુ ગામના લોકો ઘોડા દોડાવવા માટે આવે છે અને અહીં પાંચ દિવસ સુધી મેળા જેવો માહોલ સર્જાય છે

આ દિવસે પશુઓની લે-વેચ કરવી શુભ, થશે લાભ 15 Nov 2023, 10:11 am

યજ્ઞ, શુભ પ્રસંગ માટે મુહૂર્ત વગેરે જોવામાં આવે છે. એટલું જ નહીં પ્રવાસ, યાત્રાનાં પણ શુભ મુહૂર્ત હોય છે. દરેક બાબતમાં જ્યોતિષ શાસ્ત્રનું મહત્વ રહેલું છે. ખેતીક્ષેત્રે પણ વિશેષ મહત્વ ધરાવે છે.

હવે પલટાશે રાજ્યનું હવામાન? કડકડતી ઠંડી અંગે અંબાલાલ પટેલે કરી તારીખ સાથે આગાહી 15 Nov 2023, 9:15 am

Gujarat Weather: દિવાળી બાદ હવે રાજ્યના વાતાવરણમાં શું નવા-જૂની થશે? વરસાદ કે માવઠાની સંભાવના કેટલી? કડકડતી ઠંડી અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી, આ તારીખોમાં ઠુઠવાશો

આ ATMમાંથી રૂપિયા નીકળતા નથી, છતા સુવિધા છે ઉત્તમ 15 Nov 2023, 9:02 am

જૂનાગઢ જિલ્લાનાં 9 સામુહિક આરોગ્ય કેન્દ્ર અને 38 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર 47 હેલ્થ એટીએમ મુકવામાં આવ્યાં છે. આ હેલ્થ એટીએમમાંથી લોકોના હેલ્થને લગતા રીપોર્ટ મિનિટોમાં મળે છે. હેલ્થને લગતા 50 પ્રકારના રીપોર્ટ વિનામૂલ્યે થાય છે.

ખેતી સાથે આ વિકલ્પ અપનાવો, રૂપિયાનો થશે ઢગલો 15 Nov 2023, 8:05 am

ખેડૂતો ખેતી સાથે રોપા પણ તૈયાર કરી રહ્યાં છે. અનેક ખેડૂતો જુદા જુદા રોપા તૈયાર કરી તેનું વેચાણ કરી રહ્યાં છે. ભાવનગર જિલ્લાનાં જેસર પંથકમાં ખેડૂતો આંબાની કલમો તૈયાર કરીને વેચાણ કરી રહ્યાં છે અને સારી કમાણી કરી રહ્યાં છે.

ચહેરાને ચાંદ જેવો બનાવવા આટલું કરો, આ ખાસ ધ્યાન રાખવું 15 Nov 2023, 7:35 am

યુવાનો અને યુવતીઓનાં ચહેરા ઉપર ખીલ થતા હોય છે અને બાદ તેના દાગ રહી જતા હોય છે. આ સમસ્યા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. તેમજ નવા પ્રયોગ કરવા જોઇએ નહી. તેમ કરવાથી વધુ નુકસાની થઇ શકે છે.

સારી નોકરીને ટક્કર મારે એટલી દૂધમાંથી આવક 15 Nov 2023, 7:05 am

ખેતીમાં નફો ઓછો થતા ખેડૂતો નવા પ્રયોગ કરી રહ્યાં છે. ખાસ કરીને ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરી રહ્યાં છે. ખેતી અને પશુપાલનનાં કારણે સારી આર્થિક આવક થઇ રહી છે. ખેડૂતો શ્રેષ્ઠ ઓલાદનાં પશુ રાખી રહ્યાં છે.

સુરતમાં મોટી દુર્ઘટના, ટાંકી સાફ કરવા પડેલા 4 કામદારના મોત 14 Nov 2023, 8:54 pm

હાલ ઘટનાસ્થળે ફાયરવિભાગની કુલ ચાર ટીમ પહોંચી છે અને તમામ કામદારોના મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

એશિયન પેરા ગેમ્સમાં આ દિવ્યાંગ યુવતીએ વગાડ્યો ડંકો,ચેસમાં બે મેડલ જીત્યા 14 Nov 2023, 7:06 pm

અમદાવાદમાં રહેતી દિવ્યાંગ હિમાંશી રાઠીએ ચીન ખાતે આવેલા હેંગઝાઈમાં ચોથી એશિયન પેરાગેમ્સમાં 2 મેડલ જીત્યા હતા.હિમાંશીએ સૌપ્રથમ 2014 માં ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો.

5 દિવસ યોજાતી અશ્વદોડ, વાયુવેગે દોડતા ઘોડાઓને જોવા ઊમટે છે ઘોડાપૂર 14 Nov 2023, 6:29 pm

બુકોલી ગામમાં દિવાળીના સળંગ 5 દિવસ અશ્વદોડનું આયોજન કરવામાં આવે છે. ધનતેરસથી લઈને ભાઈબીજના દિવસ સુધી અહીં ઘોડા દોડાવવામાં આવે છે. જેમાં 100થી વધારે ઘોડેસવાર ભાગ લે છે. કોટડીયા વીરની આસ્થા અને ભક્તિની પરંપરાના ભાગરૂપે અહીં અશ્વદોડ રાખવામાં આવે છે.

ભૂખ્યા પેટે કોફીનું સેવન કરતા હોવ તો ચેતી જજો, પેટમાં થઈ શકે છે ગંભીર રોગ 14 Nov 2023, 5:58 pm

વ્યક્તિએ તેના મેટાબોલિક રેટના આધારે કોફી પીવી જોઈએ. સાથે કોફીમાં શુગર માત્રા વધી ન જાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. જો કોફીમાં એક ચમચી ઘી નાખીને પીવામાં આવે તો તેનાથી ડ્રાયનેસ ખતમ થઇ જાય છે.

સેવાભાવી ગ્રુપની અનોખી પહેલ, હોમગાર્ડના જવાનો સાથે ઉજવ્યું નૂતન વર્ષ 14 Nov 2023, 5:54 pm

નવસારીના હ્યુમિનિટી ગ્રુપના સભ્યોએ અનોખી રીતે નૂતન વર્ષની ઉજવણી કરી છે. આ ગ્રુપના સભ્યોએ હોમગાર્ડના જવાનોની સાથે નૂતન વર્ષની ઉજવણી કરી હતી અને હોમગાર્ડના જવાનોને મીઠાઈ ભરેલા બોક્સનું વિતરણ પણ કર્યું હતું.

દક્ષિણ ભારતની કારીગરીનો બેનમૂન નમૂનો જોવા લોકોની ઊમટી ભીડ, જુઓ Video 14 Nov 2023, 5:22 pm

વડોદરા મ્યુઝિયમમાં ઉપસ્થિત 19મી સદીનો દીવો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ દીવામાં દક્ષિણ ભારતની ઝલક જોવા મળે છે.પુરાતત્વ વિભાગના નેજા હેઠળ મ્યુઝિયમની દેખરેખ થાય છે.

વાળ થશે મજબૂત અને કબજિયાત છુમંતર, આ ફળનું કરો સેવન 14 Nov 2023, 5:17 pm

આમળા વિટામીન Cથી ભરપૂર છે. તેનું સેવન ઘણી રીતે કરી શકાય છે. ખાલી પેટે કાચા આમળા ખાવાથી તમારી આંખોનું તેજ વધે છે. આ ઉપરાંત પણ તેનું સેવન શરીર માટે ફાયદાકારક છે.

આ છે એશિયાનું સૌથી મોટું અને સસ્તુ ઈલેક્ટ્રોનિક માર્કેટ 14 Nov 2023, 4:23 pm

આજના યુગમાં ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ વગર માનવ જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. આમાં ખાસ કરીને મોબાઈલ ફોન અને લેપટોપનો સમાવેશ થાય છે. તે જ સમયે, લોકો તહેવારોની સિઝનમાં વધુ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ખરીદે છે. તો ચાલો આજે અમે તમને એક એવા માર્કેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે એશિયાના સૌથી સસ્તા ઈલેક્ટ્રોનિક માર્કેટમાં સામેલ છે.

બટાકાની ખેતી કરતા ખેડૂતોએ પકડી કોન્ટ્રાક્ટ ફાર્મિંગની ગાડી, શું હવે થશે ઉદ્ધાર? 14 Nov 2023, 3:05 pm

બનાસકાંઠામાં બટાકાની ખેતીના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે. બટાટાની ખેતીમાં મજૂરી અને ખર્ચ વધારે છે તેમજ પોષણક્ષમ ભાવ મળતા નથી. આ કારણોસર, મોટી સંખ્યામાં ખેડૂતો હવે કોન્ટ્રાક્ટ ફાર્મિગ દ્વારા બટાકાની ખેતી કરી રહ્યા છે, આથી ખાવાના બટાકાનું વાવેતર ઘટશે.

આગામી વર્ષે કયા વિસ્તારમાં કેવો વરસાદ રહેશે તે જાણવાની એકદમ સરળ પદ્ધતિ 14 Nov 2023, 2:32 pm

Weather Expert Paresh Goswami: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા આગામી વર્ષે વરસાદ કેવો રહેશે તે સમજવા માટેની એકદમ સરળ પદ્ધતિ જણાવવામાં આવી છે. તેમણે જણાવેલી પદ્ધતિ ખેડૂતોને ઘણી જ ઉપયોગી થઈ શકે છે. આકાશમાં દેખાતું ચિહ્ન વરસાદનો સંકેત આપે છે અને તેના આધારે ક્યાં કેવો વરસાદ થશે તે જાણી શકાય છે. સામાન્ય વ્યક્તિ પણ આકાશમાં જોઈને વરસાદ ક્યારે અને કેવો આવશે તે આના પરથી સમજી શકે છે.

ભગવાન સ્વામિનારાયણને સમર્પિત છે આ મંદિર, ગાંધીનગરના અક્ષરધામની અપાવશે યાદ 14 Nov 2023, 1:39 pm

આ વર્ષે રાજકોટ સ્વામિનારાયણ મંદિરના 25 વર્ષ થયા પૂર્ણ થયા છે. રજત મહોત્સવને લઈને BAPS મંદિર દ્વારા મહાઅન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંદિરની સ્થાપના વર્ષ 1998માં પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.

શહેરને ટક્કર આપે તેવું અફલાતૂન ગામ, સુવિધા એકદમ ફોરેન જેવી 14 Nov 2023, 12:55 pm

ડીસા તાલુકામાં આવેલું પાલડી ગામ શહેરને પણ ટક્કર મારે, તેવું અફલાતૂન ગામ છે. અહીંના સરપંચે અથાક મહેનતથી અનેક વિકાસના કાર્યો કર્યા છે અને ગામનો નકશો બદલી નાખ્યો છે. આ ગામમાં ATM, બેંક, મોર્ડન શૌચાલય, મોર્ડન બસસ્ટોપ, શાળા, બાગ બગીચા, પાકા રસ્તા જેવી તમામ ભૌતિક સુવિધા છે. આખું ગામ CCTVથી સજ્જ છે.

સમય બદલાયો પણ પરંપરા યથાવત, ગ્રામ્ય વિસ્તારોમાં નૂતન વર્ષના પ્રભાતે કરાઈ શકનની વહેંચણી 14 Nov 2023, 12:10 pm

આજથી ગુજરાતી કેલેન્ડર અનુસાર ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત થઈ છે. આ તહેવારની સાથે કેટલીક પરંપરાઓ પણ જોવા મળે છે, ભલે સમય બદલાયો પરંતુ પરંપરા આજે પણ યથાવત છે. નૂતન વર્ષના દિવસે ગ્રામ્ય વિસ્તારો અને પોરબંદરમાં સવારના સમયે શકન વેચવાની એક પરંપરા છે.

નવા વર્ષે સી. આર. પાટીલનો હુંકાર, આગામી લોકસભાની ચૂંટણીને લઇને આપ્યો ખાસ સંદેશ 14 Nov 2023, 12:03 pm

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે નવા વર્ષની શુભકામના પાઠવી છે. સુરતમાં સી. આર. પાટીલે કાર્યકરો અને શુભેચ્છકો સાથે તમામ લોકોને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. સાથે જ તેમણે લોકસભાની ચૂંટણીમાં જીતનો પણ હુંકાર કર્યો હતો.

નવા વર્ષે વસાવો પોતાનું વાહન, અહીં મળશે એકદમ સસ્તા સેકન્ડ હેન્ડ ટુ વ્હીલર 14 Nov 2023, 11:06 am

આણંદ ખાતે આવેલા 100 ફૂટ રોડ ઉપર સેકન્ડ હેન્ડ ટુ વ્હીલર ખરીદવા માટેનું વિશાળ બજાર આવેલું છે. સેકન્ડ હેન્ડ બાઈક અને એક્ટિવા ખરીદવા આ સ્થળ લોકોની પહેલી પસંદ બન્યું છે. આ સ્થળે સસ્તામાં સસ્તા ભાવે અને સારી ગુણવત્તા ધરાવતા સેકન્ડ હેન્ડ ટુ વ્હીલર મળી રહે છે. દૂર-દૂરથી લોકો અહીં સેકન્ડ હેન્ડ બાઇક અને એક્ટિવા ખરીદવા આવે છે.

રશ્મિકા મંદાનાની જેમ Deepfackનો શિકાર બનો, તો અહીં નોંધાવજો ફરિયાદ, તુરંત થશે કાર્યવાહી 14 Nov 2023, 11:00 am

સોશિયલ મીડિયા પર આવા ઘણા કિસ્સાઓ છે, જેમાં AIના દુરુપયોગના પુરાવા છે. આમાં ડીપફેક વીડિયો, મોર્ફ વીડિયો અને ચાઈલ્ડ પોર્ન વીડિયોનો સમાવેશ થાય છે.

નવા વર્ષે મા બહુચરને સોનાના થાળમા રાજભોગ ધરાવાયો, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું 14 Nov 2023, 10:05 am

બહુચરાજી મંદિરમાં દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે. નૂતન વર્ષ પર્વ નિમિત્તે મા બાળા બહુચરને સોનાનો થાળ ધરાવવામાં આવ્યો હતો. આ પરંપરા ગાયકવાડ સમયથી અંદાજે 450 વર્ષથી ચાલતી આવે છે.

જન્મના પ્રમાણપત્ર વગર ઘરે બેઠા બની જશે 5 વર્ષના બાળકનું આધારકાર્ડ, કરવું પડશે આટલું કામ 14 Nov 2023, 10:00 am

ભારત સરકાર બાલ આધાર કાર્ડ દ્વારા ઘરે બનાવેલા નવા જન્મેલા બાળકનું આધાર કાર્ડ મેળવવાની મફત સુવિધા પણ પૂરી પાડી રહી છે. UIDAI અનુસાર, 0 થી 5 વર્ષના બાળક માટે કોઈપણ આધાર કેન્દ્ર પર જવાની જરૂર નથી. આ કામ ઘરે બેસીને કરી શકાય છે.

નવા વર્ષના આરંભે CMએ અલગ-અલગ મંદિરોમાં કર્યા દર્શન, દિગ્ગજોએ નવા વર્ષની પાઠવી શુભેચ્છાઓ 14 Nov 2023, 9:16 am

નવા વર્ષના આરંભે મુખ્યમંત્રીએ અલગ-અલગ મંદિરોમાં કર્યા દર્શન, નવા વર્ષે નવી આશા અને સંકલ્પ સાથે સીએમએ આપી શુભેચ્છા.

બમણું ઉત્પાદન મેળવવા ચણાની આ જાતનું કરો વાવેતર, ફાયદો થશે 14 Nov 2023, 9:05 am

સૌરાષ્ટ્રમાં ખેડૂતો શિયાળુ પાકમાં ચણાનું વાવેતર કરી રહ્યાં છે. ચણાની યોગ્ય જાતની પસંદગી કરવામાં આવે તો વધુ ઉત્પાદન મેળવી શકાય છે. ઓછા પાણીને પાકતી ચણાની જાતની પસંદગી કરવી જોઇએ.

દુકાનમાં મળતા ખાદ્યતેલમાં કેટલી ભેળસેળ છે? માત્ર 5 મિનિટમાં પડી જશે ખબર, શીખી લો આ સરળ રીત 14 Nov 2023, 9:00 am

તહેવારોની સિઝનમાં મીઠાઈ બનાવવામાં વપરાતી દરેક સામગ્રીમાં ભેળસેળ થવા લાગી છે. ફૂડ વિભાગ તહેવારોની સીઝન દરમિયાન મીઠાઈની દુકાનો અને તેલ બનાવતી ફેક્ટરીઓની તપાસ કરે છે. જ્યાં મોટા ભાગના સ્થળોએ ભેળસેળ જોવા મળે છે.

દિવાળીની રજાઓમાં આ જગ્યા બની પહેલી પસંદ, દીવ-ગોવાને ભૂલી જશો, પ્રવાસીઓ ઉમટ્યાં 14 Nov 2023, 8:50 am

વલસાડને અડીને આવેલું નાનકડું સ્થળ હવે પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું, દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા, પ્રવાસીઓ પેરાસેલિંગ, સ્પીડ બોટ રાઇડ્સ, જેટ સ્કી રાઇડ્સ, બમ્પી રાઇડ્સ બનાના રાઇડ્સની માણી રહ્યા છે મજા.

કઠોળ અને સૂકા મેવા આ રીતે ખાવાથી હાથી જેટલી તાકાત આવે 14 Nov 2023, 8:35 am

લોકો વિવિધ કઠોળ અને સૂકા મેવા આરોગતા હોય છે. પરંતુ કઠોળ અને સૂકા મેવા પલાળીને ખાવાથી અનેક ફાયદા થાય છે. પલાળેલા કઠોળ અને સૂકા મેવા ખાવાથી અનેક રોગ સામે રક્ષણ મળે છે.

યુવાનોને રોજગારી પુરી પડતો ઉદ્યોગ મંદીની ઝપટમાં, શું બેકારી આવશે? 14 Nov 2023, 8:05 am

અમરેલી જિલ્લાનાં યુવાનો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. આ ઉદ્યોગમાં મંદી આવતા યુવાનો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

ભાઈ બીજ પર બહેનો ભાઈને આપો આવી નાનકડી ભેટ, તો આશીર્વાદમાં મળશે બમણી રીટર્ન ગિફ્ટ 14 Nov 2023, 8:00 am

Bhai Dooj: દિવાળીના બે દિવસ બાદ ભાઈ બીજનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓને ભોજન કરાવે છે અને ભેટ પણ આપે છે. જો તમે પણ તમારા ભાઈઓને ભેટ આપવા માંગતા હોવ તો જુઓ તસવીરો.

મહિલાઓ બની આત્મનિર્ભર, મોંઘવારીનો બોજ પોતાના ખંભે ઉઠાવી લીધો 14 Nov 2023, 7:35 am

બોટાદ જિલ્લામાં મહિલાઓ હીરા ઘસવાનું કામ કરી રહી છે અને સારી કમાણી કરે છે. મહિલાઓ હીરા ઘસવાનું કામ કરીને આત્મનિર્ભર બની છે. તેમજ ઘરનો ખર્ચ ઉઠાવી રહી છે.

અહીં રોજના 600 મીઠા પાનનુ વેચાણ, જાણો વ્યવસાયનુ રહસ્ય 14 Nov 2023, 7:05 am

ભાવનગર જિલ્લામાં પાનની અનેક દુકાન છે. પરંતુ ભાવનગરમાં આ દુકાને ફકત 10 રૂપિયામાં 3 મીઠા પાન મળે છે. મીઠા પાન ખાવાનું લોકો પસંદ કરી રહ્યાં છે. રોજના 600 પાનનું વેચાણ થાય છે.

DJના ઘોંઘાટમાં વિસરાયા શરણાઈના સૂર, છતા લોકો થયા મંત્રમુગ્ધ 14 Nov 2023, 6:35 am

ડીજેના સમયમાં પણ શરણાઇના સૂર લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. આધૂનિક યુગમાં શરણાઇ ભલે વિસરાય ગઇ હોય પરંતુ તેને સાંભળવાનું બધા પસંદ કરે છે. શરણાઇ વાદકો આજે પણ લોકોને ડોલાવી દે છે.

ખેડૂતો માટે ખુશખબર, દરેકના ખાતામાં આ તારીખ સુધીમાં 2000 રૂપિયા જમા થશે 14 Nov 2023, 3:00 am

બેસતા વર્ષનો દિવસ ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવ્યો છે. કારણ કે કેન્દ્ર સરકારે કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો બહાર પાડ્યો છે. ત્યારે 16માં હપ્તા માટે પણ રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.

ફટાકડાં ફોડવાની બાબતે 11 વ્યક્તિઓની દાદાગીરી, તોડફોડ કરી છરીના ઘા ઝીંક્યા 13 Nov 2023, 6:24 pm

રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંબેડકરનગરમાં મારામારી, રાયોટીંગ સહિતની ઘટના ઘટિત થઈ હોવાનું સામે આવ્યું છે.

ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરાયો 1398 વાનગીઓનો અન્નકૂટ 13 Nov 2023, 5:40 pm

નેશનલ હાઇવે નંબર - 48 પાસે આવેલા નવસારીના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે દિવાળીને લઈને ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાનને 1398 વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. 10 હજાર ભક્તોએ આ અન્નકૂટના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

વૃદ્ધો માટે સ્વર્ગસમાન વૃદ્ધાશ્રમ, અહીં વડીલોને મળે છે ફાઈવ સ્ટાર હોટલ જેવી સુવિધાઓ 13 Nov 2023, 5:33 pm

રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પાસે ઢોલરા ગામમાં આવેલું 'દિકરાનું ઘર' નામનું વૃદ્ધાશ્રમ કે, જે ફાઈવ સ્ટાર હોટલ જેવી સુવિધાઓ માટે જાણીતું છે. આ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો માટે હોસ્પિટલ સાથો સાથ ICUની સુવિધા, રહેવા જમવા માટે ઉત્તમ રૂમ અને હરવા ફરવા માટેની જગ્યા જેવી અનેક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ વૃદ્ધાશ્રમ દ્વારા દરેક વડીલના રૂમની બહાર એક નેમ પ્લેટ લગાવવામાં આવી છે, જેથી આ વડીલને તેમનું જ ઘર હોવાનો અનુભવ થાય છે.

અમદાવાદના સિંધુ ભવન રોડ પર નબીરાઓએ ફટાકડા ફોડી લોકોના જીવ જોખમમાં મૂક્યા 13 Nov 2023, 4:26 pm

અહીં ફટાકડા ફોડવાના કારણે અનેક લોકો પરેશાન થયા હતા અને તેના કારણે અહીંથી પસાર થતાં લોકો રસ્તો બદલ્યા હોવાના દ્રશ્ય સામે આવ્યા હતા. આ વીડિયો પણ ખૂબ વાયરલ થયા હતા.

મધે આપી મીઠી આવક, ગોંડલના ખેડૂતે કરી કરોડોની કમાણી 13 Nov 2023, 4:14 pm

રાજકોટના ગોંડલમાં રહેતા ખેડૂત બ્રિજેશ કાલરીયા છેલ્લા 8 વર્ષથી મધની ખેતી કરી રહ્યાં છે. બ્રિજેશભાઈ દ્વારા જ્યારે સૌથી પહેલી વખત મધનું હાર્વેસ્ટ કરવામાં આવ્યું હતું ત્યારે 18 કિલો મધનું ઉત્પાદન થયું હતું. આજે બ્રિજેશભાઈ 6 હજાર કિલો મધનું ઉત્પાદન મેળવી રહ્યાં છે. બ્રિજેશભાઈ મધની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે.

અમદાવાદ: મસાલા પાપડમાંથી નીકળ્યો જીવતો વંદો, ગ્રાહકે વીડિયો કર્યો વાયરલ 13 Nov 2023, 3:38 pm

પિઝા બાદ પાપડમાં નીકળ્યો વંદો, અમદાવાદની કબીર રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવી, મસાલા પાપડમાં વંદો નીકળતા ગ્રાહકોમાં રોષ, રેસ્ટોરન્ટમાં ગયેલ ગ્રાહકે વીડિયો વાયરલ કર્યો.

ધાર્યા કામ થશે પૂર્ણ, દેવાધિદેવ મહાદેવના આ ધામે નમાવો શીશ 13 Nov 2023, 3:31 pm

ભરૂચના વાલિયા- નેત્રંગ માર્ગ ઉપર કેદારેશ્વર ધામ આવેલું છે. આ મંદિર ખૂબ જ રમણીય વાતાવરણમાં નિર્માણ પામેલું છે. આ મંદિર ખાતે મોરારીબાપુના હસ્તે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. લોકમાન્યતા છે કે, આ મંદિરે દર્શન કરવાથી મનોકામના અને ધાર્યું કામ પૂર્ણ થાય છે.

અમદાવાદ: દિવાળીની રાત્રે વસ્ત્રાલમાં ખૂની હોળી રમાઇ, પિતા-પુત્રની ઘાતકી હત્યા 13 Nov 2023, 3:21 pm

જૂની અદાવતને ધ્યાનમાં રાખીને ચાર શખ્સોએ પિતા-પુત્ર સહિત ત્રણ લોકો પર હુમલો કર્યો હતો, જેમાં બેના મોત થયા છે. જ્યારે એક યુવક સારવાર હેઠળ છે.

BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને 1200 વાનગીઓનો અન્નકૂટ અર્પણ 13 Nov 2023, 2:40 pm

દિવાળી પર્વને લઈ અટલાદરા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં 1200 જેટલી વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરીને ભગવાન સ્વામિનારાયણને અન્નકૂટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી.

દિવાળીમાં આગ અકસ્માતના બનાવોમાં 500 ટકાનો વધારો, 108ની કેવી છે તૈયારી? 13 Nov 2023, 2:26 pm

આ વખતે દિવાળીમાં ઈમરજન્સી કેસ 4 હજાર આસપાસ રહ્યાં છે તેમાં પણ આગથી દાઝી જવાના કેસમાં 500 ટકા જ્યારે માર્ગ અકસ્માતની ઘટનાઓમાં 60 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે.

શિયાળામાં સ્ટાઈલિશ બનીને રહો, આ બજારમાંથી ખરીદો સસ્તા શિયાળુ કપડાં 13 Nov 2023, 2:14 pm

શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે, આ સમયે શરીરને ઢાંકીને રાખવું ખૂબ જ જરૂરી છે. શિયાળા માટે અમુક પ્રકારના કપડાં હોવા જરૂરી છે. જેમાં જેકેટ, શાલ અને સ્વેટર વગેરેનો સમાવેશ થાય છે. અમે આપના માટે એક એવું સરનામું લઈને આવ્યા છે, જ્યાં શિયાળુ કપડાં સસ્તા ભાવે મળી જશે.

રાજકોટ: ફટાકડા ફોડવા બાબતે થયેલા ડખ્ખામાં સરાજાહેર 3 વ્યક્તિઓએ કરી યુવાનની હત્યા 13 Nov 2023, 2:08 pm

રાજકોટ: ફટાકડા ફોડવા બાબતે પિતરાઈ ભાઈઓને થયેલ ડખ્ખામાં સમજાવવા જતા સાગર ગઢવીને મળ્યું મોત, સરાજાહેર 3 વ્યક્તિઓએ કરી હત્યા 

પશુપાલકો માટે ખુશખબર,આ આધુનિક મશીન એક કલાકમાં 40 પશુ દોહી આપે છે 13 Nov 2023, 1:38 pm

ખેરાલુ તાલુકાના પશુપાલક અશોકભાઈ દેસાઈ પશુપાલનનો વ્યવસાય કરે છે. તેઓ પાસે 100થી વધુ પશુઓ છે. તેઓ મોર્ડન ટેક્નોલોજીથી સજ્જ દૂધ દોહવાના મશીનનો ઉપયોગ કરી સયમ અને પૈસાની બચત કરે છે.મશીનની મદદથી 1 કલાકમાં 35 થી 40 ગાયોનું દૂધ કાઢે છે.

રાજકોટના BAPS મંદિરમાં અભૂતપૂર્વ રીતે રજત જયંતિ મહોત્સવની ઉજવણી 13 Nov 2023, 1:21 pm

હિંદુ ધર્મ પરંપરા અનુસાર દિવાળી બાદ નૂતન વર્ષના પ્રારંભે ઠાકોરજી સમક્ષ વિવિધ વાનગીઓનો અન્નકૂટ રચવામાં આવે છે. ત્યારે રાજકોટના BAPS સ્વામિનારાયણ મંદિરે 3 હજાર જેટલી વાનગીઓ ભગવાનને ધરાવવામાં આવી છે.

સોશિયલ મીડિયાની તાકાત, એક જ પોસ્ટથી સુધરી અનેક નિરાધારોની દિવાળી 13 Nov 2023, 1:09 pm

સોશિયલ મીડિયા ખૂબ જ તાકાત ધરાવે છે, સોશિયલ મીડિયાની એક પોસ્ટ ક્રાંતિ સર્જવા પણ સક્ષમ છે. નવસારીના ઋત્વિક પાંડે અને તેના મિત્રોએ સોશિયલ મીડિયાનો અદ્ભુત ઉપયોગ કર્યો હતો અને વિધવા બહેનો, એકલવાયું જીવન જીવતા વૃદ્ધો અને અનાથ બાળકોની દિવાળી સુધારી નાખી હતી.

લગ્નની સીઝનમાં પાડી દો વટ, સસ્તા ભાવમાં ડિઝાઈનર બ્લાઉઝ ખરીદવા અહીં પહોંચી જાઓ 13 Nov 2023, 12:41 pm

દિવાળી બાદ લગ્નની સિઝન શરૂ થઇ રહી છે. લગ્ન પહેલા લોકો કપડાં ખરીદતા હોય છે ત્યારે લગ્નમાં મહિલાઓ પરંપરાગત પોષાક એવી સાડી પહેરવાનું પસંદ કરે છે. જો તમે કોઈના લગ્ન પર પહેરવા માટે સસ્તા ડિઝાઈનર બ્લાઉઝ ખરીદવા માંગો છો. તો અમે તમારા માટે એનું સરનામું લઈને આવ્યા છીએ.

રાજકોટ: રેડ લાઈટ એરિયામાં પોલીસે ઉજવી દિવાળી, રૂપજીવિનીઓના આંસુઓ સરી પડ્યા 13 Nov 2023, 12:41 pm

રાજકોટ: દિવાળીની રાત્રે રેડ લાઈટ એરિયામાં પહોંચી પોલીસ, રૂપ અંધારામાં રહેતી રૂપ જીવનીઓના આંગણે પાથર્યો ઉજાશ

દહીં ખાવાનો યોગ્ય સમય જાણો, અનેક ફાયદા થશે 13 Nov 2023, 12:33 pm

દહીં કયારે ખાવું જોઇએ? તેવા અનેક સવાલ છે. અનેક લોકો રાત્રીના દહીં ખાવાનું ટાળતા હોય છે. દહીં ન ખાવું કેટલું યોગ્ય છે? દહીં ખાવાનો યોગ્ય સમય કયારે છે? વગેરે સવાલ ઉભા થયા છે.

લોકસેવાને વરેલા આ વૈદ્યરાજને સલામ, જરૂરિયાતમંદોને આપે છે મફત સારવાર 13 Nov 2023, 12:22 pm

મહાદેવીયા ગામે રહેતા કાંતિભાઈ શામળભાઈ માળી નામના વૈદ્યે 300થી વધુ આયુર્વેદિક વૃક્ષોનું વાવેતર કર્યું છે. આ વૈદ્ય લોકસેવાને વરેલા છે. તેઓ ગરીબ, સાધુ-સંત, અપંગ લોકોને વિનામૂલ્યે દવા આપે છે. કોરોના અને લમ્પીના કહેર વખતે આ વૈદ્યરાજે અનોખી સેવા કરી હતી.

આ આર્ટિસ્ટની કળાને જોઈને તમે કરશો સલામ, ચોકમાંથી બનાવે છે અફલાતૂન કૃતિઓ 13 Nov 2023, 11:55 am

આજના સમયમાં મોટાભાગના યુવાનો મોબાઇલ પાછળ સમય વ્યતીત કરતા હોય છે . ત્યારે પોરબંદરના જીશાન પઠાણ નામના યુવાને બ્લેક બોર્ડ પર લખવામાં જેનો ઉપયોગ થાય છે તે ચોકમાંથી વિવિધ કૃતિઓ બનાવી છે. આ ચોક આર્ટસ્ટીની કલાને સૌકોઈ બિરદાવી રહ્યા છે.

છેલ્લા 30 વર્ષથી મહેસાણાની બહેનો પહેરે છે બંગાળી સાડી, અહીં મળે છે સાડીઓ 13 Nov 2023, 11:51 am

મહેસાણામાં રહેતા 150થી વધુ બંગાળી પરિવારો સાડીઓનો વેપાર કરે છે. તેઓ છેલ્લા 30 વર્ષથી બંગાળની ફેમસ સાડીઓ લાવી ગુજરાતમાં વેચાણ કરે છે.

અમદાવાદના સિંઘુભવન રોડ પર અકસ્માત સર્જનાર નબીરાએ શું કહ્યું? 13 Nov 2023, 11:23 am

અમદાવાદ સિંધુભવન અકસ્માત: પોલીસ ફરિયાદ બાદ આ નબીરાએ પોતાનો લૂલો બચાવ પણ કર્યો હતો. નબીરાએ કહ્યું કે, કારની સ્પીડ 80 કરતા વધુ નહોતી. તેણે કહ્યું કે, એમનું ટર્ન મારવું અને મારુ નીકળવું સાથે થયું. તેમણે અચાનક બ્રેક મારી હતી.

'અમને લાગ્યું કે અમે ચારેય ગયા, મર્સિડીઝ ગાડીની સ્પીડ 150થી 200ની હતી' 13 Nov 2023, 11:08 am

આ અકસ્માત અંગે ભાવેશ ચોકસીએ જણાવ્યું કે, હું ફેમિલી સાથે રાત્રે 3 વાગ્યે સિંધુભવન રોડ પર ફરવા નીકળ્યો હતો. ત્યારે પાછળથી રેસિંગ કરતી મર્સિડીઝ ગાડી અને બીજી બે ગાડી 150થી 200ની સ્પીડે જતી હતી. હું થર્ડ લેનમાં હતો. થર્ડ લેનમાં ડાબી બાજુથી મારી ગાડીને ટક્કર મારી હતી. ગાડી ટકરાઇ ત્યારે મને એવું લાગ્યું કે મારો જીવ જતો જ રહેશે.

એશિયન પેરા ગેમ્સમાં ભારતની બોલબાલા, આ ખેલાડીએ ચેસમાં જીત્યા 2 ગોલ્ડ 13 Nov 2023, 10:21 am

વડોદરાના દિવ્યાંગ દર્પણે ચેસની સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બન્યો છે.ચીનમાં યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં બે ગોલ્ડ જીતી પોતાના પરિવારનું અને દેશનું નામ રોશન કર્યું છે.

અમદાવાદ: સિંધુભવન રોડ પર અકસ્માત સર્જનાર રિશીત પટેલ કોણ? ઠાઠ તો જુઓ 13 Nov 2023, 9:53 am

અમદાવાદમાં ફરી બેફામ બનેલા નબીરાએ અકસ્માત સર્જી અનેક લોકોના જીવ મૂક્યા જોખમમાં, બે કાર વચ્ચેની રેસમાં સર્જાયો અક્સમાત, અકસ્માત સર્જનાર નબીરો કોણ?

આ દિવ્યાંગ ખેલાડીએ વિદેશી ધરતી પર ભારતનો પરચમ લહેરાવ્યો, જુઓ Video 13 Nov 2023, 9:38 am

હાલમાં જ વિદેશમાં યોજાયેલી ચોથી એશિયન પેરાગેમ્સમાં ભારતના ખેલાડીએ મેડલ જીત્યાય છે. એશિયન પેરાગેમ્સમાં દિવ્યાંગ ખેલાડી અશ્વિન મકવાણાએ ચેસ સ્પર્ધામાં બે મેડલ પોતોના નામે કર્યા છે.

દિવાળી પહેલા કપાસની આટલી થઇ આવક, ખેડૂતોને સારા ભાવ મળ્યાં 13 Nov 2023, 9:30 am

દિવાળી પહેલા સૌરાષ્ટ્રના યાર્ડમાં કપાસની સારી આવક થઇ હતી. તેમજ ખેડૂતોને સારા ભાવ મળ્યાં હતા. દિવાળી પહેલાના સપ્તાહમાં 1.50 લાખ મણ કપાસની આવક થઇ હતી. ભાવમાં સામાન્ય ધટાડો થયો હતો.

અમદાવાદ: સિંધુભવન રોડ પર રેસ લગાડવાની લ્હાયમાં મર્સિડીઝ કારે સર્જ્યો ગંભીર અકસ્માત 13 Nov 2023, 9:17 am

અમદાવાદમાં દિવાળીનાં દિવસે નબીરાઓ બેફામ, સિંધુભવન રોડ પર નબીરાએ સર્જયો અકસ્માત, મર્સિડીઝ અને ઓડી કારચાલકે રેસિંગ કર્યું હતું, રેસ લગાડવાની લ્હાયમાં મર્સિડીઝ કારે બે વાહનોને અડફેટે લીધા

હવામાન અંગેની માહિતી અને શિયાળુ પાક લેતા ખેડૂતોને પરેશ ગોસ્વામીની મહત્વની સલાહ 13 Nov 2023, 9:07 am

Paresh Goswami Advice for Winter Crops: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી સમયમાં હવામાન કેવું રહી શકે છે તે અંગે વાત કરીને ખેડૂત ભાઈઓ કે જેઓ ચણા, ઘઉં, લસણ, ઘાણા, જીરુ વગેરેનું વાવેતર કરવા માગે છે તેમને મહત્વની સલાહ આપી છે. તેમણે વાવેતરમાં કઈ બાબતનું ધ્યાન રાખવું અને છોડના મૂળિયા મજબૂત બનાવવા માટે કઈ ટેક્નિક વાપરવી જોઈએ તે અંગે સલાહ આપી છે. પરેશ ગોસ્વામીએ તાપમાનની પાક પર કેવી અસર થઈ શકે છે અને બિયારણ વાવતી વખતે શું ધ્યાન રાખવાનું છે તે અંગે પણ વાત કરી છે.

ગીર ગાયના એમ્બ્રીયો પ્રત્યાર્પણમાં સફળતા, વાછરડી જન્મી 13 Nov 2023, 9:00 am

ગીર ગાયની ઓલાદના અંડ બીજ અને આ જ ઓલાદના આખલાના વીર્ય દ્વારા પહેલી વાર એમ્બ્રીયો અમર ડેરીની લેબમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો હતો. દેશી ગીર ગાયમાં આઈ.વી.એફ.થી વાછરડીના જન્મનો આ પ્રથમ સ્થાનિક કિસ્સો છે.

ભાવનગરના ગાંઠિયા જ નહીં, આ ફૂડ પણ છે પ્રખ્યાત, વિદેશમાં માંગ 13 Nov 2023, 8:30 am

ભાવનગરમાં આજથી 100 વર્ષ પહેલા કળીનો વ્યવસાય શરૂ થયો હતો. રતિભાઇએ આ વ્યવસાય શરૂ કર્યો હતો. આજે પણ આ કળી પ્રખ્યાત છે. માત્ર દેશ નહીં વિદેશમાં પણ પ્રખ્યાત છે.

52 વર્ષના રેખાબેન કરે છે ગાય આધારિત ખેતી, આટલી કમાણી 13 Nov 2023, 8:05 am

બોટાદ જિલ્લામાં અનેક ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. ત્યારે ચાર ધોરણ ભણેલા રેખાબેન વિરાણી ગાય આધરિત ખેતી કરી રહ્યાં છે અને સારી કમાણી કરી રહ્યાં છે. છેલ્લા 20 વર્ષથી ગાય આધારિત ખેતી કરે છે.

દિવાળીની રાત્રે અમદાવાદ સહિત રાજ્યમાં ઘણી જગ્યાએ લાગી વિકરાળ આગ 13 Nov 2023, 7:55 am

ગત રાત્રે રાજ્યમાં ઘણી જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ બની હતી, અમદાવાદ, રાજકોટ, સુરત, દ્વારકા સહિત અનેક જગ્યાએ ભીષણ આગ લાગી હોવાની ઘટનાઓ બની હતી.

50 વર્ષના ખેડૂતે સીતાફળની ખેતીમાં મેળવી સફળતા, આવક વધી 13 Nov 2023, 7:30 am

ભાવનગર જિલ્લાનાં ખેડૂત કેશુભાઇ કાત્રોડિયા બાગાયતી પાકની ખેતી કરી રહ્યાં છે. કેશુભાઇએ ત્રણ વીઘામાં સીતાફળનું વાવેતર કર્યું છે અને સારું ઉત્પાદન મેળવી રહ્યાં છે. તેમજ સારી આવક થઇ રહી છે.

ખેડૂત 50 હજાર લિટર જીવામૃત આવી રીતે બનાવે, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન   13 Nov 2023, 7:00 am

બોટાદ જિલ્લામાં અનેક ખેડૂત ગાય આધારિત ખેતી કરી રહ્યાં છે. ગઢડાનાં પ્રગતિશીલ ખેડૂત યોગેશભાઇ ડવે જીવામૃત બનાવવા માટે 50 હજાર લિટરનો ટાકો બનાવ્યો છે. યોગેશભાઇ છ વર્ષથી ગાય આધારિત ખેતી કરી રહ્યાં છે.

સરકારી કોલેજના પ્રોફેસરો માટે આંદોલન વાળી દિવાળી, અનોખું વિરોધ પ્રદર્શન  12 Nov 2023, 9:31 pm

છેલ્લા ઘણા દિવસોથી પડતર પ્રશ્નો માટે આંદોલન કરી રહેલા અધ્યાપકોએ અનોખું આંદોલન સોશિયલ મીડિયામાં ચલાવ્યું છે. પડતર પ્રશ્નોની રંગોળી કરી અધ્યાપકોએ આંદોલનને વેગ આપ્યો છે.

અમદાવાદમાં હિટ એન્ડ રન: ફટાકડા લઈને ઘરે જતાં પિતા-પુત્રને કારે અડફેટે લીધા, પિતાનું મોત 12 Nov 2023, 7:46 pm

અમદાવાદમાં હિટ એન્ડ રન: પૂર ઝડપે આવેલી કારે પિતા-પુત્રને ટક્કર મારી, ગંભીર રીતે ઈજાગ્રસ્ત પિતાનું મોત, 7 વર્ષના પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

દાહોદના વનવૈભવની સાથે પ્રવાસીઓને આકર્ષે આદિવાસીઓનું વિશિષ્ટ વ્યંજન 'દાલપાનિયું' 12 Nov 2023, 7:03 pm

દાલપાનિયુ એ દાહોદના આદિવાસીઓની સંસ્કૃતિ સાથે જોડાયેલું વિશિષ્ટ વ્યંજન છે, વારતહેવારે ખાસ બને છે, વન પરિભ્રમણ માટે નળધા કેમ્પ સાઇટ ખાતે આવતા પ્રવાસીઓ પ્રકૃત્તિના ખોળે બેસી દાલપાનિયાને ભરપેટ આરોગે છે

દાહોદ: ભંગારના ગોડાઉનમાં લાગી આગ, ઘટનાને પગલે મચી નાશભાગ 12 Nov 2023, 6:39 pm

ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો, આગ પર કાબુ મેળવાતા સ્થાનિક લોકોએ હાશકારો લીધો 

જૂનાગઢ: દિવાળીના દિવસે અનોખું પૂજન, પત્નીની આરતી ઉતારી પતિ મેળવે છે આશીર્વાદ 12 Nov 2023, 6:22 pm

દિવાળીના તહેવારમાં જૂનાગઢનો કોટેચા પરિવાર અનોખું પૂજન કરે છે. આ ઘરમાં પતિ તેમની પત્નીની આરતી ઉતારી તેમના આશીર્વાદ મેળવે છે. વર્ષોથી કોટેચા પરિવારમાં દિવાળીની અનોખી ઉજવણી કરવામાં આવે છે.

પાકિસ્તાની જેલમાંથી 80 માછીમારોને મુક્ત કરાયા, વાઘા બોર્ડરથી ટ્રેનમાં વડોદરા પહોંચ્યા 12 Nov 2023, 5:28 pm

મત્સ્ય વિભાગ દ્વારા માછીમારોને વડોદરાથી બે એસી બસ દ્વારા વેરાવળ ખાતે લઈ જવામાં આવ્યા, માછીમારો પોતાના પરિવારો સાથે દિવાળીની ઉજવણી કરી શકશે

SOUના વિવિધ એજન્સીના કર્મીઓએ તેમના પ્રશ્નોને લઈને આપેલ હડતાલનું એલાન પાછું ખેંચ્યું 12 Nov 2023, 4:57 pm

SOU ઓથોરિટી, શ્રમ વિભાગ અને કર્મચારીઓ વચ્ચે ફળદાયી બેઠક બાદ જાહેરહિતમાં નિર્ણય, કર્મચારીઓના પ્રશ્નો પર સર્વગ્રાહી ચર્ચા બાદ આગામી દિવસોમાં પ્રશ્નો ઉકેલવા તંત્રની હૈયાધારણા

હવેથી દીવમાં મધદરિયે માણી શકશો લંચ-ડિનરની મજા, જુઓ નવું નજરાણું 12 Nov 2023, 4:22 pm

Diu Floating Restaurant: આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં નોનવેજ પર પ્રતિબંધ છે. એટલું જ નહીં, આગામી દિવસોમાં વાઈનશોપ પણ શરૂ થાય તેવી આશા ફ્લોટિંગ રેસ્ટોરન્ટના માલિક વ્યક્ત રહ્યા છે.

ગૃહ રાજ્ય મંત્રીનો માનવતાભર્યો અભિગમ, 71 કેદીઓ પરિવાર સાથે ઉજવશે દિવાળી 12 Nov 2023, 3:12 pm

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે જેલના કેદીઓની જેલ મુક્તિ અંગેની નીતિમાં સુધારો કરીને સંવેદનશીલતા સાથે માનવતાભર્યો અભિગમ દાખવ્યો છે.

કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશની મોટી જાહેરાત, જાણો શું કહ્યું... 12 Nov 2023, 1:02 pm

Surat Railway Station Incident: સુરત રેલ્વે સ્ટેશન ઉપર ગતરોજ તાપ્તિ ગંગા ટ્રેનમાં ચઢતી વેળાએ મુસાફરો વચ્ચે સર્જાયેલી અવ્યવસ્થાના કારણે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

અંબાલાલ પટેલની આગાહી: બંગાળના ઉપસાગરમાં આજથી જોવા મળશે ભારે હલચલ 12 Nov 2023, 8:57 am

Ambalal Patel forecast: બંગાળાના ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ. ઠંડી અંગે તેમણે જણાવતા કહ્યુ કે, શિયાળામાં એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા જશે.

દિવાળી પર રાજ્યનું હવામાન કેવું રહેશે? જાણો હવામાન વિભાગની આગાહી 12 Nov 2023, 7:30 am

Gujarat weather update: અમદાવાદ હવામાન વિભાગની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે, આગામી પાંચ દિવસોમાં રાજ્યમાં વરસાદની કોઇ આગાહી નથી. આખા રાજ્યમાં વાતાવરણ ચોખ્ખું રહેશે. આ સાથે તેમણે તાપમાનનો પારો ગગડવાની પણ વાત કરી છે.

લો બોલો! ધનતેરસની પૂજા કરી મંદિર પાસે રાખેલા થાળમાંથી દાગીનાની ચોરી 11 Nov 2023, 11:03 pm

સામાન્ય રીતે દિવાળીના વેકેશન દરમિયાન તસ્કરો બંધ મકાનનો લાભ ઉઠાવતા હોય છે. જો કે આ પ્રકારના બનાવો બનતા અટકે તે માટે પોલીસ દ્વારા અગાઉથી જ સોસાયટીના ચેરમેન, સ્થાનિક રહેવાસીઓ સાથે મિટિંગ કરીને જ્યારે તેઓ મકાન બંધ કરીને બહારગામ જઇ રહ્યાં છે ત્યારે કઇ કઇ બાબતોનું દ્યાન રાખવું જોઇએ તે અંગેના સુચનો આપે છે.

દિવાળી સુધારવા 5 જણે બનાવ્યો આવો પ્લાન, હવે જેલમાં ઉજવશે! 11 Nov 2023, 10:35 pm

બોપલમાં કુરિયર બોય તરીકેની ઓળખ આપી લૂંટ ચલાવનાર 5 આરોપીઓની ગ્રામ્ય એલસીબીએ ધરપકડ કરી છે.

આઈ.વી.એફ.થી ગીર ગાયની પહેલી વાછરડી અમરેલીની ધરતી પર જન્મી 11 Nov 2023, 9:28 pm

અમરેલીની અમર ડેરીના ગીર ગાયના સંવર્ધન માટે તૈયાર કરવામાં આવેલા સેન્ટર ઓફ એક્સેલન્સ હેઠળ ગીર ગાયના એમ્બ્રીયોથી આઈ.વી.એફ. ટેકનોલોજી દ્વારા જન્મેલી પ્રથમ વાછરડીના કેન્દ્રીય પશુપાલન ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રી પરશોત્તમ રૂપાલાએ દિવાળીની પૂર્વ સંધ્યાએ અમરેલી મુકામે વધામણા કર્યા હતા.

દુબઈથી દાણચોરીમાં લાવેલું લાખોનું સોનુ રસ્તામાં જ લૂંટાયું, જાણો કેવી રીતે 11 Nov 2023, 8:44 pm

દાનિશ અને તેને લેવા આવેલા બે લોકો જ્યારે કારમાં એરપોર્ટથી બહાર નીકળ્યા ત્યારે અન્ય બે લોકોએ તેની ગાડી રોકી અને એટીએસના અધિકારી બતાવી તેમની કારમાં બેસી ગયા હતા. ત્યારબાદ કારને નારોલ સર્કલ સુધી લઈ ગયા હતા.

મેડિકલ રિપોર્ટનું ચોંકાવનારું તારણ, બાળકોમાં દવાની અસર 50% ઘટી! 11 Nov 2023, 7:54 pm

બાળકોમાં ન્યૂમોનિયા, સેપ્સિસ અને મેનેન્જાઇટિસ એટલે કે મગજનો તાવ જેવા સામાન્ય ચેપ માટે આપવામાં આવતી ઘણી એન્ટિબાયોટિક્સ દવાઓ હાલ 50 ટકાથી પણ ઓછી અસરકારક રહી છે.

ધાબળાં-સ્વેટરો તૈયાર રાખજો, હવામાન વિભાગની હાડ થીજાવતી આગાહી 11 Nov 2023, 6:59 pm

Gujarat Cold Increses: રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી દુનિયામાં સમગ્ર રાજ્યમાં કેવું વાતાવરણ રહેશે તે જણાવ્યુંછે.

નાની ઉંમરમાં મોટું કામ, આ ભાઈએ કર્યું છે 45 હજાર સાપોનું રેસ્ક્યુ 11 Nov 2023, 6:05 pm

ડીસામાં રહેતા મોક્ષ માળી વિવિધ પ્રજાતિના સાપ વિશે અનોખી સમજ ધરાવે છે. તેઓ 19 વર્ષથી સાપનું રેસ્ક્યુ કરી રહ્યા છે. તેઓ સદ્ભાવના ફાઉન્ડેશન સાથે જોડાઈને હાલ સાપનું રેસ્ક્યુ કરી રહ્યા છે. તેઓએ અત્યાર સુધી 45 હજાર સાપનું રેસ્ક્યુ કર્યું છે. 

આ 3 બહેનોએ સુધારી ગરીબ બાળકોની દિવાળી 11 Nov 2023, 4:57 pm

દિવાળીના પર્વે દાનનો અનેરો મહિમા રહેલો છે. રાજકોટમાં રસ્તા પર રહેતા ગરીબ બાળકોમાં આ દાનના મહિમાને અનુરુપ કપડાં અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું છે. આ દાન ત્રણ બહેનો દ્વારા કરવામાં આવ્યું છે.

આ વર્ષે ચીકુએ આપી રાહત, અમલસાડ APMCમાં જંગી આવક, ભાવ પણ સારા 11 Nov 2023, 4:56 pm

આ વખતે ચીકુના પાકને યોગ્ય વાતાવરણ મળતા ચીકુનું ખૂબ જ સારૂં ઉત્પાદન થઈ રહ્યું છે. અમલસાડ APMCમાં ચીકુની મબલખ આવક નોંધાઈ રહી છે. ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે. અમલસાડી ચીકુ સમગ્ર ભારતમાં વખણાય છે. આ ચીકુનો અન્ય રાજ્યોમાં પણ નિકાસ કરવામાં આવી રહ્યો છે.

પરણિતાનું ગળું દબાવી પતિએ માર્યો માર, કહ્યું - 30 લાખનું દેવું ભરવા બાપની મિલકત વેચી આવ 11 Nov 2023, 4:44 pm

લગ્ન બાદ ટૂંકા ગાળામાં જ પતિ જીતુ સિંધવ દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જેના કારણે પરિણીતા અવારનવાર પિયરમાં રીસામણે પણ આવતી હતી.

દિવાળીમાં પણ અવિરતપણે ચાલશે મેડિકલ સેવા 11 Nov 2023, 4:43 pm

સામાન્ય દિવસો કરતા દિવાળી પર્વને લીધે ઇમરજન્સીના કેસોમાં વધારો થતો જોવા મળે છે. ત્યારે રાજકોટમાં આગામી 5 દિવસ સુધી જ્યારે બધા લોકો રજાઓ માણતા હશે ત્યારે ઇમરજન્સી સેવા દરરોજ કરતા વધુ ડ્યુટી નિભાવશે. સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ સહિતનો સ્ટાફ 24*7 ડ્યુટી ભજવશે અને દર્દીઓની સેવા કરશે.

દિવાળીમાં દેખાવું છે બધાં કરતાં ખાસ? બસ અપનાવો આ ટિપ્સ 11 Nov 2023, 4:29 pm

લગ્ન હોય ત્યારે લોકો સ્પેશિયલ શોપિંગ કરતાં હોય છે. અવનવાં ડિઝાઈનના કપડાં ચપ્પલ જૂતાની ખરીદી કરી રહ્યા હોય છે. હાલ તો દિવાળી અને લગ્ન માટે લોકો પાર્લરમાં બુકિંગ પણ કરાવી રહ્યા છે. ત્યારે ફેમિલીમાં મેચિગં ટ્રેન્ડ માટે હાલ લોકો ડેડિકેટેડ લુક પ્રિફર કરતાં હોય છે. જેમાં વધારે વેસ્ટર્ન ન હોય અને ટ્રેડિશનલ પણ ન હોય.. એવામાં લોકો સૌથી વધારે જે ડિઝાઈન પસંદ કરે છે તેમાં હાલ પ્રિન્ટેડ વેલવેટની વધારે પસંદગી કરે છે.  

સિંહ અને દીપડાનો સામસામે થઇ ગયો ભેટો, પછી જોયા જેવી થઇ 11 Nov 2023, 4:20 pm

ગિરનાર સફારીમાં સિંહ અને દીપડાનો ભેટો થઇ ગયો હતો. બાદ દીપડો ઝાડ પર ચઢી ગયો હતો. સિંહે ઝાડ નીચે દીપડાની રાહ જોઇ હતી. પરંતુ દીપડો નીચે ન આવતા સિંહ અંતે થાકીને જંગલમાં જતો રહ્યો હતો.

તહેવારોમાં સાયબર ક્રાઇમમાં વધારો, આટલી સાવધાની રાખવી 11 Nov 2023, 4:10 pm

રાજયભરમાં સાયબર ક્રાઇમમાં વધારો થયો છે. ખાસ કરીને તહેવારોનાં દિવસોમાં આવી ઘટનાઓ વધુ બનતી હોય છે. ત્યારે સાયબર ક્રાઇમથી બચવા સાવધાન રહેવું જરૂરી છે.

હાર્ટ એટેકના કેસ વધતા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, શિક્ષકોને તાલીમ આપશે 11 Nov 2023, 4:01 pm

પ્રાથમિક તબક્કે પોણા બે લાખ જેટલા શિક્ષકોની મેગા કેમ્પમાં તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના વધી રહેલા બનાવના પરિણામે મૃત્યુનું પ્રમાણ પણ ઊંચું રહ્યું છે.

અમદાવાદ શહેરના ધબકતા રસ્તાઓ દિવાળીમાં થયા સૂમસામ, કર્ફ્યુ જેવો માહોલ 11 Nov 2023, 3:50 pm

દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. હાલ દિવાળીની રજાઓ પડતા શહેરના રસ્તા સૂમસામ થયા છે. 24 કલાક ટ્રાફિકથી ધમધમતા રસ્તાઓ પર કર્ફ્યું જેવો માહોલ.

સતત એક કલાક થઈ આતશબાજી, નાના-મોટા સૌ કોઈએ માણ્યો ઝગમગતા આકાશનો નજારો 11 Nov 2023, 3:10 pm

દિવાળીના તહેવાર પૂર્વે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતશબાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે અવનવા ફટાકડાની ધૂમધામ જોવા મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનિય છે કે, છેલ્લા 40 વર્ષથી રાજકોટ મનપા દ્વારા જાહેર જનતા માટે ધનતેરસના દિવસે આતશબાજીનું આયોજન કરવામાં આવે છે.

સાળંગપુર હનુમાનજી મંદિરે કાળી ચૌદશ નિમિતે મારૂતિ યજ્ઞ યોજાયો 11 Nov 2023, 3:04 pm

આ મહારાત્રી માં દેવી સપ્તી વાળા લોકો હાજર રહે છે. જે અધ્યાત્મિક સાધના ,મત્ર જાપ,યજ્ઞ. હવન પૂજન કરી અને અન્ત ફળ પાર્પ્ત થાય તેવી આશા રાખે છે. 

શનિદેવની કૃપા મેળવવા આ મંદિરે પધારો, મળશે સાડાસાતીથી મુક્તિ 11 Nov 2023, 2:21 pm

અડાલજની વાવથી માત્ર 2.8 કિલોમીટર દૂર અને ત્રિ-મંદિરની એકદમ નજીક આવેલું શનિદેવ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. આ મંદિર દર્શનિય અને રમણીય છે, શનિવારે આ મંદિર ખાતે લોકોની ભીડ જોવા મળતી હોય છે. લોકો સાડાસાતીમાંથી મુક્તિ મેળવવા આ મંદિર ખાતે આવતા હોય છે.

અમદાવાદ: બેફામ બન્યો ટ્રક ચાલક, અઢી વર્ષની બાળકીને કચડતા મોત 11 Nov 2023, 2:10 pm

કાંકરિયા રેલવે યાર્ડ નજીક એક ટ્રક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાળકીનું કરૂણ મોત થયું હતું. અકસ્માત એટલું ભયાનક હતું કે, અઢી વર્ષની બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

હવે શિયાળાની કડકડતી ઠંડીમાં પણ મળશે કેસર કેરીનો સ્વાદ, જાણો કેવી રીતે 11 Nov 2023, 1:50 pm

કેરી ફળોનો રાજા ગણાય છે. કેસર કેરીનો સ્વાદ આમતો ઉનાળાના સમયમાં મળે છે પરંતુ શિયાળાના પ્રારંભે આંબામાં કેરી આવતા થોડું આશ્ચર્ય થાય પણ હા આ સાચી વાત છે કે, પોરબંદર જિલ્લાના આદિત્યાણા ગામે એક ખેડૂતના બગીચામાં કેરી આવી છે.  કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો.

અહીં દીકરીના જન્મની આવી રીતે થઇ ઉજવણી, ધનતેરસના લક્ષ્મીજીનુ આગમન 11 Nov 2023, 1:47 pm

જૂનાગઢમાં ધનતેરસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ધનતેરસનાં દિવસે જન્મ લેનાર દીકરીઓને આવકારવામાં આવી હતી. દીકરીઓનાં વાલીઓને કિટ આપવામાં આવી હતી.

અહીં બ્રાન્ડેડ કપડાં મળે સસ્તા ભાવે, લગ્ન પહેલા ખરીદી કરો 11 Nov 2023, 1:40 pm

અનેક કંપનીઓ કપડાં બનાવે છે અને વેચાણ કરે છે. બ્રાન્ડેડ કપડાં ખૂબ જ મોંઘા હોય છે. પરંતુ ભાવનગરમાં બ્રાન્ડેડ કપડાં સસ્તા ભાવે મળે છે. સામાન્ય લોકો પણ આરામથી કપડાં ખરીદી શકે છે.

જેલ વિભાગના કર્મચારીઓને મળી દિવાળી ભેટ, વિવિધ ભથ્થામાં કરાયો વધારો 11 Nov 2023, 1:35 pm

જેલ સિપાઈ હવાલદાર સુબેદારને મળતા 25 રૂપિયાના વોશિંગ એલાઉન્સમાં વધારો કરીને 500 રૂપિયા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ યુવાનના કામને તમે પણ કરશો સલામ, CMએ આપ્યું 1 લાખનું ઇનામ 11 Nov 2023, 12:31 pm

જામનગરના 21 વર્ષીય હેનીલ વિસરિયાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પુરસ્કાર એનાયત કરતા હાલારનું ગૌરવ વધાર્યું છે. હેનીલ છેલ્લા 3 વર્ષથી યુવા જાગરણ નામની સંસ્થા સાથે જોડાયેલા છે જે યુવાનો માટે કામ કરે છે. યુવાનોના વિકાસમાં કોઈ પણ પ્રકારની અડચણ આવતી હોય તેના માટે આ સંસ્થા કાર્યરત છે. 

આ દેશી ફળમાં છે કાજૂ-બદામથી પણ વધારે તાકાત, હાડકા માટે છે ખૂબ જ લાભદાયક 11 Nov 2023, 12:00 pm

એક રીસર્ચ અનુસાર, હેઝલ નટ્સ ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે, આ ઉપરાંત તે કેન્સરને રોકવામાં અને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. આ સિવાય પણ હેઝલનટ્સના અનેક ફાયદાઓ છે, તો ચાલો જાણીએ તેના વિશે.

વતન જવા માટે સુરત રેલ્વે સ્ટેશન પર પડાપડી, ધક્કામુક્કીમાં એકનું મોત 11 Nov 2023, 11:59 am

Surat railway station: સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડને કારણે ધક્કામુક્કીમાં એક વ્યક્તિનું મોત થયુ છે.

મરચી, ટામેટીને કોકડવા રોગથી બચાવવા કરો આ ઉપાય, થશે અઢળક ફાયદો 11 Nov 2023, 11:13 am

મહેસાણા જિલ્લામાં ખેડૂતો શાકભાજી પાકનું વાવેતર કરે છે. હાલ ખેડૂતોએ ટામેટી અને મરચીની ખેતી કરી છે. ટામેટી અને મરચીમાં કોકડાઈ જવાનો રોગ થાય છે.

અમદાવાદમાં ઓવરસ્પીડનો કહેર: BRTS રૂટમાં કાર અથડાતા બોનેટના બોલ્યા ભુક્કા 11 Nov 2023, 9:57 am

Ahmedabad Accident: અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા બીઆરટીએસ રૂટમાંથી એક કાળા રંગની કાર પૂરપાટ ઝડપે જઇ રહી હતી. જેની સ્પીડને કારણે ચાલકે બીઆરટીએસની રેલિંગમાં જ કાર અથડાવી દીધી છે.

સમોસાએ કાળુભાઇની કિસ્મત બદલી નાખી, લાખો રૂપિયાની મિલકત વસાવી 11 Nov 2023, 9:40 am

બોટાદના ગઢડાનાં કાળુભાઇ મેરે સમોસાનો વ્યવસાય શરૂ કર્યો હતો. આ વ્યવસાયથી કાળુભાઇની કિસ્મત બદલાઇ ગઇ છે. કાળુભાઇ પહેલા મજુરી કરતા અને ભાડાનાં મકાનમાં રહેતા હતાં. આજે પોતાનું મકાન છે.

દિવાળીના તહેવારમાં ખેડૂતો માટે મહત્વના સમાચાર, જાણી લો ચિંતા દૂર થશે 11 Nov 2023, 9:01 am

દિવાળીના તહેવારમાં ખેડૂતો માટેને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. અમરેલી જિલ્લામાં આગામી પાંચ દિવસ વરસાદનાં કોઇ એંધાણ નથી. જોકે મહત્તમ તાપમાન 35 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે.

જામનગર: પતિના મામી સાથેના આડાસંબંધની જાણ થતા પત્નીએ કર્યું ન કરવાનું કામ 11 Nov 2023, 8:40 am

Jamnagar news: પતિ કિશોરભાઈ રણછોડભાઈ રાઠોડ કે, જેને મામીજી સાથે આડા સંબંધો હોવાનો આક્ષેપ કર્યો હતો. જે બંને વચ્ચેના સંબંધના કારણે તેણીને પતિ કિશોર મારકુટ કરતો હતો.

કપાસ, મગફળી, ડુંગળીની ખેતી છોડી ખેડૂત જામફળની ખેતી તરફ વળ્યાં 11 Nov 2023, 8:00 am

ભાવનગર જિલ્લાનાં ગારિયાધારના ખેડૂત જામફળીનું વાવેતર કર્યું છે. હાલ સારું ઉત્પાદન થઇ રહ્યું છે. ખેડૂત પહેલા કપાસ, મગફળી, ડુંગળીનુ વાવેતર કરતા હતાં. પરંતુ છેલ્લા ચાર વર્ષ પહેલા જામફળીનું વાવેતર કર્યું હતું.

આજે ગુજરાતના આ વિસ્તારોમાં સાચવજો, માવઠાની છે આગાહી 11 Nov 2023, 7:37 am

Gujarat weather update: અમદાવાદ હવામાન વિભાગે જણાવ્યુ છે કે, આગામી પાંચ દિવસ વરસાદ નહીં વરસે જ્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ થઇ શકે છે.

આ ભેંસના દૂધમાંથી ખેતી જેટલી આવક, મહિનાની આટલી કમાણી 11 Nov 2023, 7:30 am

ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરી રહ્યાં છે અને સારી આવક મેળવી રહ્યાં છે. અમરેલી જિલ્લાનાં કુંકાવાવનાં નાજપુરનાં ખેડૂત પશુપાલન કરી રહ્યાં છે. ખેડૂત પાસે જાફરાબાદી ભેંસ છે. આ ભેંસની કિંમત 3 લાખ રૂપિયા છે. તેમજ રોજનુ 28 લિટર દૂધ આપે છે.

અમરેલી જિલ્લાનાં યુવાને કોઠાસૂઝથી બનાવ્યું સોડાનુ મશીન, આટલી કમાણી 11 Nov 2023, 7:00 am

અમરેલી જિલ્લાનાં સાવરકુંડલાનાં પિયાવાના યુવાને સોડા બનાવવાનું મશીન બનાવ્યું છે. કોઠાસૂઝથી મશીન બનાવ્યું છે. એક મશીનમાંથી 30 હજાર રૂપિયા કરતા વધુ નફો થઇ રહ્યો છે. કોઠાસૂઝથી યુવાન આત્મનિર્ભર બન્યો છે.

એમ્બ્રોડરીના વેપારીની આત્મહત્યા, દેવું થતાં અન્ય વેપારીઓના ત્રાસથી ગળેફાંસો ખાધો 11 Nov 2023, 12:08 am

ધંધાકીય લેવડ દેવડના રૂપિયા માટે કડક ઉઘરાણી થતાં અને ઘરે આવીને સોસાયટી વચ્ચે ઇજ્જત કાઢશે તેવી ધમકીઓ મળતા વેપારીએ ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું છે.

ફેસબુકમાં એડ સાથે નંબર મૂક્યો, તો અજાણ્યા શખ્સે ફોન કરી કહ્યું - તારી દીકરી... 10 Nov 2023, 10:34 pm

અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને ફરિયાદી પાસેથી તેમની દીકરીને એક રાત પોતાની પાસે મોકલવા જેવી બીભત્સ માંગણી કરી હોવાનું સામે આવ્યું છે. 

ઘરઆંગણેથી લાખોની લૂંટ, ચોર સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર 10 Nov 2023, 10:24 pm

ધનતેરસનો તહેવાર હોવાથી વૃદ્ધ ચોઘડિયું જોઈને પૂજા કરવા માટે વડીલો પાર્જીત મળેલા સોના ચાંદીના દાગીના લોકરમાંથી લેવા ગયા હતા.

જીજ્ઞેશ કવિરાજે ચાહકોને શું કરી અપીલ? 10 Nov 2023, 7:05 pm

જય શ્રીરામ! સુપ્રસિદ્ધ ગાયક જીજ્ઞેશ કવિરાજ સોમનાથથી અયોધ્યા રામ નામ મંત્ર લેખન યજ્ઞમાં જોડાયા. આ સાથે કવિરાજે પોતાના ચાહકો અને અન્ય લોકોને પણ આ યજ્ઞમાં જોડાવા માટે અપીલ કરી.

પોરબંદરની યુવતીએ વગાડ્યો ડંકો, ખો-ખોમાં સિલેકશન પામી અપાવ્યું ગૌરવ 10 Nov 2023, 6:32 pm

પોરબંદરના યુવક-યુવતિઓ કલા અને રમત ગમત ક્ષેત્રે અનેક સિદ્ધિઓ મેળવીને પોરબંદરને ગૌરવ પ્રદાન કરી રહ્યા છે. ત્યારે પોરબંદરની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયુ છે. પોરબંદરના વિઝરાણા ગામની યુવતી નિરૂ રાઠોડની   ગુજરાત રાજયના ખો-ખોની ટીમમાં પસંદગી થઈ છે.

લૂડોમાં હારી ગયેલા રૂપિયા ભરપાઈ કરવા લૂંટ આચરી, પોલીસે ઝડપી પાડ્યો 10 Nov 2023, 6:14 pm

આ સાથે જ મુદ્દામાલમાંથી પણ 50000 રૂપિયા તે લુડોમાં હારી ચૂક્યો હોવાની કબૂલાત આરોપીએ કરી છે. આ સાથે જ આરોપીનો ગુનાહિત ભૂતકાળ પણ તપાસ દરમિયાન સામે આવ્યો હતો.

સાળંગપુરમાં 45 વિઘામાં જોરદાર પ્રદર્શન,જોયું તમે? 10 Nov 2023, 6:09 pm

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભવ્ય 175 શતામૃત મહોત્સવ થઈ રહ્યો છે. જે અંતર્ગત આજરોજ સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય હનુમાન વાટિકા પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જેમાં સંતો-મહંતો સાથે હરિભક્તો હાજર રહ્યા હતા.

ઘરની સુંદરતાને લાગી જશે ચાર ચાંદ, વાંસના કારીગરોએ કરી કમાલ અને બનાવ્યા એકદમ હટકે પડદા 10 Nov 2023, 5:34 pm

રાજકોટમાં વાંસની કારીગરીનો અદભૂત દાખલો જોવા મળી રહ્યો છે જ્યાં જૂનાગઢના કેટલાક કારીગરો દ્વારા વાંસના પડદા બનાવવામાં આવી રહ્યા છે, જે લોકોમાં અત્યારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ વાંસના પડદા બનાવવામાં એક સાથે 5થી 6 લોકોની મહેનત લાગે છે.

‘હું IPS સફિન હસનનો માણસ છું’ કહીને આરોપીએ એરપોર્ટ માથે લીધું 10 Nov 2023, 5:32 pm

પોલીસ કંટ્રોલને આ મેસેજ સાંજે સાડા સાત આસપાસ મળતાં જ એરપોર્ટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

દિવાળીના પર્વ ઉપર વેપારીઓએ વેદના ઠાલવી, જાણો શું કહ્યું 10 Nov 2023, 5:14 pm

દિવાળીનાં તહેવારને લઇ જૂનાગઢની બજારમાં ખરીદી જોવા મળી રહી છે. પરંતુ હજુ વેપારીઓ ખુશ નથી. વેપારીઓનું કહેવું છે કે, દરેક વ્યક્તિ સ્થાનિક વેપારીઓ પાસેથી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઇએ. ઓનલાઇન ખરીદી કરવી જોઇએ નહીં.

રાજકોટમાં રિક્ષાવાળા સાથે વાતચીત અને નંબરની આપલે પછી પરિણીતા ભરાઈ ગઈ 10 Nov 2023, 5:12 pm

Rajkot Woman Cheated By Auto Driver: રાજકોટમાં પરિણીતા રિક્ષાની વાટ જોઈ રહી ત્યારે યોગેશ જીલકા નામનો શખ્સ રિક્ષા લઈને આવ્યો હતો અને તે દરમિયાન પરિણીતાની તેની સાથે સામાન્ય વાતચીત થઈ હતી અને જરુર પડે તો રિક્ષા માટે ફોન કરી શકો છો તેમ જણાવ્યું હતું. પરિણીતાના પતિ હોસ્પિટલમાં હોવાથી તેને રૂપિયાની જરુર હતી અને તેણે રિક્ષાવાળાની મદદ લેવાનું નક્કી કર્યું હતું. આવામાં પરિણીતાની સાથે 3.22 લાખની છેતરપિંડીનો કિસ્સો બન્યો છે.

ન્યાયની સાથે નિરોગી રાખશે ગુજરાત હાઈકોર્ટ! 10 Nov 2023, 5:12 pm

ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયની સાથે હવે સારવાર પણ મળી શકશે. જો ન્યાય લેવા આવેલા વ્યક્તિની તબિયત બગડશે તો હાઈકોર્ટમાં જ સારવાર મળી રહેશે. ન્યાય અધિકારીતા મંત્રી ઋષિકેશ પટેલ અને મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલનાં હસ્તે લોકાર્પણ કરાયું છે. નાગરિકોની સુવિધા માટે હાઈકોર્ટ પરિસરમાં મીની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે.

ફક્ત 5 રૂપિયામાં જમો ભરપેટ પૌષ્ટિક ભોજન 10 Nov 2023, 4:52 pm

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવાં 155 કેન્દ્રોનો શુભારંભ કરાવ્યો છે. જેનાથી માત્ર 5 રૂપિયામાં હજારો શ્રમિક પરિવારો કરી શકશે ભોજન.અમદાવાદથી સમગ્ર રાજ્યમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવાં 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરાવ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેએ શ્રમિકોને ભોજન પણ પીરસ્યું.

નવસારી પોલીસે મૃતકના પરિવાર લૂછ્યાં આંસુ, દિવાળીમાં આપી સપ્રેમ ભેટ 10 Nov 2023, 4:51 pm

સપ્ટેમ્બરમાં નવસારી હેડ ક્વાર્ટરમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા નરેશભાઈ ઠાકરીયાનું મૃત્યુ થયું હતું, પરિણામે તેમના પરિવાર ઉપર દુ:ખના ડુંગર તૂટી પડ્યા હતા. આ દુ:ખને હળવું કરવા નવસારી પોલીસના DYSP અને અન્ય પોલીસ કર્મીઓએ મૃતકના પરિવારની મુલાકાત લીધી હતી અને મૃતકના પરિવારને મીઠાઈ અને ફટાકડાની ભેટ આપી હતી.

ધનતેરસ પર કહીં ખુશી કહીં ગમ...! ફોર વ્હીલરના વેચાણમાં વધારો તો, ઇલેક્ટ્રિક વ્હીકલનું માર્ક 10 Nov 2023, 4:37 pm

પાછલા વર્ષની સરખામણીમાં આ વખતે ઇલેક્ટ્રિકલ વ્હીકલના માર્કેટમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે ફોર વ્હીલરની ખરીદીમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે.

જમ્યા પછી ગળ્યું ખાતા હોવ, તો બંધ કરી દેજો નહીંતર આવશે રોવાનો વારો 10 Nov 2023, 4:04 pm

ભોજન પહેલા મીઠાઈ લેવામાં આવે તો શરીરમાં ખોરાક પચાવવાના હોર્મોન્સ સક્રિય થાય છે. પરંતુ જમ્યા પછી જો મીઠાઈ લેવામાં આવે તો તેની સીધી અસર પાચન ક્રિયા પર પડે છે. જેના લીધે પેટ ફૂલવું, ગેસ, ડાયાબિટીસ, હૃદયરોગ જેવી સમસ્યા ઊભી થાય છે.

ગુજરાતમાં વરસાદનું કોઇ અનુમાન નથી, જાણો હવામાન વિભાગની આજની આગાહી 10 Nov 2023, 3:48 pm

Gujarat weather: હવામાન વિભાગની આગાહીથી વિપરીત હવમાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં વરસાદ થવાની આગાહી કરી છે.

ડીસાના સોની બજારમાં ઊમટી ભીડ, લોકોએ કરી સોના-ચાંદીની ભરપૂર ખરીદી 10 Nov 2023, 3:47 pm

હિંદુ ધર્મમાં ધનતેરસનું આગવું મહત્વ છે. આ દિવસે સોના-ચાંદીની ખરીદી શુભ માનવામાં આવે છે. ધનતેરસને લઈને ડીસાના સોની બજારમાં લોકોની ભીડ જામી હતી. લોકોએ સોના-ચાંદીની ભરપૂર ખરીદી કરી હતી.

જૂનાગઢમાં મહિલાઓના બજેટમાં ઝૂમખાં, આવી છે ડિઝાઇન 10 Nov 2023, 3:33 pm

જૂનાગઢનાં માંગનાથ રોડ ઉપર દિવાળીની ખરીદી જોવા મળી રહી છે. મહિલાઓને ઉપયોગી વસ્તુઓ મળી રહી છે. મહિલાઓ કાનમાં પહેરવાનાં ઝૂમખાં ખરીદી રહી છે. અહીં અવનવી ડિઝાઇનની ઝૂમખાં મળે છે.

દિવાળીમાં બહારનું ખાતા પહેલા વિચારજો, ઘી-ગુડ રેસ્ટોરન્ટના સીંગદાણામાંથી નીકળી ઇયળો 10 Nov 2023, 3:23 pm

Ahmedabad news: શહેરની જાણીતી રેસ્ટોરન્ટ ઘી-ગુડની નારણપુરા બ્રાંચમાં સીંગદાણામાંથી ઇયળો નીકળવાના કિસ્સાએ ભારે ચર્ચા જગાવી છે.

રખડતા ઢોરના લીધે હવે નહીં જાય લોકોના જીવ, આ યુવાનો કરે છે ભગીરથ કાર્ય 10 Nov 2023, 2:55 pm

સમગ્ર ગુજરાતમાં દરરોજ રખડતા ઢોરોના કારણે નાના-મોટાં અકસ્માત સર્જાતા હોય છે, જેમાં અનેક માસુમ લોકોના જીવ જતા હોય છે તેમજ અનેક લોકો ઘાયલ પણ થતા હોય છે. રખડતા ઢોરોના કારણે સર્જાતા અકસ્માતના બનાવોને રોકવા ડીસાના બે યુવાનો અનોખું કાર્ય કરી રહ્યા છે. 

ઘરની દરિદ્રતા થશે દૂર અને રિદ્ધી-સિદ્ધિ કરશે વાસ, આ મંદિરમાં ચડાવો સાવરણી 10 Nov 2023, 2:50 pm

રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં 70 વર્ષ જૂનું મહાલક્ષ્મી માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં ધનતેરસ અને દિવાળીના દિવસે લોકો માતાજીને સાવરણી અર્પણ કરવા માટે આવે છે. ભક્તોના જણાવ્યા અનુસાર અહીં સાવરણી ચડાવવાથી દરિદ્રતા દૂર થાય છે.

આ છે ટેકવોન્ડોનો ગોલ્ડન બોય, જીત્યા છે આટલા બધા મેડલ 10 Nov 2023, 2:26 pm

મહેસાણાનાં વણીકર ક્લબના તેમજ માર્ટિન ડી.ટેકવોન્ડો એકેડેમીના સ્ટુડન્ટ આકાશ દિપકકુમાર ચાવડાએ તાજેતરમાં જ ગુજરાત સ્ટેટ ટેકવોન્ડો ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આસામ સરકારની કાઉન્સિલના નામે રાજકોટની કંપની સાથે 19 કરોડની છેતરપિંડી! 10 Nov 2023, 2:08 pm

સારા સંબંધો બનાવવા અને ઉધારીમાં ધંધો કરતા વેપારીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રાજકોટની એક કંપની સાથે મોટી છેતરપિંડીની ઘટના બની છે જે મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આસામ ગવર્નર કાઉન્સિલના નામ પર ફોન પર મળેલી વિગતના આધારે વેપાર કરવામાં આવ્યો હતો.

અમદાવાદ: 'તમે મોકલેલા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યુ છે,' કહીને યુવતી પાસેથી લાખો પડાવી લીધા 10 Nov 2023, 2:05 pm

ગઠિયાએ પોલીસ અધિકારીની ઓળખ આપીને સીબીઆઇના બનાવટી લેટર મોકલી આપ્યાં હતાં.

અમદાવાદ: KYC અપડેટ કરવાના બહાને ગઠિયાઓએ લાખો રુપિયા સેરવી લીધા, ક્યારેય ન કરતા આવી ભૂલ 10 Nov 2023, 1:37 pm

Ahmedabad news: બેન્ક મેનેજર તરીકેની ઓળખ આપીને ફરીયાદીને વોટ્સઅપ વીડિયો કોલમાં સ્ક્રીન શેરીંગ બટન દબાવવાનું કહીને બેંકની વિગતો મેળવી રૂપિયા ઉપાડી લીધા.

દિવાળીમાં વધુ ફટાકડા ફોડવાથી થઈ શકે છે આવી ગંભીર બીમારીઓ 10 Nov 2023, 1:28 pm

દિવાળીમાં પ્રદૂષણનું સ્તર વધુ થઈ જાય છે. દિવાળીમાં લોકો ઉજવણીના ભાગરૂપે મોટા પ્રમાણમાં ફટાકડા ફોડે છે. વધુ ફટાકડા ફોડવાના કારણે હવા પ્રદૂષિત થાય છે. જે સ્વાસ્થ્ય માટે અતિશય ગંભીર સાબિત થાય છે.

ખુશીઓના તહેવાર દિવાળીમાં પ્રકાશથી જગમગી ઉઠ્યું રાજકોટ, લોકોના ચહેરા ઉપર અનેરી ખુશી 10 Nov 2023, 1:22 pm

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રેસકોર્સમાં ભવ્ય દિવાળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એન્ટ્રી ગેટ આકર્ષક થીમ બેઝ લાઈટીંગનું ડેકોરેશન ભવ્ય રીતે કરવામાં આવ્યું છે. આ સાથે જ ભવ્ય આતશબાજી, રંગોળી સ્પર્ધા, સેલ્ફી પોઈન્ટ, વિવિધ ડેકોરેશન અત્યારે રાજકોટની શાન બન્યું છે.

Breaking: ગુજરાતથી મુંબઈ જઈ રહેલી જયપુર એક્સપ્રેસમાં અંધાધૂંધ ફાયરિંગ, 4નાં મોત 31 Jul 2023, 3:20 am

ગુજરાતથી મુંબઈ જઈ રહેલી જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં આરપીએફના કોન્સ્ટેબલે અંધાધુધ ફાયરિંગ કરતા ચાર લોકોના મોત નીપજ્યા છે. બી-5 કોચમાં ફાયરિંગ થતા આરપીએફના જવાન સહિત ચારના મૃત્યુ થયા છે. મૃત્યુ પામનારામાં ત્રણ મુસાફરનો પણ સમાવેશઆરપીએફના બે જવાન વચ્ચે ઝઘડો થયો અને એક જવાને

આખરે IIT બૉમ્બેએ જાતિ ભેદભાવને ધ્યાનમાં લઈ જાહેર કરી ગાઈડલાઈન્સ, વિદ્યાર્થીઓને આપી કડક સૂચના 31 Jul 2023, 2:58 am

આઈઆઈટી બૉમ્બેના પ્રથમ વર્ષના વિદ્યાર્થી દર્શન સોલંકીની ફેબ્રુઆરીમાં આત્મહત્યા બાદ કેમ્પસમાં કથિત જાતિ આધારિત ભેદભાવ માટે હોબાળો મચ્યાના મહિનાઓ પછી ધ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુ ઑફ ટેકનોલૉજી બૉમ્બેએ તેના વિદ્યાર્થીઓ માટે શનિવારે એક ભેદભાવ વિરોધી માર્ગદર્શિકા જાહેર કરવી પડી હતી. જે મુજબ અન્ય

Denmark quran Burnning: કુરાન સળગાવાને રોકવા માટે ડેનમાર્કનું કડક વલણ, વિરોધને રોકવા માટે કાયદો બનાવશે 31 Jul 2023, 2:32 am

હાલના વર્ષોમાં ડેનમાર્ક અને સ્વીડનમાં મુસલમાનોના પવિત્ર ગ્રંથ કુરાનનું અપમાન કરવામાં આવ્યુ અને તેને સળગાવામાં આવ્યા હતા. પરંતુ હવે ડેનમાર્ક સરકાર કુરાનની સળગાવા પર રોક લગવા માટેની તૈયારી કરી રહી છે. જણાવામાં આવી રહ્યુ છે કે, કુરાનને સળગાવીને વિરોધ પ્રદર્શન કરનાર

'મરી ગઇ હુ તમારા માટે, ફરી વાર ફોન નહી કરતા', પાકિસ્તાનથી અંજુએ પોતાના પિતાને કર્યો મસેજ 31 Jul 2023, 2:28 am

સીમા હેદર અન સચિન મીણાની પ્રેમ કહાની વચ્ચે પાકિસ્તાન જઇને નિકાહ કરનાર બે બાળકોની માતા અંજુ ચર્ચામા આવી ગઇ છે . અંજુને લઇને હવે અલગ અલગ પ્રકારની ખબર સામે આવી રહી છે. આ જ ક્રમમાં એક તાજા જાણકારી સામે આવી છે.

પંજાબ: બઠિંડા-ચંદીગઢ હાઇવે પર ઘણી ગાડીઓ એક બીજા સાથે ટકારાઇ, લોકો થયા ઘાયલ 31 Jul 2023, 2:23 am

પંજાબના બંઠીંડા-ચંદીગઢ રાષ્ટ્રીય ધોરી રાજમાર્ગ પર ઘણી ગાડીઓના એક બીજા સાથે ટકરવાથી ઘણા લોકો ઘાયલ થઇ ગયા હતા. એટલે પ્રભારી રવિન્દ્ર સિહ એ જણાવ્યુ હતુ કે, એક કાર બંઠીડાની તરફથી આવી રહી હતી. અને તેને બઠીંડા તરફ જઇ રહેલી ચાર અન્ય

આજે NDA સાસંદો સાથે કરશે પીએમ બેઠક, લોકસભા ચૂંટણીની તૈયારીને આપશે રફતાર 31 Jul 2023, 2:20 am

લોકસભા 2024ની તૈયારીને ધ્યાનમાં રાખી આજે 31 જુલાઇે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂરી રીતે એક એક્ટીવ થવા જઇ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી આજે એનડીએના સાસંદો સાથે બેઠક કરશે. આ બેઠકમાં લોકસભા ચૂંટણી સાથે જોડાયેલી તૈયારી શરુઆતનો તપાસ કરશે. તે સાસંદોને જનતા સાથે

2024માં લોકસભા ચૂંટણી હાર્યા બાદ વિદેશમાં વસી જશે પીએમ મોદીઃ લાલુ યાદવે કર્યો કટાક્ષ 31 Jul 2023, 2:12 am

રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે રવિવારે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2024ની લોકસભા ચૂંટણીમાં હારથી ચિંતિત છે અને વિદેશમાં જગ્યા શોધી રહ્યા છે. રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે PM નરેન્દ્ર મોદી 2024ની લોકસભા ચૂંટણી હાર્યા

મણિપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર ફેરવવા મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી 31 Jul 2023, 1:48 am

Supreme Court Hearing: મણિપુરમાં 4 મે, 2023ના રોજ ટોળા દ્વારા બે મહિલાઓની નગ્ન પરેડ કરાવવાના મામલામાં સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બે મહિલાઓ ભીડ દ્વારા કરવામાં આવેલા હુમલાના કેસની સુનાવણી ટ્રાન્સફર

સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડના માસ્ટરમાઇન્ડનો જલ્દી થશે ખુલાસો, સુરક્ષા એજન્સીઓની ટીમ અજરબૈજાન જવા રવાના 30 Jul 2023, 2:51 pm

સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. પંજાબી ગાયકના મોતના મુખ્ય કાવતરાખોરો પૈકીના એક ગેંગસ્ટર સચિન બિશ્નોઈને પકડવા માટે સુરક્ષા એજન્સીઓની એક ટીમ અઝરબૈજાન મોકલવામાં આવી છે. સચિન બિશ્નોઈ કુખ્યાત ગુનેગાર લોરેન્સ બિશ્નોઈનો ભત્રીજો છે. સિંગર ગયા વર્ષે

બાળ તસ્કરીમાં યુપી,બિહાર-આંધ્ર પ્રદેશ સૌથી આગળ, દિલ્હી પણ શામેલ, જુઓ ટોચના રાજ્યોની યાદી 30 Jul 2023, 2:46 pm

ઉત્તર પ્રદેશ, બિહાર અને આંધ્ર પ્રદેશ એ ટોચના ત્રણ રાજ્યો છે જેમાં 2016 અને 2022 ની વચ્ચે સૌથી વધુ બાળકોની તસ્કરી કરવામાં આવી છે, જ્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોવિડ પહેલાથી લઈને પોસ્ટ સમય સુધી ચિંતાજનક 68 ટકાનો વધારો જોવા મળ્યો છે.

Pakistan Blast : પાકિસ્તાનમાં ફરી આતંકી હુમલો, રાજકીય સભામાં બોમ્બ બ્લાસ્ટને કારણે 39 લોકોના મોત 30 Jul 2023, 2:23 pm

Pakistan Blast : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં રવિવારના રોજ જમિયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (JUI-F)ના કાર્યકર્તા સંમેલનમાં થયેલા વિસ્ફોટમાં 39 લોકો માર્યા ગયા છે. આ સાથે 123 અન્ય ઘાયલ થયા છે. આ ઘટનામાં 17 લોકોની હાલત ગંભીર છે. જિયો ન્યૂઝે પોતાના અહેવાલમાં પોલીસને ટાંકીને જણાવ્યું હતું

INDIA ડેલિગેશને લાધ્યું સરકાર પર નિશાન, જાણો કોણે શું કહ્યું? 30 Jul 2023, 1:11 pm

Manipur INDIA Delegation : વિપક્ષ એકતાના નવા ગઠબંધન ઇન્ડિયાના 21 સાંસદોના ડેલિગેશન મણિપુરની મુલાકાત કરીને દિલ્હી પરત પહોંચ્યા છે. મણિપુર હિંસાના પીડિતોને મળ્યા બાદ દિલ્હી પરત ફરીને પ્રતિનિધિમંડળના નેતાઓએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. મણિપુર પ્રવાસથી પરત ફરતા પહેલા પીપલ્સ અલાયન્સ

Punjab News : સરકારી શાળાના વિદ્યાર્થીઓને મળશે આ સુવિધા, CM માને કરી જાહેરાત 30 Jul 2023, 11:53 am

Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. પંજાબ સરકાર શિક્ષણ ક્ષેત્રે ઘણી સારી કામગીરી કરી

Punjab News : આપ સાંસદ સંજીવ અરોરાની વર્ક બૂકનું વિમોચન કરાયું 30 Jul 2023, 11:42 am

Punjab News : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારના રોજ દિલ્હીમાં સાંસદ રાઘવ ચઢ્ઢાની હાજરીમાં પંજાબ્સ વોઈસ ઇન ધ પાર્લામેન્ટ નામની કોફી ટેબલ બુકનું અનાવરણ કર્યું હતું. આ પુસ્તક AAP સાંસદ (રાજ્યસભા) સંજીવ અરોરાના રાજ્યસભામાં પ્રથમ વર્ષ (2022-23) વિશે છે. પુસ્તકનું વિમોચન કરતા, કેજરીવાલે

Punjab News : CM ભગવંત માને કેબિનેટની બેઠકમાં આપી ઘણા નિર્ણયોને મંજૂરી, સ્પોર્ટ્સ પોલિસીને મળી મંજૂરી 30 Jul 2023, 11:17 am

Punjab News :​ જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. પંજાબમાં શનિવારના રોજ કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

નીતીશ કુમારે પાર્ટીના પૂર્વ સાંસદ-ધારાસભ્યની બોલાવી બેઠક, મોટા દાવની આશંકા 30 Jul 2023, 10:15 am

લોકસભાની ચૂંટણી 2024ની તૈયારીઓ વચ્ચે ભાજપ સામે રણસિંગું ફૂકી ચૂકેલા નીતીશ કુમાર વિપક્ષ એકતાની સાથે સાથે પોતાની પાર્ટીને પણ મજબૂત કરવા માટે પાયાના સ્તરે કામગીરી કરવામાં આવી રહી છે. આ અંગે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને પાર્ટીના નેતાઓની મહત્વની બેઠક બોલાવી હતી. એનડીએ વિરુદ્ધ

CM ભૂપેન્દ્ર પટેલે લીધો ખેડૂતલક્ષી નિર્ણય, આપશે આ મોટો લાભ 30 Jul 2023, 7:21 am

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇનામ નાબૂદી કાયદાઓ હેઠળની જમીનોના કબ્જાહક્ક નિયમબદ્ધ કરવા અંગે એક મહત્ત્વપૂર્ણ ખેડૂતહિતકારી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણય અનુસાર, રાજ્ય સરકાર આવા જમીનધારકોના કબજાહક્ક પ્રવર્તમાન જંત્રીના 20 ટકા વસૂલીને નિયમબદ્ધ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સંદર્ભમાં

આસમ વિધાનસભાના નવા ભવનનુ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા કરશે ઉદ્દઘાટન, હિમત બિસ્વાએ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી 30 Jul 2023, 6:29 am

Om Birla: લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા રવિવારે ગુહાટીમાં રાજ્યના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા અને કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલની ઉપસ્થિતિમાં અસમ વિધાનસભાના નવા ભવનનું ઉદ્ધઘાટન કરશે લોકસભાના ઉદ્ધઘાટન પહેલા સીએમ હિમંત બિસ્વાએ ટ્વીટ કર ખુશી વ્યક્ત કરી છે. સમાચાર એજેન્સી એએનઆઇની

કેનેડાના અલ્બર્ટમાં 5 યાત્રીઓને લઇ જઇ રહેલ પ્લેન ક્રેશ, દુર્ઘટનામં તમામ લોકોના મૌત 30 Jul 2023, 6:23 am

કેનેડાના અલ્બર્ટા શહેમાં 5 યાત્રીઓ સાથે ઉડાન ભરી રહેલા એક નાના પ્લેન ક્રેશ થઇ ગયુ હતુ. જેમા તમામ સવાર યાત્રીઓની મૌત થઇ ગઇ હતી. કનાડાની પોલીસે શનિવારે કહ્યુ કે, અલ્બર્ટ પ્રાંતમાં કૈલગરીના પશ્ચિમમાંએક નાના વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ હતુ જેમા 6

IIT ગાંધીનગરનો પદવીદાન સમારહો યોજાયો. 456 વિદ્યાર્થીને ડિગ્રી એનાયત 30 Jul 2023, 5:51 am

ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (IITGN)એ ​​કેમ્પસમાં તેના 12મા દીક્ષાંત સમારોહનું આયોજન કર્યું, જેમાં કુલ 456 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. પ્રથમ વખત, સંસ્થાએ 73 પીએચડી વિદ્યાર્થીઓ, 43 એમટેક વિદ્યાર્થીઓ, 1 બીટેક-એમટેક ડ્યુઅલ ડિગ્રી વિદ્યાર્થી, 108 એમએસસી વિદ્યાર્થીઓ, 23

Find here malayalam news papers, denik bhaskar news paper today, sambad news paper, denik bhaskar news paper, malayala manorama newspaper, divya bhaskar news paper, tamil news papers, today tamil news paper, divya bhaskar gujarati news paper, kannada prabha news paper, sakshi news paper today ap, etemaad daily, kolkata news paper, udayavani news paper, prajavani chinakurali paper, mathrubhumi news paper today in malayalam, karavali munjavu newspaper today, udayavani news paper today, the siasat daily, denik bhaskar news paper today jaipur, maharashtra times newspaper today, daily all news paper and deshabhimani e paper update news through Rashtra News RSS Reader.